
All Episodes - Bhagvat Puran - Marm ni vaat (Gujarati)
This is a podcast about Bhagvat Puran (in Gujarati), one of Hinduism's eighteen great Puranas (mahapuranas), that promotes bhakti (devotion) to Krishna. It captures the essence of Vedas and knowledge within, in a manner that is easy to understand for everyone at any level of spirituality. This started as a wish from my mother asking me to read and interpret Bhagvat Puran through the lens of my own experiences in life. My recommendation: please listen to only one episode at a time and then reflect. Don't rush through it, neither you will miss the 'marm ni vaat'. Jay Shri Krishna!
View Podcast Details408 Episodes

Devi Bhagvat Skandh 3 Adhyay 17
આ અધ્યાયમાં, રાજા યુદ્ધજીત સુદર્શનને મારવા માંગે છે, પરંતુ તેના મંત્રી તેને વિશ્વામિત્રની કથા સંભળાવે છે અને સમજાવે છે કે તપસ્વીઓ સાથે વેરભાવ રાખવો યોગ્ય નથી. આ દરમિયાન, સુદર્શન કામદેવના મંત્રથી આકર્ષાય છે અને દેવીની કૃપાથી અસ્ત્ર-શસ્ત્ર પ્રાપ્ત કરે છે, જ્યારે કાશીની રાજકુમારી શશિકલા તેના રૂપ અને ગુણોથી મોહિત થઈ જાય છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 16
આ અધ્યાયમાં યુધાજિત રાજા સુદર્શનને મારવા માટે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં આવે છે, જ્યાં મનોરમા તેના પુત્રને બચાવવા માટે ચિંતિત થાય છે. મનોરમા ઋષિને વિનંતી કરે છે કે તેઓ યુધાજિતને પાછો મોકલી દે, અને તે દ્રૌપદીના અપહરણના પ્રસંગનો ઉલ્લેખ કરીને સમજાવે છે કે લોભ અને લાલચથી માણસો કેવા પાપકર્મ કરી શકે છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 14
આ અધ્યાયમાં આપણે કોસલના રાજા ધ્રુવસંધિના મૃત્યુ પછી તેમના બે પુત્રો વચ્ચે ઉત્તરાધિકાર માટે થયેલા વિવાદની વાત કરીશું. રાજકુમારોના દાદાઓ વચ્ચેના ઝઘડાએ કેવી રીતે રાજ્યમાં અશાંતિ ફેલાવી અને સત્તા માટેની લડાઈએ કેવી રીતે રાજ્યની શાંતિ અને સમૃદ્ધિને જોખમમાં મૂક્યા તેની ચર્ચા કરીશું.

Devi Bhagvat Skandh 3 Adhyay 13
આ અધ્યાયમાં રાજા જનમેજય વ્યાસજીને પૂછે છે કે વિષ્ણુએ દેવી યજ્ઞ કેવી રીતે કર્યો, જેના જવાબમાં વ્યાસજી વિષ્ણુ દ્વારા દેવીની પૂજા અને યજ્ઞનું વિસ્તૃત વર્ણન કરે છે. દેવીની કૃપાથી વિષ્ણુને દેવોમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત થાય છે અને આકાશવાણી દ્વારા દેવી તેમના વિવિધ અવતારોમાં શક્તિ રૂપે વિષ્ણુની મદદ કરશે એવું વરદાન આપે છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 11
આ અધ્યાયમાં આપણે દેવદત્તના પુત્ર ઉતથ્યની કથા સાંભળીશું, જે વેદ અને શાસ્ત્રોના જ્ઞાન વિનાનો હતો, પરંતુ હંમેશા સત્ય બોલતો હોવાથી 'સત્યવ્રત' તરીકે ઓળખાયો. એક શિકારી દ્વારા પીછો કરાયેલ જંગલી ભૂંડ જ્યારે તેની પાસે આશ્રય માટે આવે છે ત્યારે સત્યવ્રત દેવી સરસ્વતીના મંત્રનો અજાણતા જાપ કરે છે અને દેવીની કૃપાથી તેને જ્ઞાન અને કવિતાની શક્તિ પ્રાપ્ત થાય છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 9
આ અધ્યાયમાં નારદજી બ્રહ્માજીને ત્રણ ગુણો - સત્વ, રજસ અને તમસ - વિશે વધુ સમજાવવા વિનંતી કરે છે, કારણ કે આ ગુણો એકબીજા સાથે મળીને કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું મુશ્કેલ છે. બ્રહ્માજી જણાવે છે કે ત્રણેય ગુણો વિરોધાભાસી હોવા છતાં એકસાથે મળીને કાર્ય કરે છે અને દેવી જ સર્વોચ્ચ શક્તિ છે, જે આ ગુણોથી પર છે.

Devi Bhagvat Skandh 3 Adhyay 8
આ અધ્યાયમાં આપણે ત્રણ ગુણો અને એમની વચ્ચેના સંકલનની વાત કરીશું. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે અને આપણે સત્વગુણને કેવી રીતે પ્રાધાન્ય આપી શકીયે તેની ચર્ચા કરીશુ.

Devi Bhagvat - Skandh 2 Adhyay 9
આજના અધ્યાયમાં આપણે તપસ્વી રૂરૂ અને તેમના પ્રેમની કથા સાંભળીશું. દેવદૂતના માગ્યા પછી તપસ્વી રુરૂએ પોતાની અડધી જ઼િંદગી પ્રિયતમા પ્રમદ્વરાને જીવિત કરવા માટે આપી દીધી તેના દ્વારા આપણે પ્રેમ અને ત્યાગ એવી મર્મની વાત સમજીશું. આ તરફ પરિક્ષિત રાજાની પોતાની જિજીવિષાની વાત પણ સાંભળીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 8
આ અધ્યાયમાં આપણે યદુકુળના નાશની અને રાજા પરીક્ષિતની કથા સાંભળવી છે. અહીંયા આપણે ભગવતપુરાણની શરૂઆત કેવી રીતે થાય છે, તેની પણ વાત કરીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 7
આજના અધ્યાયમાં આપણે.વ્યક્તિગત ચરિત્રની વાત કરવી છે. મહાભારત દ્વારા આપણે ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર અને ભીમના ચરિત્ર વિશેની વાત કરીશું અને તેના દ્વારા આપણે આપણા પરિવાર માટે કેવી વાતો શીખી શકે તે પણ સમજીશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 6
આજના અધ્યાયમાં આપને વ્યાસજીને ત્રણ પુત્રો અને પાંડવોના જન્મની કથા સામ્ભળીશું. ખાસ કરીને માતા કુંતીના કથાનકની વાત કરશું.

Devi Bhagvat - Skandh 2 Adhyay 5
આજના અધ્યાયમાં આપણે સત્યવતી અને શાંતનુના લગ્નની વાત અને ભીષ્મપ્રતિજ્ઞાની વાત કરવી છે.

Devi Bhagvat - Skandh 2 Adhyay 4
આ અધ્યાયમાં આપણે ગંગાથી વસુઓના જન્મ અને દેવવ્રતના જન્મની વાત કરવી છે. ગંગા અને શાંતનું વચ્ચેના સંવાદને પણ મર્મથી સમજવો છે.

Devi bhagvat - Skandh 2 Adhyay 3
ઋષિઓએ સુતજીને પ્રશ્નો કર્યા છે કે વ્યાસજીએ અને ભીષ્મજીએ જે પ્રકારના નિર્ણયો લીધા તે સા સારું. તેના જવાબમાં સુતજી રાજા મહાભિષ, ગંગા, વસુઓ અને શાંતનુ રાજાની કથા સંભળાવે છે. તેઓ આ કથા દ્વારા મહાભારતની પુર્વભુમિકા બાંધે છે.

Devi bhagvat - Skandh 2 Adhyay 2
આજના અધ્યાયમાં આપણે પરાશરમુનિ અને મત્સ્યગંધાની મુલાકાત કેવી રીતે થઈ અને એ દાસ કન્યાથી વ્યાસજીનો જન્મ કેવી રીતે થયો તેના વિષેની વાત કરવી છે.

Devi bhagvat - Skandh 2 Adhyay 1
આજથી આપણે દેવી ભાગવતના બીજા સ્કંધની શરૂઆત કરી રહ્યા છે. આજના અધ્યાયમાં આપણે વ્યાસજીના જન્મની પૂર્વ ભૂમિકા બાંધી છે અને મત્સ્ય ગંધાની વાત કરવી છે.

Devi bhagvat - Skandh 1 Adhyay 20
આ અધ્યાયમાં આપણે શુકદેવજીના પરંગતિ પામ્યા પછી વ્યાસજીના વંશ અને કૃત્યોનું વર્ણન કરીશું.

Devi bhagvat - Skandh 1 Adhyay 19
શુકદેવજીને હજી પણ કેટલાક પ્રશ્નો છે જનકજી સાથે. જીવન મુક્તિ વિશેના. જેના સુંદર જવાબ જનકજી આપે છે. આ સાંભળીને શુકદેવજીના બધા સંદેહ દૂર થાય છે અને તેઓ ગૃહસ્થ આશ્રમમાં સ્થિત થાય છે. ત્યાર બાદ ગૃહસ્થાશ્રમને ભોગવીને શુકદેવજી સંન્યાસ ધારણ કરે છે તેની કથા આપણે આજે સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 Adhyay 18
આ અધ્યાયમાં આપણે શુકદેવજીના ગૃહસ્થાશ્રમ તરફના સંદેહ અને જનકજી દ્વારા તેના નિવારણનો સંવાદ સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 17
આ અધ્યાયમાં આપણે પિતાના કહેવા બાદ શુકદેવજી જનકજી ની પરીક્ષા કરવા માટે મિથિલા પુર ગયા છે તેની કથા સાંભળીશું. શુકદેવજી અને જનકજીના દ્વારપાળ વચ્ચેનો સંવાદ જેમાં રાગી અને વિરાગી પુરુષમાં શું તફાવત છે તે પણ જાણીશું. અને ત્યાર બાદ શુકદેવજી કેવી રીતે જલકમલવત મહેલમાં પણ રહી શકે છે તે જાણીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 16
આજના અધ્યાયમાં વ્યાસજી આપણને ભગવાન વિષ્ણુ અને દેવી વચ્ચેનો સંવાદ સંભળાવે છે અને તેના દ્વારા શુકદેવજી ને સંદેશ આપે છે કે ગૃહસ્થાશ્રમમાં રહીને પણ, વર્ણાશ્રમમાં રહીને પણ માણસ, દેવી ભાગવત સમજી શકે છે.

Devi bhagvat - Skandh 1 Adhyay 15
જ્યારે વ્યાસજી શુકદેવજીને વર્ણાશ્રમ વિશે સમજાવે છે ત્યારે તેના જવાબમાં શુકદેવજી પોતાના પિતા વ્યાસજીને સંન્યાસ વિશેની વાત કહે છે તેઓ તો સન્યાસી છે. તે સમય તત્ત્વગ્યાનની તલબ લાગેલી હોવાથી શુકદેવજી વ્યાસજી પાસે તત્વનાની.ભિક્ષા માંગે છે. તેના જવાબ વ્યાસજી તેમને દેવી ભાગવત સમજવાની વાત કરેં છે.

Devi bhagvat - Skandh 1 - Adhyay 14
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી અને વ્યાસજી વચ્ચેનો અદભુત સંવાદ સાંભળીશું, જેમાં આપણે ગૃહસ્થાશ્રમના મહત્વ વિશે સમજીશું.

Devi Bhagvat - Skandh 1- Adhyay 13
આજના અધ્યાયમાં આપણે વ્યાસજીને થયેલા પ્રશ્ન દ્વારા પુરુરવા અને ઉર્વશીની કથા સાંભળોશું.

Gopi geet part 2 (Gujarati)
આજના અધ્યાયમાં આપણે ગોપી ગીત અને તેનો મર્મ સાંભળોશું.

Gopi geet Part 1 (Gujarati)
ચૈત્રી નવરાત્રિના પવિત્ર પ્રસંગે આજે ગોપીગીતની વાત કરવી છે. એમાં રહેલા જાતજાતની સંવેદનાઓ અને લાગણીઓને સમજવી છે.

Devi bhagvat - Skandh 1 - Adhyay 12
આ અધ્યાયમાં આપણે ઇલા જે એક ઇમ્પોર્ટેંટ કથાનક છે દેવી ભાગવતનું તેની અને બુધના પ્રેમ અને તેમના બાળક પુરુરવા વિશેની વાત સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 11
આ અધ્યાયમાં આપણે ગુરુ બૃહસ્પતિની પત્ની તારા અને ચંદ્ર વચ્ચે થયેલા પ્રેમના લીધે, ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રની વચ્ચે થયેલી લડાઈ અને તેના નિરાકરણની વાત સાંભળીશું. આ ઘટના આપણને બુધના જન્મ તરફ લઇ જશે. આપણે આ યુદ્ધની પાછળ રહેલી મર્મ ની વાત જાણીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 10
પુત્ર કામનાથી વ્યાસજી વ્યાકુળ થયા છે.અને એ સમયે તેમણે શિવા અને શિવની આરાધના કરી. એમના તપથી પ્રસન્ન થઈ શિવજીએ એમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યુ. ત્યારબાદ વ્યાસજી પોતે પોતાના આશ્રમમાં આવે છે અને ત્યાં એક અપ્સરાને જોવે છે. પણ અપ્સરાને જોઇને તેમના મનમાં એવો ભાવ થાય છે કે આના દ્વારા મને ગૃહસ્થાશ્રમની પ્રાપ્તિ થશે તો બીજા શું કેહ્શે.

Devi bhagvat - Skandh 1 - Adhyay 9
આ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુએ મધુ કૈટભનો વધ કેવી રીતે કર્યો તેના વિષે સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 8
ઋષિઓએ પ્રશ્ન કર્યો કે, શ્રીવિષ્ણુ ,શિવજી અને બ્રહ્માજી કરતા પણ શક્તિ કેમ વધારે ઉપાસના લાયક છે. એના જવાબમાં સુતજી આપણને શક્તિનું મહાતમ્ય સમજાવે છે.

Devi bhagvat - Skandh 1 - Adhyay 7
આ અધ્યાયમાં આપણે બ્રહ્માજીએ કરેલી ભગવાન વિષ્ણુ અને મહાદેવીની અદ્ભુત સ્તુતિ સાંભળીશું. મધુકૈટભના ત્રાસથી બ્રહ્માજી વિષ્ણુભગવાન પાસે આવ્યા છે અને એમને નિદ્રાધીન થયેલા જોઈને, તેઓ મહાદેવીની સુંદર સ્તુતિ કરે છે.

Devi bhagvat - Skandh 1 - Adhyay 6
આજના અધ્યાયમાં આપણે જીવની ઉત્પત્તિ વિશે વ્યાસજીએ કરેલ મર્મ ની વાત જાણીશું. એની સાથે આપણે મધુકૈટભના યુદ્ધની પૂર્વ ભૂમિકા વિશે જાણીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 5
આજના અધ્યાયમાં આપણે ભગવતીની બહુ સુંદર સ્તુતિ સાંભળવાની છે. એની સાથે આપણે ભગવાન વિષ્ણુએ હયગ્રીવ રૂપ કેમ ધારણ કર્યું તેની કથા જાણીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 4
આ અધ્યાયમાં આપણે વ્યાસજીએ ચાતક પક્ષીના બાળ પ્રેમમાં પોતાનું પુત્ર સુખ જોવાનો પ્રયત્ન કર્યો છે તેના વિશે જાણીશું. આપણે દેવીની સર્વોત્તમતાની કથા વિશે વિષ્ણુ ભગવાને કરેલી વાર્તા સાંભળીશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 3
અધ્યાયમાં આપણે પુરાણ, ઉપપુરાણો, અને વ્યાસ વિશેની માહિતી મેળવીશુ. સુતજી આપણને સાચા દેવી ભાગવતના શ્રોતા કેમ થવું તેના વિષે માહિતી આપે છે.

Devi bhagvat - Skandh 1 - Adhyay 2
આજના અધ્યાયમાં આપણે દેવીની સુંદર સ્તુતિ કર્યાં બાદ, આપણે પુરાણોના લક્ષણ વિષે સાંભળશું . આપણે બિગ બેંગ થેઓરી જે physics માં ખુબ જાણીતી છે તેના વિષે પણ વાત કરશું.

Devi bhagvat - Skandh 1 - Adhyay 1
આજના અધ્યાયમાં આપણે દેવી ભાગવત્ પુરાણનું શ્રવણ કેમ કરવું એના વિષે ચર્ચા કરવી છે.શૌનકજી અને સુતજી વચ્ચેનો સંવાદ પણ આપણે સાંભળીશું. આપણે જ્ઞાનની ઉપાસના કેમ કરવી એના વિષે પણ વાત કરિશુ.

Devi bhagvat - Mahatmya Adhyay 4
આજના અધ્યાયમાં આપણે કુપુત્ર કેવી રીતે વંશનું અહિત કરે છે તેના વિષે જાણીશું. આપણે રેવતીના ઉદ્યભવ અને તેના દુદર્મ સાથે લગ્ન અને તેમના પુત્ર રેવતની કે જે પાંચમા મનુ છે તેમના વિશેની વાત કરશું.

Devi bhagvat - Mahatmya Adhyay 3
આજના અધ્યાયમાં આપણે હિંદુ શાસ્ત્રના એક બહુજ ઇમ્પોર્ટન્ટ પાત્ર ઇલા (સ્ત્રી સ્વરૂપ) અને સુદ્યુમ્ન (પુરુષ સ્વરૂપ) વિષે વાત કરીશું. આપણે આ પાત્ર દ્વારા સૂર્યવંશી અને ચંદ્રવંશી વચ્ચે કેવા પ્રકારની લિંક છે તેના વિશે જાણીશું.

Devi bhagvat - Mahatmya Adhyay 1
આ અધ્યાયથી દેવી ભાગવતની શરૂઆત કરીએ છીએ. દેવી ભાગવતને કેમ મહાપુરાણ ગણવું જોઈએ તેની પર પણ ચર્ચા કરીએ છીએ.

Devi bhagvat - Mahatmya Adhyay 2
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણ, સ્યમંતક મણિ, જામ્બવન અને શ્રી કૃષ્ણના યુદ્ધની વાત કરવી છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિ શ્રદ્ધા અને નિષ્ઠાની પણ વાત કરશું.

Rishi Panchami - Marm ni Vaat - English
Rishi Panchami, dedicated to all the sages in Hinduism, is an important day to reflect on our journey as humans on this Earth. In this unique podcast conversation, Professor Dr. Phani Tej Adidam (USA) and I explore important questions around What is Rishi Panchami? Who is a Rishi? And more spiritual questions surrounding Rishi Tatva?

Gopi geet - Bhagvat Puran - in English
This is a unique exploration of Gopi geet in English wherein I discuss the emotional drivers to Gopi geet. This 90 minute pravachan was delivered on 20th August 2023 at the Coulsdon temple, London, UK.

Bhagvat Puran Mahatamya Adhyay 4
શ્રીમદ્ ભાગવતના આ છેલ્લા અધ્યાયમાં આપણે ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા અને વક્તા ના લક્ષણો, તેની શ્રવણવિધિ અને મહાત્મ્યની કેટલીક વાતો કરીશું. જય શ્રી કૃષ્ણ.

Bhagvat Puran Mahatamya Adhyay 3
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની પરંપરા અને તેનું મહત્વ, તથા ઉદ્ધવજીએ બૃહસ્પતિજી પાસેથી સાંભળેલી ભાગવત શ્રવણ ની વાર્તા કરીશું. ભાગવતજી ના શ્રવણથી શ્રોતાઓને ભગવતધામ ની પ્રાપ્તિ થાય છે તેના વિષયે પણ આપણે આજે જાણીશું.

Bhagvat Puran Mahatamya Adhyay 2
આજના અધ્યાયમાં આપણે યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ, અને યમુનાજી દ્વારા દર્શાવેલા શ્રી કૃષ્ણ ના કીર્તન ઉત્સવમાં ઉદ્ધવજી ના પ્રગટ થવાની વાત સાંભળીશું.

Bhagvat Puran Mahatmya Adhyay 1
આજે આપણે ભાગવત પુરાણના મહાત્મ્ય નો પ્રથમ અધ્યાય સાંભળીશું, જેમાં પરીક્ષિત અને વજ્રનાભના મિલન, શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 13
ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં આપણે વિભિન્ન પુરાણોની શ્લોકસંખ્યા અને શ્રીમદ ભાગવત નો મહિમા કેમ અનુપમ છે તેના વિશે સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 12
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સાંભળીશું. તેના દ્વારા સુતજી આપણને સંપૂર્ણ ભાગવત નો મહિમા સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 11
આજના અધ્યાયમાં આપણે ભગવાન ના અંગો, ઉપાંગો, અને આયુધો નું રહસ્ય સાંભળીશું. આ ઉપરાંત શૌનકજી દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં, સુતજીએ કરેલું વિભિન્ન સૂર્યગણોનું વર્ણન પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 10
માર્કેન્ડય ઋષિ પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હૃદયમાં અને શિરોધાર કરે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 9
ભગવાન નર-નારાયણ માર્કેન્ડય ઋષિ ને વરદાન માંગવા માટે આજ્ઞા કરે છે અને માર્કેન્ડય ઋષિ તેમની પાસે ભગવાનની માયા જોવા માટે ઈચ્છા કરે છે. થોડા સમય બાદ માર્કેન્ડય ઋષિ પ્રલયકાળમાં ફસાઈ જાય છે અને ત્યાં તેમને ભગવાનના બાલમુકુંદ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાનની આ અદભુત માયા ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 8
આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 7
આજના અધ્યાયમાં આપણે અથર્વવેદ ની શાખાઓ અને પુરાણોના 10 લક્ષણો વિષે વિસ્તારથી સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 2
શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 6 Part 1
એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 5
આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 4
આજના અધ્યાયમાં આપણે ચાર પ્રકારના પ્રલય વિશે સાંભળીશું. શુકદેવજી આપણને આપણી પોતાની કુંઠિંતતાનો બાધ કરાવે છે.

Bhagvat Puran Skandh 12 Adhyay 3
આજના અધ્યાયમાં આપણે શુકદેવજી દ્વારા આપણી અંદર રહેલા મોહ અને અભિમાનને ચકનાચૂર કરી દેનારા કાળ વિશેનું વર્ણન સાંભળીશું. આપણે સતયુગમાં, દ્વાપરયુગમાં, ત્રેતાયુગમાં, અને કળિયુગમાં ભગવાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકાય તેના વિશે પણ જાણીશું અને નામસંકીર્તન નો મહિમા સમજીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 2
આજના અધ્યાયમાં આપણે કળિયુગના ધર્મ અને કેવી રીતે પ્રજાની દુર્ગતિ થશે તેના વિશે શુકદેવજીનો અભિપ્રાય સાંભળીશું.

Bhagvat Puran Skandh 12 Adhyay 1
બારમાં સ્કંધ ની શરૂઆત કરતા, આજે આપણે કળીયુગના રાજાઓ અને તેમના વંશોનું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 31
દારૂક ગયા પછી અનેક દેવતાઓ, ઋષિમુનિઓ, અને બીજા ઘણા બધા ભગવાનના દર્શન માટે પ્રભાસક્ષેત્રમાં પહોંચ્યા અને તેમના જોતાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પહોંચી ગયા. આમ ભગવાને પૃથ્વી પર પોતાની લીલા સંકેલી.

Bhagvat Puran Skandh 11 Adhyay 30
આજના અધ્યાયમાં આપણે ભગવાને યદુકુળનો સંહાર પ્રભાસ ક્ષેત્રમાં કેવી રીતે કરાવે કરાવ્યો તેની વાત સાંભળીશું. પોતાના કુળના મહાવીરઓ અને વીરોનો સંહાર થતાં, અને બલરામજીના પરંપળમાં લીન થયાની વાત જાણીને, ભગવાન શ્રી કૃષ્ણ પીપળાના વૃક્ષ નીચે ચતુર્ભુજ સ્વરૂપ માં બેસી ગયા. ત્યાં જરા નામના પારધીએ ભગવાન શ્રીકૃષ્ણના પગની લાલીમા જોઈ ને એવું જાણ્યું કે આ એક મૃગ છે અને પોતાના બાણથી ભગવાનના પગ ને વીંધી નાખ્યો. જ્યારે તેણે જોયું કે આ તો ખુદ ભગવાન શ્રીકૃષ્ણ છે, ત્યારે તેણે ભગવાનની માફી માગી, અને ભગવાને તેને સંદેહ સ્વર્ગમાં મોકલી આપ્યો. ત્યારબાદ, ભગવાને પોતાના સારથિ દારુક ને દ્વારિકામાં બધાને સંદેશ આપવાની આજ્ઞા કરી, અને પોતે સ્વધામ આવવાની તૈયારી કરી.

Bhagvat Puran Skandh 11 Adhyay 29
આજના ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણ ભાગવત ધર્મનું નિરુપણ કરે છે તેઓ જણાવે છે કે જ્યારે મનુષ્ય સમભાવની ભાવનાથી પ્રેરાઈને બધામાં મને જુએ છે ત્યારે મને પામી લે છે. ભાગવત ધર્મનો આભાર ભગવાન ઉદ્ધવજીને બદ્રિકાશ્રમ જવાની આજ્ઞા આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 28
ભગવાન આજના અધ્યાયમાં આપણને પરમાર્થ નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આત્મા જ સ્વયંપ્રકાશ છે, દ્રષ્ટા સાક્ષી છે અને અજ્ઞાની લોકો જ આત્માનો સંબંધ ઇન્દ્રિય અને પ્રાણ સાથે કરે છે. તેથી તેમને સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય લાગે છે. પણ જે સાધક ભગવાનનો આશ્રય લઈને યોગસાધનામાં સંલગ્ન થાય છે એને કોઈ વિઘ્ન ડગાવી શકતો નથી, તેની કામનાઓ નષ્ટ થઈ જાય છે, અને આત્માનંદની અનુભૂતિ માં તે મગ્ન થઈ જાય છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 27
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ક્રિયા યોગનું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 26
આજના અધ્યાયમાં આપણે પરમ યશસ્વી સમ્રાટ ઈલા નંદન પુરૂરવાના વૈરાગ્ય વચનો સાંભળીશું. પુરૂરવા સ્વર્ગની અપ્સરા ઉર્વશી ના પ્રેમમાં આંધળા થઈ ગયા છે અને જ્યારે ઉર્વશી તેમને છોડીને ચાલી જાય છે ત્યારે તેમને વૈરાગ્ય જ્ઞાન થાય છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 25
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા ત્રણેય ગુણોની વૃત્તિઓનું નિરૂપણ સાંભળીશું. ભગવાન સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણ વચ્ચેના ભેદને બહુ જ અદભુત રીતે સમજાવે છે અને આપણને જણાવે છે એ ભગવાનની પ્રાપ્તિ માટે ના શક્તિ એ જ પ્રગતિનો માર્ગ છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 24
આ અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સાંખ્ય શાસ્ત્રનો અભિપ્રાય સંભળાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 23
ઉદ્ધવજી પ્રશ્ન કરે છે કે દુર્જનો દ્વારા કરાયેલા તિરસ્કારને કેવી રીતે વશ ન થઈ શકાય. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ તે કશું બ્રાહ્મણની કથા કહે છે અને તેના દ્વારા આપણને આત્મા અને શરીર વચ્ચેનો ભેદ સમજાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 2
ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે કે પ્રકૃતિ અને પુરુષમાં ભિન્નતા અને અભિન્નતા કેમ જણાય છે. ભગવાન શ્રીકૃષ્ણ તેના ઉત્તરમાં તાતવજ્ઞાન અને આત્મજ્ઞાનનો ઉત્તમ સંદેશ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 22 Part 1
આજના અધ્યાયમાં આપણે તત્વોની સંખ્યા વિષે ઋષિઓમાં થયેલો મતભેદ અને તેના વિષે ભગવાન શ્રીકૃષ્ણનો મત પણ જાણીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 2
આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ અને તેના રહસ્ય વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 21 Part 1
આજના અધ્યાયમાં આપણે ગુણદોષ ની વ્યવસ્થાના સ્વરૂપ વિષે ભગવાનનું વિવેચન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 20
ભગવાને જ્યારે કહ્યું કે ગુણદોષો પર દ્રષ્ટિ ન જવી એ જ સૌથી મોટો ગુણ છે, તે સંબંધમાં ઉદ્ધવજી વધારે વિશ્લેષણની વિનંતી કરે છે. તેના જવાબમાં ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનયોગ, કર્મયોગ, અને ભક્તિયોગ વિશેની ખુબ સુંદર છણાવટ કરે છે, અને ઉદ્ધવજીને જણાવે છે કે કયા પ્રકારની વ્યક્તિ કયા યોગમાં સ્થાપિત થાય છે અને કેવી રીતે ભગવાનને પ્રાપ્ત કરી શકે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 19
ઉદ્ધવજી ના પ્રશ્નો ના જવાબ માં ભગવાન શ્રી કૃષ્ણ તેમને જ્ઞાન, ભક્તિ, અને યમ નિયમ વગેરે સાધનોનું વર્ણન કરે છે, તે સુંદર વર્ણન આજના અધ્યાયમાં આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 18
વર્ણાશ્રમ ધર્મના નિરૂપણને આગળ વધારતા આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વાનપ્રસ્થાશ્રમ અને સન્યાસ આશ્રમ વિષયની છણાવટ સાંભળીશું. દરેક વર્ણાશ્રમ ભગવદ પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તેના વિશેનું અદભુત જ્ઞાન આજે આપણને મળશે.

Bhagvat Puran Skandh 11 Adhyay 17
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણે કરેલું વર્ણાશ્રમ ધર્મ નું નિરૂપણ સાંભળીશું. ખાસ કરી આપણે બ્રહ્મચર્યાશ્રમ અને ગૃહસ્થાશ્રમ વિશેની છણાવટ સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 16
જેમ ભગવત ગીતામાં ભગવાને અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવ્યું હતું, તે જ રીતે ભગવાન ઉદ્ધવજીને આ અધ્યાયમાં પોતાની વિવિધ વિભૂતિઓનું વર્ણન કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 15
ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે જ્યારે સાધક પોતાનું ચિત ભગવાન તરફ વળે છે ત્યારે અનેક સિધ્ધિઓ તેની સમક્ષ ઉપસ્થિતઃ થઈ જાય છે. આ ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ, તેમના લક્ષણ, અને તેમની પ્રાપ્તિ કઈ રીતે થાય છે એના વિશે ભગવાન આ અધ્યાયમાં ઉદ્ધવજીને જણાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 14
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણએ ઉદ્ધવજીને સમજાવેલ ભક્તિયોગ નો મહિમા અને ભગવાનનું ધ્યાન કેમ કરવું તેની વિધિ નું વર્ણન સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 13
સનકાદિ ઋષિઓએ પોતાના પિતા બ્રહ્માજીને પ્રશ્ન કર્યો છે કે ચિત્ત સ્વાભાવિક રીતે વિષયોમાં આસક્ત થઇ અને એમાં ઘૂસી જાય છે અને તે વિષયોનું વારંવાર ચિંતન કરે છે અને સાથે સાથે ભવસાગર પાર કરવા પણ ઇચ્છે છે તો આ જે દ્વિધાથી પાર ઉતરવાનો કયો ઉપાય છે. ભગવાન બ્રહ્માજી પાસે આનો જવાબ નથી અને ત્યારે બ્રહ્માજી ની સામે હંસરૂપે પ્રગટ થઈને શ્રી હરિ તત્વજ્ઞાનનો ઉપદેશ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 12
આ અધ્યાયમાં આપણે સત્સંગનો મહિમા અને કર્મ તથા કર્મ ત્યાગની વિધિ વિષે સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 11
આ અધ્યાયમાં આપણે બદ્ધ અને મુક્ત મનુષ્યના લક્ષણ વિષે સાંભળીશું. આપણે ભગવાનનો ભક્ત કેવો હોય તેના વિષે પણ જાણીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 10
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ લૌકિક અને પારલૌકિક ભોગનું નિરુપણ કરે છે. તેઓ જણાવે છે કે આ લોક ની જેમ પરલોક પણ દોષ યુક્ત છે. કારણકે, ત્યાં પણ જ્યારે પુણ્યની સમાપ્તિ થાય છે ત્યારે મનુષ્ય ને પાછો હાંકી કાઢવામાં આવે છે. અને એટલા માટે આત્મા ની સત્તાને સમજવાની જરૂર છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 9
અવધૂત દત્તાત્રેય ટીટોડી થી માંડીને ભમરી સુધી સાત ગુરુની કથા આ અધ્યાયમાં બહુ સુંદર રીતે વર્ણવે છે. ખાસ કરીને તેઓ વૈરાગ્ય વિષયનું જ્ઞાન પોતાના દેહમાંથી કેવી રીતે મળે છે તેના વિશે પણ જણાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ ઉદ્ધવજીને સમગ્ર આસક્તિઓનો પરિત્યાગ કરી ને સમદર્શી થઈ જવાની આજ્ઞા આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 8
અવધૂત દત્તાત્રેયજી અજગર થી માંડીને પિંગળા સુધીના નાવ ગુરુઓની કથા સંભળાવી ને યદુરાજને તેમનો મર્મ સમજાવે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 2
આજના અધ્યાયમાં આપણે યદુરાજ અને અવધૂત દત્તાત્રેય વચ્ચેનો સંવાદ સાંભળવો છે. એમના દ્વારા આપણે તેમને જુદા-જુદા ગુરુઓ પાસેથી કેવી સમજણ મેળવી છે એના વિશેની વાત જાણીશું. આ ઉપરાંત આપણે કબૂતરોની બહુ સુંદર એન્ડ મર્મથી ભરપૂર કથા સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 7 Part 1
જ્યારે ઉદ્ધવજી ભગવાનને નહીં જવાની પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન તેમને ખુબ સુંદર એવો ત્યાગ અને સંન્યાસ નો ઉપદેશ આપે છે. આ ઉપદેશને ઉદ્ધવજી ભગવાન પાસે સરળ શબ્દોમાં જણાવવાની માંગણી કરે છે. જેના જવાબમાં ભગવાન કલ્યાણમાર્ગનો ઉપદેશ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 6
બ્રહ્માજી સાથે બીજા દેવતાઓ આવી અને ભગવાનને હવે વૈકુંઠધામ પધારવા માટે વિનંતી કરે છે. ભગવાન તેમને જણાવે છે કે એકવાર યાદવ વંશનો અંત આવી જાય ત્યાર પછી તેઓ પાછા પધારશે. યાદવો પાસેથી ભગવાનની સાથે પ્રભાસ ક્ષેત્રમાં જવાની વાત સાંભળીને ઉદ્ધવજી મર્મની વાત સમજી જાય છે અને ભગવાન પાસે આવીને પ્રાર્થના કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 5
નીમીરાજા નો પ્રશ્ન કે ભક્તિ હીન મનુષ્ય ની ગતિ કેવી થાય છે, તેના વિશે આઠમા યોગીશ્વર શ્રી ચમસજી ખુબ સુંદર વાત કરે છે. ત્યારબાદ ની રાજા પૂછે છે કે ભગવાનની ભક્તિ કેવી રીતે કરવી. તેના જવાબમાં નાવમાં યોગીશ્વર શ્રી કરભાનજી ખુબ સુંદર રીતે દરેક યુગમાં ભગવાનની ભક્તિ કઈ રીતે થાય તેની છણાવટ કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 4
નીમીરાજાના પ્રશ્નના જવાબમાં યોગીશ્વર શ્રી દ્રુમિલજી આજના અધ્યાયમાં આપણને ભગવાન ના જુદા જુદા અવતારોનું વર્ણન સંક્ષેપમાં સંભળાવી રહ્યા છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 2
નીમીરાજાએ પ્રશ્ન કર્યો છે કે ભગવાનનું બ્રહ્મસ્વરૂપ શું છે અને કર્મયોગ દ્વારા ભગવાન એને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય તેના જવાબમાં યોગીશ્વર શ્રી પિપ્પલાયનજી અને આવીહોત્રજીએ બહુ સુંદર રીતે આપણને ભગવાનનું બ્રહ્મસ્વરૂપ અને કર્મયોગની છણાવટ કરી છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 3 Part 1
આજના અધ્યાયમાં આપણે નિમિરાજા એ કરેલો પ્રશ્ન કે માયાનું સ્વરૂપ શું છે અને માયાથી પાર કેવી રીતે ઉતારી શકાય તેનો જવાબ યોગીશ્વર શ્રી અંતરીક્ષજી અને શ્રી પ્રબુદ્ધજીની વાણીમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 2
રાજા નીમી યોગીશ્વરો ને પ્રશ્ન કરે છે કે ભગવત ભક્તિનું સરળ સાધન કયું છે અને ભગવદ ભક્ત ને ઓળખવો કઇ રીતે. તેના વિશે યોગીશ્વરો ખૂબ જ સુંદર સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 2 Part 1
ભગવાન શ્રીકૃષ્ણની હાજરી હોવાથી દેવર્ષિ નારદજી વારંવાર દ્વારકા પધારે છે. એવા એક સમયે વસુદેવજી તેમને ભાગવત જ્ઞાન વિશે પ્રશ્ન કરે છે. તેના જવાબમાં નારદજી તેમને નીમી રાજા અને યોગીશ્વરો વચ્ચેના સંવાદની વાત કરે છે.

Bhagvat Puran Skandh 11 Adhyay 1
અગિયારમાં સ્કંધના પહેલા અધ્યાયમાં યાદવોને ઋષિઓએ શાપ કેમ આપ્યો તેના વિશેની વાત આપણે જાણીશું. બીજા બધા શત્રુઓનો નાશ થતા યાદવો હવે ખૂબ શક્તિશાળી થઈ ગયા છે અને તેથી તેમનામાં ખૂબ ઉદંડતા વ્યાપી ગઈ છે. ભગવાન આનાથી ખૂબ ચિંતિત છે અને યાદવ વંશ નો સર્વનાશ કરવાનો વિચાર કરી રહ્યા છે. તે તરફ ની ગતિ વિશે આપણે આજે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 2
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન આગળ ધપાવીશું. આપણે યાદવોમાં આવી રહેલી ઉદંડતા જોઈને ભગવાનનો યાદવવંશનો વિનાશ તરફનો સંકેત પણ જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 90 Part 1
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના લીલા વિહાર નું વર્ણન સાંભળીશું. આપણે ભગવાન શ્રીકૃષ્ણની રાણીઓમાં વિરહની વેદના વિષે પણ સાંભળીશું. ભગવાન ની રાણીઓ જ્યારે ભગવાન તેમની પાસે નથી ત્યારે વિરહમાં પક્ષીઓને, વૃક્ષોને, પર્વતોને ,અને નદીઓને પૂછે છે કે તમને પણ અમારા જેવી વેદના થાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 2
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુને કેવી રીતે એક બ્રાહ્મણના મૃત્યુ પામેલા બાળકોને પાછા પૃથ્વી પર લાવ્યા તેની કથા સાંભળવી છે. આ કથામાં આપણે ભગવાન વિષ્ણુ દ્વારા પોતાની જાતને હવે પૃથ્વી પરથી પાછા વૈકુંઠ લોકમાં લાવવાની વાત પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 89 Part 1
ઋષિઓમાં વાદ-વિવાદ થયો છે કે બ્રહ્મા, વિષ્ણ અને મહેશમાં સૌથી મોટું કોણ. આથી ત્રણેયની પરીક્ષા લેવા માટે તેઓ ભૃગુઋષિને મોકલે છે. તે કસોટીની વાત અને ઋષિઓના નિર્ણય વિષે આપણે આજના અધ્યાયમાં જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 88
ભગવાન શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને જણાવે છે કે તેમનામાં, શિવજીમાં એન્ડ બ્રહ્માજીમાં વરદાન આપવાનો ભેદ શો છે. શુકદેવજી પરીક્ષિતને વૃકાસુરની કથા સંભળાવે છે જેમાં ભગવાન શંકર વરદાન આપીને પોતે જ કષ્ટમાં મુકાઈ જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 3
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેમ ભોગ અને માયામાં અટવાઈને પરમાત્મા તરફની પોતાની ગતિમાંથી ચલિત થઇ જાય છે તેના વિષે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 2
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે જીવ કેવી રીતે પરબ્રહ્મને પામી શકે તેના વિષે શ્રુતિઓએ કરેલ વ્યાખ્યાન સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 87 Part 1
આજના અધ્યાયમાં આપણે શ્રુતિઓએ કરેલી ભગવાનની સ્તુતિ સાંભળીશું. ખાસ કરીને આપણે બ્રહ્મ અને પરબ્રહ્મ વચ્ચે શું સંબંધ છે તેની છણાવટ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 2
પોતાના ભક્તોની મનોકામના પૂરી કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ મિથિલા પુરીમાં રાજા બહુલાશ્વ અને શ્રુતદેવ નામના બ્રાહ્મણના ઘરે પોતાના દર્શન આપવા માટે જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 86 Part 1
આજના અધ્યાયમાં આપણે અર્જુને સુભદ્રાજીનું હરણ કેવી રીતે કર્યું તેના વિશેની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 2
દેવકીજી પોતાના પુત્ર કૃષ્ણ અને બલરામજીને કહે છે કે તમારી પહેલા જન્મેલા મારા બીજા છ પુત્રોને પાછા લાવી આપો. એટલે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી સુતલ લોક માં જઈને રાજા બલિ પાસેથી તે પુત્રોને પાછા લાવી આપે છે. માતા દેવકી તેમને જોઈને હર્ષ પામે છે અને ત્યારબાદ તે પુત્રો તેમના દેવસ્થાને પહોંચી જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 85 Part 1
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના પિતા વસુદેવજીને આપેલું બ્રહ્મજ્ઞાન વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 2
કુરુક્ષેત્રમાં ભેગા થયેલા બધા ઋષિઓને વસુદેવજી પ્રશ્ન કરે છે કે જીવનમાં દેવતાઓ, ઋષિઓ અને પિતૃઓનું ઋણ કઈ રીતે ઉતારવું. ઋષિઓ તેના વિશે વસુદેવજીને સુંદર સલાહ આપે છે અને ભગવાન શ્રીકૃષ્ણની ઉમદા સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 84 Part 1
આજના અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા મૂર્તિ પ્રથા અને જડ વસ્તુઓમાં ભગવાન શોધવાનો આપણો પ્રયત્ન તેનું ખંડન કરવામાં આવ્યું છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 83
આજના અધ્યાયમાં આપણે ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત અને ભગવાનની સ્તુતિ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 82
સર્વગ્રાસ સૂર્યગ્રહણના સમયે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને અનેક યાદવો સહિત ઘણા બધા લોકો આખા ભારતવર્ષમાંથી પોતપોતાના કલ્યાણ માટે અને પુણ્ય પ્રાપ્ત કરવા માટે કુરુક્ષેત્રમાં આવ્યા. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી સાથે ગોપ ગોપીઓનું પણ મિલન થાય છે, તેની વાત આજના અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 81
સુદામાજીના હાથમાંથી ભગવાન શ્રી કૃષ્ણ પૌઆની પોટલી ઝુંટવી લે છે. તેમાંથી તેઓ એક મુઠ્ઠી પૌઆ આરોગે છે. થોડા સમય બાદ જ્યારે સુદામાજી પોતાના ઘરે પાછા આવે છે ત્યારે અદભુત સંપત્તિ જોઈએ આશ્ચર્ય પામે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 80
આ અધ્યાયમાં આપણે સુદામાજી અને તેમની પત્ની વચ્ચેનો સંવાદ, અને ત્યારબાદ સુદામાજીનું શ્રી કૃષ્ણ ના મહેલમાં પધારવું અને તેમના મિલન તથા તેમણે સાંદિપની ઋષિના આશ્રમમાં ગાળેલી પળો વિશે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 79
ઋષિઓની સૂચના પ્રમાણે બલવલનો વધ કરીને ભગવાન બલરામજી એક વર્ષના પ્રાયશ્ચિત માટે ની યાત્રા પર નીકળે છે. તે દરમિયાન તેઓ કુરુક્ષેત્રમાં ભીમ અને દુર્યોધન વચ્ચે ગદા યુદ્ધ નિહાળીને તેમને રોકવાનો પણ પ્રયત્ન કરે છે. જ્યારે તેમને સમજાય છે કે આ વ્યર્થ છે ત્યારે તેઓ ત્યાંથી પાછા પોતાની યાત્રા પર નીકળી જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 78
શાલ્વનો વધ થતાં તેનો મિત્ર દંતવક્ત શ્રી કૃષ્ણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે પગપાળો ચાલી આવે છે અને ગદા યુદ્ધ આદરે છે. ભગવાન તેનો પણ ઉદ્ધાર કરે છે. દંતવક્ત ભગવાનનો પાર્ષદ છે તેથી તેનો આત્મા ભગવાન માં સમાઈ જાય છે. ત્યારબાદ ભગવાન તેના પુત્ર વિદુરથનો પણ ઉદ્ધાર કરે છે. આ તરફ પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધની તૈયારી થઈ રહી છે તે જાણતા તટસ્થ એવા બલરામજી તીર્થયાત્રા પર નીકળી જાય છે અને ત્યાં તેમના હાથે રોમહર્ષણજી જે સુતજીના પિતા છે તેમનો વધ થાય છે. ત્યાં રહેલા ઋષિઓ બલરામજીને તેમના પ્રાયશ્ચિત માટેની સૂચના આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 77
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણને બલરામજી ઇન્દ્રપ્રસ્થ થી પાછા આવે છે ત્યારે ભગવાન પોતાના સારથી ને શાલ્વ પાસે લઈ જવાની આજ્ઞા કરે છે અને તેની સાથે યુદ્ધ કરે છે. ભગવાન શાલ્વનો ઉદ્ધાર કરે છે અને તેના વિમાનને પણ તહસ-નહસ કરી નાખે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 76
શિશુપાલનો વધ થયો છે તે જાણીને તેનો મિત્ર શાલ્વ ભગવાન પશુપતિનાથની આરાધના કરીને તેમની પાસેથી એક અજય તેવું વિમાન માંગે છે. આ વિમાન લઇ ને તે દ્વારિકા પર આક્રમણ કરી દે છે. ભગવાન ના પુત્ર પ્રદ્યુમ્નનજી આ આક્રમણ નો સામનો કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 75
રાજસૂય યજ્ઞમાં યુધિષ્ઠિરે બધા જ ભાઈ બંધુઓને ચોક્કસ કામ આપીને દરેકને સાથે રાખ્યા હતા. પરંતુ રાજસૂય યજ્ઞ અને યુધિષ્ઠિર ની સંપતિ અને ઇન્દ્રપ્રસ્થ પ્રતિષ્ઠા દુર્યોધન સાંખી શકતો નથી. તેના મનમાં ખૂબ ઈર્ષા ભરાઈ ગઈ છે. દ્રૌપદી પ્રત્યે પણ તેને ખૂબ આસક્તિ છે .આ દરમિયાન એક દિવસ ઇન્દ્રપ્રસ્થ ની સભામાં જળ ને સ્થળ અને સ્થળને જળ માનીને દુર્યોધન જળ માં પડી જાય છે અને આ અપમાન સહન કરી શકતો નથી.

Bhagvat Puran Skandh 10 Adhyay 74
યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં સહદેવજી એ પ્રસ્તાવ મૂક્યો કે અગ્ર પૂજા ભગવાન શ્રીકૃષ્ણની થવી જોઈએ. આ સાંભળીને મોટાભાગના લોકોએ સંમતિ દર્શાવી. પરંતુ શિશુપાલ ખૂબ ઉગ્ર થઈને ભગવાનને ભરી સભામાં અપશબ્દો કહેવા લાગ્યો. જ્યારે તેના પાપનો ઘડો ભરાઈ ગયો ત્યારે, ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના સુદર્શન ચક્રથી તેનો ઉદ્ધાર કર્યો.

Bhagvat Puran Skandh 10 Adhyay 73
જરાસંધના કારાવાસમાંથી છુટેલા રાજાઓને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા અને રાજાઓએ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરી. ત્યારબાદ તેમને યથાયોગ્ય રીતે તૈયાર કરીને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને તેમના રાજ્યમાં મોકલી આપ્યા. ત્યારબાદ ભગવાન અર્જુન અને ભીમ ની સાથે ઇન્દ્રપ્રસ્થ પાછા આવ્યા.

Bhagvat Puran Skandh 10 Adhyay 72
રાજા યુધિષ્ઠિર ભગવાન પાસે રાજસૂય યજ્ઞ કરવા માટે સંમતિ માગે છે. ત્યારબાદ તેઓ પોતાના ભાઈઓને દિગ્વિજય કરવા માટે મોકલે છે. એવા સમાચાર મળતા કે જરાસંધ પર હજી સુધી વિજય મળ્યો નથી, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ, અર્જુન અને ભીમ ને લઈને જરાસંઘ ની રાજધાની પહોંચે છે, અને યુદ્ધ માટે માંગણી કરે છે. 27 દિવસ સુધી જરાસંધ અને ભીમ ની વચ્ચે દ્વંદ યુદ્ધ થાય છે. ત્યારબાદ 28 માં દિવસે ભીમ ભગવાન પાસે આવે છે, અને જરાસંધને મારવા માટેની યુક્તિ માટે મદદ માંગે છે. શ્રીકૃષ્ણએ બતાવેલી યુક્તિ પ્રમાણે ભીમ જરાસંધનો ઉદ્ધાર કરે છે અને બંદી રાજાઓને મુક્ત કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 71
જરાસંધના દૂતની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ તેને વચન આપે છે કે તેઓ બંદી રાજાઓને જરાસંધના પ્રકોપમાંથી છોડાવી લે શે. ત્યારબાદ ઉદ્ધવજી ની સલાહ પ્રમાણે ભગવાન તેમની પત્નીઓ અને મોટો રસાલો લઈને ઇન્દ્રપ્રસ્થ પહોંચે છે, જ્યાં રાજા યુધિષ્ઠિર રાજસૂય યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 70
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની નિત્ય ચર્યા વિશે સાંભળીશું. આપણે જાણીશું કે ગૃહસ્થએ કેવી રીતે પોતાની દિનચર્યા બનાવવી જોઈએ. ત્યારબાદ આપણે યાદવ સભામાં આવેલા જરાસંધના કેદી રાજાઓના દૂતનું ભાષણ પણ સાંભળીશું .

Bhagvat Puran Skandh 10 Adhyay 69
આજના અધ્યાયમાં આપણે દેવર્ષિ નારદજીને જોયેલી ભગવાનની દિનચર્યા વિષે સાંભળીશું. ભગવાનની યોગમાતા અનંત છે અને નારદજીએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 68
શ્રીકૃષ્ણના મહાબળશાળી પુત્ર સામ્બે દુર્યોધનની પુત્રી લક્ષ્મણાનું હરણ કર્યું. આ સાંભળીને કૌરવો ખુબ ગુસ્સે થયા અને છ મહારથીઓએ સાંબનો પીછો કર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. તેઓએ જયારે સામ્બને બંદી બનાવી લીધો ત્યારે બલરામજીના નેજા હેઠળ યાદવો કૌરવોને મળવા માટે હસ્તિનાપુર આવ્યા. બલરામજી કૌરવો પર કેમ કોપાયમાન થયા અને શું કર્યું તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 67
પોતાના મિત્ર ભૌમાસુરનો વધ ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો છે તે જાણીને દ્વિવિદ નામનો એક મહાશક્તિશાળી વાનર આનર્ત પ્રદશૅમા ઉત્પાત મચાવવા લાગ્યો. એક દિવસ તેણે રૈવતાચલ પર્વત પર વિહાર કરી રહેલા બલરામજીને લલકાર્યા અને તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં બલરામજીએ દ્વિવિદનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની કથા આજના અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 66
અજ્ઞાનીઓથી ઘેરાયલા રાજા પૌણ્ડ્રકના મનમાં એવું ઠસી ગયું હતું કે તેઓ જ ભગવાન વાસુદેવ છે. જયારે તેમણે ભગવાન શ્રીકૃષ્ણ ને આ સંદેશો મોકલ્યો અને યુદ્ધ માટે લલકાર્યા ત્યારે તેમની વચ્ચેના યુદ્ધમાં પૌણ્ડ્રક અને તેના અજ્ઞાની મિત્રોનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણએ કર્યો તેની કથા આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 65
આજના અધ્યાયમાં આપણે બલરામજીની વ્રજ યાત્રા વિષે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 64
આજના અધ્યાયમાં આપણે નૃગ રાજાની કથા સાંભળીશું. તેઓ વિશ્વાસ છે ઈશ્વાકુ ના પુત્ર છે અને અજાણતાંજ બ્રાહ્મણને અન્યાય કરવાથી તેઓ કાચીંડાના રૂપમાં જન્મ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના હાથનો સ્પર્શ થતાંજ તેઓ મનુષ્યરૂપ ધારણ કરે છે અને પોતાની કથા કહે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 63
એવી જાણ થતાં કે અનિરુદ્ધને બાણાસુરે નાગપાશમાં બાંધી દીધા છે, શ્રી કૃષ્ણ યાદવ સેનાને લઈને શોણિતપુર જે બાણાસુરની નગરી છે તેના પર આક્રમણ કરી દે છે. આ નગરી નું રક્ષણ ભગવાન શ્રી શંકર ખુદ કરે છે. તેથી ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શંકર વચ્ચે મહાયુદ્ધ થાય છે. ત્યારબાદ બાણાસુરના અહમને નષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ બાણાસુરના હજારમાંથી માત્ર ચાર જ હાથ બાકી રહેવા દે છે અને ભગવાન શંકર વિનંતી પ્રમાણે તેને જીવતો છોડી દે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 62
બલિરાજા ના સૌથી મોટા પુત્ર બાણાસુરની પુત્રી ઉષા, સ્વપ્નનાં એક સુંદર પુરૂષને જુએ છે અને તેને મનમાં જ વરી લે છે. તેની મિત્ર ચિત્રલેખા સુંદર ચિત્ર દ્વારા એ પ્રસ્થાપિત કરે છે કે ઉષાએ સ્વપ્નમાં જોયેલ વ્યક્તિ શ્રી કૃષ્ણના પૌત્ર અનિરૂદ્ધ છે. યોગમાયા દ્વારા તે અનિરુદ્ધને ઉષાના મહેલમાં લઈ આવે છે અને ત્યાં ઉષા અને અનિરુદ્ધની વચ્ચે પ્રણયફાગ ખીલે છે. બાણાસુરને આની જાણ થતા તે પોતાના સૈનિકોને લઈને અનિરુદ્ધ પર આક્રમણ કરે છે અને ત્યારબાદ તેમને નાગપાશમાં બાંધી દે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 61
આજના અત્યારે આપણે ભગવાનના સંતાનો અને અનિરુદ્ધ વિવાહ વિશે સાંભળીશું. આપણે બલરામજી સાથે રુક્મિએ કરેલી છળકપટ ની વાત અને બલરામજી દ્વારા રુક્મિના માર્યા જવાની વાત પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 2
ભગવાનના વ્યંગનો મર્મ સમજી જતા રુક્મણિજી ભગવાને દર્શાવેલા રૂપકની છણાવટ કરે છે. એમની વચ્ચેનો આ સુંદર સંવાદ ગૃહસ્થ જીવનની એક લાક્ષણિકતાને રજૂ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 60 Part 1
હાસ્ય અને વ્યંગનો ઉપયોગ કરીને ભગવાન શ્રીકૃષ્ણ રુક્મિણીજી માં વધી રહેલા અહમને ઓછો કરવા માટે જણાવે છે કે શું એમની વચ્ચે નું મિલન યોગ્ય છે? આ સાંભળીને રુક્મિણીજી ઉદાસ અને ત્રાહિત થઈ જાય છે. આ જોઈને ભગવાન રુક્મિણીજીને સંભાળી લે છે અને તેમને પોતાના પ્રેમનું વચન આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 59
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના દ્વારા ભૌમાસુર નો ઉદ્ધાર કેવી રીતે થયો, અને ભગવાને સોળ હજાર રાજકુમારીઓને પોતાની પત્ની બનાવી, તેના વિશે જાણીશું. ભગવાન શ્રીકૃષ્ણએ સત્યભામાની વિનંતીથી, કલ્પવૃક્ષ, સ્વર્ગમાંથી દ્વારિકાના બગીચામાં સ્થાપિત કર્યું તેના વિશે પણ જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 58
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના બીજા લગ્નની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 57
જ્યારે પાંડવો નું લાક્ષાગૃહમાં મૃત્યુ થયું છે તેવા સમાચાર સાંભળ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના હસ્તિનાપુર ગયા છે, ખરખરો કરવા માટે. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકામાં ન હોવાથી શતધન્વા જે એક પાપી પુરુષ છે, તે કૃતવર્મા અને અક્રૂરજી ના ચઢાવવાથી, સત્રાજીત નો વધ કરે છે અને સ્યમંતક મણિ છીનવી લે છે. સત્યભામા હસ્તિનાપુર જઈને શ્રીકૃષ્ણને આ વાતની જાણ કરે છે. શ્રીકૃષ્ણ શતધન્વાનો વધ કરે છે અને ત્યાર બાદ અક્રૂરજી ને બોલાવીને તેમની પાસેથી સ્યમંતક મણિ હાંસલ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 56
આજના અધ્યાયમાં આપણે સ્યમંતક મણિ અને ભગવાન શ્રીકૃષ્ણનું જાંબુવાન સાથે યુદ્ધ તથા જાંબુવતી અને સત્યભામા સાથે શ્રીકૃષ્ણના વિવાહની વાત કરીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 55
શંકર ભગવાનના પ્રકોપથી ભસ્મ થયેલા કામદેવ, શ્રી કૃષ્ણ દ્વારા રુકમણીજીના બાળક થઈને ઉત્પન્ન થયા અને પ્રદ્યુમ્ન નામથી જગતમાં પ્રસિદ્ધ થયા. તેઓ દસ દિવસના હતા તે પહેલાં જ શમ્બરાસુર નામના એક અસૂરે તેમનું સૂતિકાગૃહમાંથી અપહરણ કર્યું અને દરિયામાં નાખી દીધા. વિધિના વિધાને પ્રદ્યુમ્નને પાછા શમ્બરાસુરના મહેલમાં જ લાવી દીધા અને ત્યાં પ્રદ્યુમ્નએ તે અસુરનો વધ કર્યો, રતી સાથે વિવાહ કરયા અને દ્વારિકા પાછા આવ્યા.

Bhagvat Puran Skandh 10 Adhyay 54
રુક્મિણીનાં હરણની વાત સાંભળતા અને તેને પ્રત્યક્ષ જોતા રાજાઓ ખૂબ ગુસ્સે થઈને શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કરવા માટે દોડ્યા. શ્રી કૃષ્ણ અને યાદવ સેનાએ તે બધા ને હરાવી દીધા. શિશુપાલને જરાસંધ એ ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો કે આ કાળ નો નિયમ છે. ક્યારેક જીત થાય છે અને ક્યારેક હારી જવાય છે. રુકમણીજીના ભાઈ રુક્મિએ ભગવાન શ્રીકૃષ્ણને લલકાર્યા અને યુદ્ધમાં ભગવાને તેના કેશ અને દાઢી મુછ કાપીને કુરૂપ કરી નાખ્યો. ત્યારબાદ બલરામજીએ રુકમણીજી અને શ્રી કૃષ્ણ સુંદર સંદેશો આપ્યો અને તેમના વિવાહ માટેની તૈયારી કરી.

Bhagvat Puran Skandh 10 Adhyay 53
રુક્મિણીનો સંદેશ મળ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ પોતાના રથ પર બ્રાહ્મણ દેવતા સાથે સવાર થઈને એક જ રાત્રિમાં વિદર્ભપ્રદેશ પહોંચી ગયા. તેમની પાછળ બલરામજી પણ યાદવ સેનાને લઈને ત્યાં પહોંચ્યા. જ્યારે રુક્મિણીજી ગિરિજા મંદિરમાંથી બહાર આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ તેમનું હરણ કરી લીધું.

Bhagvat Puran Skandh 10 Adhyay 52
રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કરીને ભગવાન શ્રી કૃષ્ણ મથુરા પાછા પહોંચ્યા અને કાલયવનની સેનાનો સંહાર કર્યો. ત્યારબાદ જ્યારે તેઓ દ્વારકા જઈ રહ્યા હતા ત્યારે જરાસંધએ ૧૮મી વાર તેમની પર આક્રમણ કર્યું. શ્રી કૃષ્ણ અને બલરામ ત્યાંથી ભાગી છુટ્યા અને દ્વારિકા પહોંચ્યા. થોડા દિવસોમાં ભીષ્મકનંદિની રુક્મિણીજીએ બ્રાહ્મણ દેવતા દ્વારા શ્રીકૃષ્ણને પોતાનો સંદેશો મોકલ્યો. રુક્મિણીજીએ કહ્યું કે મેં તમને મન થી જ પતિ માની લીધા છે અને તમે મારું હરણ કરી અને મને અપનાવી લો.

Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 2
ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આજે આપણે સાંભળીશું. રાજા મુચુકુન્દએ કરેલી ભગવાનની સુંદર સ્તુતિ પણ માણીશું. ભગવાન શ્રી કૃષ્ણ રાજા મુચુકુન્દને આદેશ આપે છે કે હવે તમે તપસ્યા કરીને તમારા તમામ પાપોને ધોઈ નાખો. ત્યારબાદ આવતા જન્મમાં તમે બ્રાહ્મણ બનશો અને પછી મને પ્રાપ્ત કરી લેશો.

Bhagvat Puran Skandh 10 Adhyay 51 Part 1
દ્વારિકા પુરી નું નિર્માણ કર્યા બાદ ભગવાન બધા યાદવોને પોતાની યોગશક્તિથી દ્વારિકા પહોંચાડી દે છે. ત્યારબાદ કોઈપણ અસ્ત્રશસ્ત્ર લીધા વિના તેઓ કાલયવનની સાથે યુદ્ધ કરવા માટે મથુરા ની બહાર નીકળી આવે છે. જ્યારે કાલયવન યુદ્ધ કરવા માટે તેમની તરફ દોડે છે, ત્યારે ભગવાન પોતે રણછોડ બનીને યુદ્ધભૂમિમાં થી ભાગી નીકળે છે અને પર્વતની એક ગુફામાં જઈને સંતાઈ જાય છે. કાલયવન જ્યારે એ ગુફામાં પ્રવેશે છે ત્યારે ત્યાં એક સૂતેલા પુરૂષને જુએ છે અને તેને લાત મારીને જગાડે છે. આ પુરુષ રાજા માંધાતા ના મહાવીર પુત્ર મુચુકુન્દ છે. જે આંખો ખોલતા જ કાલયવનને ભસ્મીભૂત કરી દે છે. ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણ અને મુચુકુન્દ વચ્ચેનો સંવાદ આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 50
કંસની બે રાણીઓ જરાસંધ ની પુત્રી હતી. કંસ વધ બાદ તે બે પુત્રીઓ પોતાના પિતા જરાસંધ પાસે પહોંચીને તેમના પિતાને પોતાના પતિના મૃત્યુનો બદલો લેવા માટે વિનંતી કરે છે. જરાસંધ 23 અક્ષોહિણી સેના લઈને મથુરા પર આક્રમણ કરે છે અને આવી રીતે ૧૭ વખત આક્રમણ કરે છે અને દર વખતે હારી ને પાછો આવે છે. જ્યારે જરાસંધ ૧૮મી વખત મથુરા પર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે ત્યારે નારદજીનો મોકલેલો કાલયવન પણ મથુરા પર આક્રમણ કરે છે. મથુરા તરફ બે તરફથી થતા આક્રમણ ને ટાળવા માટે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારિકા પુરી નું નિર્માણ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 49
ભગવાન ના આદેશ પ્રમાણે અક્રૂરજી હસ્તિનાપુર પહોંચીને ત્યાંની પરિસ્થિતી અને ધૃતરાષ્ટ્ર દ્વારા પાંડવો સાથે થતા અન્યાયને જોઈ રહ્યા છે. ત્યાંથી વિદાય થતાં પહેલા તેઓ ધૃતરાષ્ટ્રને ખૂબ સારી રીતે સમભાવ કેળવવા વિશેની સલાહ આપે છે. ધૃતરાષ્ટ્ર સલાહ સ્વીકારી શકતા નથી. અક્રૂરજી આ બધી વાત પાછા આવીને શ્રીકૃષ્ણને જણાવે છે. દસમા સ્કંધના ઉત્તરાર્ધનો આ છેલ્લો અધ્યાય છે

Bhagvat Puran Skandh 10 Adhyay 48
ઉદ્ધવજીના આવ્યાના થોડા દિવસ બાદ ભગવાન કુબ્જાના ઘરે વચન આપ્યા પ્રમાણે પહોંચ્યા છે. કુબ્જાની સાથે સમય વિતાવ્યા બાદ ભગવાન થોડા દિવસ પછી અક્રૂરજી ને ત્યાં પધારે છે અને અક્રૂરજી ને હસ્તિનાપુર જવાનો અને પાંડવોના હાલચાલ જાણી લાવવાનો આદેશ કરે છે. આજના અધ્યાયમાં આપણે જુદા જુદા ભક્તોની ભગવાન પાસે ની કામના વિશે ચર્ચા કરીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 2
ઉદ્ધવજીએ ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ગોપીઓને આપ્યો છે. આ સંદેશો સાંભળીને ગોપીઓની વિરહની વ્યથા ઓછી થઈ છે. ઉદ્ધવજી કેટલાય મહિનાઓ સુધી વ્રજમાં રોકાય છે અને શ્રીકૃષ્ણની લીલા ચર્ચાઓમાં પોતાનો સમય પસાર કરે છે. ઘણો વખત થયા બાદ તેઓ મથુરા પાછા ફરે છે અને શ્રીકૃષ્ણને પોતાની વ્રજમાં વિતાવેલી પળો નો અહેવાલ આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 47 Part 1
નંદબાવાને ઘરે સોનાના રથને જોઈને ગોપીઓને શંકા જાય છે કે ક્યાંક અક્રૂરજી પાછા કશુંક લેવા માટે નથી આવ્યા ને. જયારે તેમને જાણ થાય છે કે આ તો ઉદ્ધવજી જે શ્રીકૃષ્ણ ના પ્રિય છે તે આવ્યા છે ત્યારે ગોપીઓ તેમની સાથે જે સંવાદ કરે છે, તે આજે આપણે સાંભળીશું. ભમરાનું રૂપક બનાવીને એક ગોપી ફરિયાદ કરે છે કે શું કૃષ્ણ અમારા દર્દ ને જાણે છે?

Bhagvat Puran Skandh 10 Adhyay 46
ઉદ્ધવજી, વૃષ્ણીઓમાં પ્રધાનપુરુષ, બૃહસ્પતિજીનાં શિષ્ય અને શ્રી કૃષ્ણના પરમપ્રિય હતા. તે ઉદ્ધવજીને ભગવાન પોતાનો સંદેશો લઈને વ્રજમાં મોકલે છે. તેમની નંદબાવાની સાથેની વાત આજે આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 45
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણ અને બલરામજીના, દેવકી વસુદેવ સાથેના મિલનની, તેમના યજ્ઞોપવિતની, સાંદિપની ઋષિના ગુરુકુળમાં પ્રવેશની, 64 દિવસમાં 64 કળા સખીવાની અને ગુરુદક્ષિણામાં સાંદિપની ઋષિના મૃત પુત્રને પાછો લઇ આવવાની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 44
ભગવાન શ્રીકૃષ્ણએ ચાણૂર વગેરે મલ્લના વદ્યનો અફર વિચાર કરી લીધો અને પછી તેઓ ચાણૂર સાથે અને બલરામજી મુષ્ટિક સાથે મલ્લયુદ્ધ કરવા લાગ્યા. તે મલ્લનો વધ કરી ને ત્યારેબાદ ભગવાન શ્રીકૃષ્ણ કંસ સાથે યુદ્ધ કરવા લાગ્યા અને કંસનો ઉદ્ધાર તેમને કેવી રીતે કર્યો તે આપણે આજના અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 43
કંસને ભીતિ લાગી છે અને એટલે મલ્લયુદ્ધની ઘોષણા કરી દીધી. બીજે દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના રંગભૂમિના દ્વાર પર પહોંચ્યા ત્યારે કુવલયાપીડ હાથી તેમનો રસ્તો રોકીને ઊભો હતો. તે હાથી નો વધ કરીને ભગવાન બલરામજી સાથે અખાડામાં પહોંચ્યા.

Bhagvat Puran Skandh 10 Adhyay 42
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણએ કુબ્જા પર કઈ રીતે કૃપા કરી અને ધનુષ્ય ભંગ કેવી રીતે કર્યો તેના વિષે સાંભળીશું. કંસના હૃદયમાં ભીતિ પેઠી છે તેની વાત પણ જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 41
અક્રૂરજી સાથે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી મથુરા નગરી ના દ્વારે પોહ્ચ્યા છે. અક્રૂરજી ભગવાનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના સખા સાથે મથુરા નગર ની બહાર રોકાય છે. બીજે દિવસે સવારે શ્રી કૃષ્ણ, બલરામજી અને ગોપબાળો નગર જોવા માટે નીકળે છે અને તેમની મુલાકાત એક ધોબી, દરજી અને માળી સાથે થાય છે. આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીની મથુરા યાત્રા વિશે સાંભળીશું. આપણે સુદામા માળી એ કરેલી ભગવાનની નમ્ર સ્તુતિ પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 40
અક્રૂરજી એ જમના જળમાં જ્યારે ડૂબકી મારી અને ભગવાનનાં દર્શન થયાં છે ત્યારે તેમનામાં પરમ ભક્ત ભાવ ઉમટી પડ્યો છે. આ અધ્યાયમાં આપણે અક્રૂરજી દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ જુદા જુદા રૂપની સ્તુતિ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 39
આજના અધ્યાયમાં આપણે શ્રીકૃષ્ણના અને બલરામજીના મથુરા ગમન ની વાત કરવી છે. અક્રૂરજી જ્યારે શ્રીકૃષ્ણ અને બલરામને નંદબાવાની અને ગોપોની સાથે મથુરા લઈ જવા તૈયાર થયા છે, ત્યારે ગોપીઓ વિધાતાને આરોપ આપતા કહે છે કે અમારા શ્યામસુંદરને અમારી પાસેથી ન લઈ જાવ. ગોપીઓની આ વેદના ને આ અધ્યાયમાં વ્યાસજીએ બહુ માર્મિક રીતે વ્યક્ત કરી છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 38
અક્રૂરજી ભગવાનના પરમભક્ત છે. જયારે કંસ તેમને વ્રજ જવાની આજ્ઞા આપે છે ત્યારે તેઓ આખો વખત ભગવાન વિષે જ વિચારી રહ્યા છે. તેમની વ્રજયાત્રા વિષે આપણે આજે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 37
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કેશી અને વ્યોમાસુરનો ઉદ્ધાર કેવી રીતે થયો તેના વિષે જાણીશું. આપણે નારદજીએ કરેલી ભગવાનની અદભુત સ્તુતિ પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 36
અરિષ્ટાસુર બળદનું રૂપ લઇ અને વ્રજમાં ઘુસી આવ્યો છે, તેનો ઉદ્ધાર ભગવાન શ્રીકૃષ્ણ કરે છે. બીજી તરફ નારદજી કંસને તેની ભવિષ્યવાણી અને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી વિષે જણાવે છે. આ સાંભળતા કંસ ષડયંત્રની રચના કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 35
ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે દરરોજ વનમાં જતા તયારે ગોપીઓનું ચિત્ત તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રીકૃષ્ણનું ચિંતન કરતુ રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી રહેતી. આ યુગલ ગીત આજના અધ્યાય આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 34
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વિદ્યાધર સુદર્શન અને યક્ષ શંખચૂડનો ઉધ્ધાર થયો તેના વિશેની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 2
ભગવાનના મહારાસ વિશે પરીક્ષિતને પ્રશ્ન થયો છે. તેના જવાબમાં શુકદેવજી તેને તત્વજ્ઞાનની વાત સમજાવે છે. આ વાતની મીમાંસા અને તેની પાછળના ઉદ્દેશ્ય વિશે આપણે આજે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 33 Part 1
ભગવાન શ્રીકૃષ્ણની સુમધુર વાણી સાંભળીને ગોપીઓનો વિરહ દૂર થઈ ગયો. અને પોતાના પ્રાણપ્રિયના અંગ-સંગથી તેઓ કૃતાર્થ થઈ ગઈ. પોતાની દિવ્ય શક્તિથી ભગવાન દરેક ગોપીઓની પાસે પોતાનું રૂપ લઈ અને ઊભા રહી ગયા અને ત્યારબાદ તેમણે મહારાસની રચના કરી.

Bhagvat Puran Skandh 10 Adhyay 32
ભગવાન શ્રી કૃષ્ણની પ્રિય ગોપીઓ વિરહના આવેશમાં જાતજાતના ગીત પ્રહલાદ કરવા લાગી અને શ્રીકૃષ્ણના દર્શનની લાલસાથી પોતાને રોકી શકી નહીં અને રડવા લાગી. બરાબર તે જ વખતે ભગવાન શ્રીકૃષ્ણ તેમની વચ્ચે પ્રગટ થયા અને ગોપીઓને સાંત્વના આપી. તેમણે સમજાવ્યું કે ગોપીઓ હું તમને અતિ પ્રેમ કરું છું અને તમે આપેલા પ્રેમ સેવા અને ત્યાગનો બદલો હું જન્મોજન્મની ચૂકવી શકું એમ નથી. તેથી હું તમારો અનંતકાળ સુધી ઋણી રહીશ.

Bhagvat Puran Skandh 10 Adhyay 31
શ્રીકૃષ્ણના વિરહમાં ગોપીઓ પ્રથમ તેમને શોધવાનો પ્રયત્ન કરે છે. અને ત્યારબાદ ગોપી ગીત દ્વારા તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. તેમના વિરહની વેદનાને વ્યાસજીએ આ અધ્યાયમાં પતિ પ્રેમપૂર્વક વર્ણવી છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 30
ગોપીઓને રાસલીલા દ્વારા શ્રીકૃષ્ણ પોતાના હોવાનું અભિમાન થઇ જાય છે. આ જોઈને શ્રી કૃષ્ણ ત્યાંથી અંતર્ધ્યાન થઇ જાય છે. શ્રીકૃષ્ણને ન પામી શકતા ગોપીઓ ખૂબ વિહવળ બની જાય છે અને વિરહના શોકમાં ડૂબી જાય છે. તેઓ શ્રી કૃષ્ણ જેવી ચેષ્ટાઓ કરવા માંડે છે અને શ્રીકૃષ્ણને શોધવાનો પ્રયત્ન કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 2
શ્રી કૃષ્ણ જ્યારે પાછા વળવાનું કહે છે તે સાંભળીને ગોપીઓ બેબાકળી બની જાય છે. વ્યાકુળ બનીને તેઓ શ્રી કૃષ્ણને કહે છે કે તમે જ અમારા સખા અને તમે જ અમારા સ્વામી, એટલે અમને અપનાવી લો. તેમને સંતુષ્ટ કરવા માટે શ્રીકૃષ્ણ તેમની સાથે રાસલીલા રમે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 29 Part 1
શરદ ઋતુ આવી છે અને શ્રીકૃષ્ણ વેણુનાદ છોડ્યો છે. તેના મોહમાં ગોપીઓ બધુ મૂકીને, ભાન ભૂલીને, શ્રીકૃષ્ણ પાસે રાતના સમયે દોડી આવી છે. શ્રીકૃષ્ણ અત્યારે તેમને પાછા વળવાનું સમજાવે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 28
એકવાર નંદબાવા આસુરી કાળના સમયે યમુનાના જળમાં પ્રવેશી ગયા અને તે વખતે વરુણના એક સેવક તેમને પકડી લીધા અને પોતાના સ્વામી પાસે લઈ ગયો. શ્રીકૃષ્ણ પોતે વરુણ પાસે ગયા અને ત્યાંથી નંદજીને છોડાવી લાવ્યા. વરુણજીએ કરેલી ભગવાનની ખુબ સુંદર સ્તુતિ આજના અધ્યાયમાં આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 27
જ્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરીને મુશળધાર વરસાદથી વ્રજને બચાવી લીધું ત્યારે સ્વર્ગથી દેવરાજ ઇન્દ્ર પોતાના અપરાધની ક્ષમા કરાવવા માટે આવ્યા. આ સમયે કામધેનુ એ ભગવાનનો અભિષેક કર્યો. ભગવાનની ખુબ સુંદર સ્તુતિ પણ આપણે આ અધ્યાય માં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 26
વ્રજના લોકો ભગવાન શ્રીકૃષ્ણના અલૌકિક કર્મ જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા છે. આ અધ્યાયમાં આપણે તેમણે કરેલા વિચાર-વિમર્શ વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 25
ગોવાળો જ્યારે ઈન્દ્ર ભગવાન નો યજ્ઞ કરવાનું બંધ કરી દેશે દે છે ત્યારે ગુસ્સે થઈને દેવરાજ ઇન્દ્ર આંધી અને વરસાદને વ્રજ પર મોકલી આપે છે. ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન ગિરિરાજ ગોવર્ધનને પોતાના જમણા હાથ પર ધારણ કરી લે છે. સાત દિવસ સુધી ઈન્દ્રએ મોકલેલા મેઘ અને આંધી ભગવાનના રક્ષણમાં રહેલા ગોવાળોને કશું પણ કરી શકતા નથી. ત્યારે ઇન્દ્રના ક્રોધનો અને અભિમાનનો નાશ થઈ જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 24
ઇન્દ્રના અભિમાનને તોડવા માટે ભગવાન નંદબાબા અને બીજા વયોવૃદ્ધ લોકો ને સમજાવે છે કે આપણે આપણા કર્મ ને આધિન રહીને તે જ પૂજા કરવી જોઈએ જે આપણને કર્મ કરવા માટે વસ્તુઓ પૂરી પાડે છે. આ પ્રમાણે જણાવીને તેઓ ગોવાળોને ગીરીરાજ ગાયો અને બ્રાહ્મણોની પૂજા કરવા વિશે પ્રેરિત કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 23
ભગવાન શ્રીકૃષ્ણ સાથે આવેલા ગોપ બાળકો ખૂબ દૂર સુધી ગાયો ચરાવવા નીકળી ચૂક્યા છે. ભૂખ લાગતાં તેઓ ભગવાન શ્રીકૃષ્ણને વિનંતી કરે છે કે અમને ભોજન અપાવો. ભગવાન તેમને અંગીરસ યજ્ઞ કરી રહેલા બ્રાહ્મણો પાસે મોકલે છે. જ્ઞાનથી અંધ બનેલા બ્રાહ્મણ ગોપ બાળકોનો તિરસ્કાર કરે છે. ત્યારબાદ ભગવાન તે બાળકોને બ્રાહ્મણોને પત્નીઓ પાસે ભોજન માંગવાનું કહે છે. બ્રાહ્મણોને પત્નીઓ ભગવાન ના ભક્તિ પ્રેમમાં ડૂબેલી છે અને ભગવાને ભોજન માગ્યું છે એવું સાંભળીને તરત જ ભગવાનને મળવા માટે અને ભોજન પીરસવા માટે નીકળી પડે છે. આ ઘટના દ્વારા ભગવાન આપણને ભક્તિ અને જ્ઞાન નો ભેદ સમજાવે છે. અને ક્યારેક જ્ઞાન ભગવાન ને પહોંચવા માં બાધારૂપ બની શકે છે તે પણ સમજાવે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 22
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણની ચીર હરણ લીલા વિશે સાંભળીશું. ચીર હરણ દ્વારા પણ ભગવાન આપણને આપણા કર્મ અને ધર્મ વિષયનું જ્ઞાન આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 21
ભગવાન શ્રીકૃષ્ણના વેણુનાદમાં ખોવાઈ ગયેલી ગોપીઓ આપસમાં ચર્ચા કરે છે કે આ આખું વિશ્વ કેવી રીતે આ વાંસળીના સૂરમાં ઓતપ્રોત થઇ ગયું છે અને કેવી રીતે પોતાની જાતને શ્રી કૃષ્ણ પર ન્યોછાવર કરી રહ્યું છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 20
ભગવાન શ્રીકૃષ્ણના અનેક પરાક્રમો સાંભળ્યા પછી હવે આ અધ્યાયથી આપણે શૃંગાર રસની વાત કરવી છે. આજના અધ્યાયમાં આપણે વર્ષાઋતુ અને શરદઋતુના વાતાવરણની અવલોકન કરીશું. આ અવલોકનોની સાથે વ્યાસજી તત્વજ્ઞાનની વાતો જોડી દે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 19
જ્યારે ગોપબાલો રમત માં ડૂબી ગયા છે, ત્યારે તેમની ગાયો ચરતી ચરતી મુંજ ધાસના વનમાં પહોંચી જાય છે. ત્યાં આગ લાગતા ગાયો અને ગોવાળ બધા ઘેરાઈ જાય છે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરે છે કે અમને બચાવો. તેમની પ્રાર્થના સાંભળીને ભગવાન તેમને દાવાનળમાંથી બચાવી લે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 18
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામે પ્રલમ્બાસુરનો ઉદ્ધાર કેવી રીતે કર્યો તેની વાત જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 17
કાલિયનાગ ના દમનની વાત સાંભળી, રાજા પરીક્ષિતને પ્રશ્ન થાય છે કે કાલિયનાગ યમુનાના ધરામાં આવ્યો કેમ. શ્રી શુકદેવજી આ ઘટનાનો પૂર્વાર્ધ અને ભગવાને વ્રજવાસીઓને દાવાનળથી કેવી રીતે બચાવ્યા તેની વાર્તા આ અધ્યાયમાં કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 16
રાજા પરીક્ષિતના પ્રશ્નના જવાબમાં શ્રી શુકદેવજી તેમને કાલિયનાગ કોણ હતો અને ભગવાન શ્રીકૃષ્ણએ કેવી રીતે તેનું દમન કર્યું તેની વાર્તા વિસ્તાર પૂર્વક જણાવે છે. કાલિયનાગનું દમન કાર્ય બાદ શ્રી કૃષ્ણ તેને તેના ધામ રમણકપુરી જવાનો આદેશ આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 15
ગાયો ચરાવતા ગોપોબાળો શ્રીકૃષ્ણ અને બલરામને તાડવનમાં રહેતા ધેનુકાસુર રાક્ષસ વિશે જણાવે છે. શ્રી કૃષ્ણ અને બલરામ તાડવનમાં પહોંચીને ધેનુકાસુર અને તેના સાથીઓનો ઉદ્ધાર કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 14
પોતાનો વિશ્વકર્તા હોવાનો મોહ નાશ થતાં બ્રહ્માજી ભગવાન શ્રીકૃષ્ણની અદભુત સ્તુતિ કરે છે. તે સ્તુતિ આજે આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 13
બ્રહ્માજીને વિશ્વકર્તા હોવાનો મોહ થયો છે અને તેથી તેમણે શ્રી કૃષ્ણના બધા સખા અને ગાયોને અદ્રશ્ય કરી દીધા છે. શ્રી હરિ આ બધું જાણતા હોવાથી આ બધાનું સ્વરૂપ લઇ લે છે અને એક વર્ષ સુધી આમ કરે છે. જયારે બ્રહ્માજીનો મોહ નાશ થઇ જાય છે ત્યારે તેઓ શ્રી હરિના ચરણોમાં ઝૂકી જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 12
કંસની આજ્ઞાથી અઘાસુર એક વિકરાળ અજગરનું રૂપ લઈને ગોપબાળોના માર્ગમાં આવી જાય છે. તેના ખુલ્લા મોઢાને ગુફા સમજીને ગોપબાળ અંદર જાય છે. જયારે શ્રી કૃષ્ણ પણ અંદર પ્રવેશે છે ત્યારે અઘાસુર પોતાનું મુખ બંધ કરી દે છે. શ્રી કૃષ્ણ ત્યારે પોતાના શરીરને ખુબ મોટું બનાવી દે છે. તેથી અઘાસુર પોતેજ રૂંધાઇ જાય છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 11
નંદગામમાં આફત ઉપર આફત આવી રહી છે. અસુરનો ત્રાસ વધતો જતો જૉઇને વૃદ્ધ ગોપો નક્કી કરે છે કે બધા વૃંદાવનમાં ચાલ્યા જઇયે. આખું નંદગામ વૃંદાવન જવા ઉચાળા ભરે છે. કંસના અસુરો ત્યાં પણ કનૈયાને મારવાનો પ્રયત્ન કરે છે. આજના અધ્યાયમાં આપણે ભગવાને વત્સાસુર અને બકાસુરનો કેવી રીતે ઉદ્ધાર કર્યો, તે વિષે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 11
ખાંડણિયા સાથે બંધાયેલ શ્રી કૃષ્ણઃ તેને ઘસડતાં ઘસડતા, ઘરની બહાર આવેલા અશોકવૃક્ષ પાસે લઇ આવે છે. પોતે તો અશોકવૃક્ષના બે ફડિયા વચ્ચેથી નીકળી જાય છે, પણ ખાંડણીયો ફસાઈ જાય છે. જયારે શ્રી કૃષ્ણ જરાક જોરથી ખાંડણિયાને ખેંચે છે ત્યારે અશોકવૃક્ષ પડી જાય છે. આ અશોકવૃક્ષ કોણ છે અને ભગવાને તેમનો ઉદ્ધાર કેમ કર્યો તેની વાત આજના અધ્યાયમાં આપણે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 9
આજના અધ્યાયમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની દામોદરલીલાની વાત કરવી છે. યશોદાજી લાલા માટે તાજું માખણ બનાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ આવીને દૂધ ની માંગ કરે છે. માતા યશોદા સ્તનપાન કરાવી જ રહ્યાં છે ત્યાં રસોડા માં દૂધ ઉભરાય છે અને એ ન થાય તે માટે યશોદામાતા જરા વાર માટે રસોડામાં જાય છે ત્યાં તો તેમનો લાલો ગુસ્સે થઇ ને દહીં મંથનની ગોળી ફોડી નાખે છે અને માખણ ખાવા લાગે છે. વાંદરાને માખણ વહેચતા લાલાને જોઈને યશોદાજી તેને ખાંડણિયા સાથે બાંધી દે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 2
ગોપીઓને પણ શ્રી કૃષ્ણ માખણ ચોરી જાય તે ગમે છે. છતાંય તે ખોટું ખોટું માતા યશોદા પાસે જઈને કહે છે કે માતા યશોદા તમારા કાનુડાએ અમારું માખણ ચોર્યું છે. આ માખણ ચોરી ખરેખર ચોરી છે? તેના વિશે નો મર્મ આજે આપણે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 8 Part 1
આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણની બાળલીલાઓ ની વાતો સાંભળવી છે. પ્રથમ આપણે શ્રીકૃષ્ણના નામકરણ સંસ્કાર વિશેની માહિતી મેળવીશું. શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર શ્રી ગર્ગાચાર્યજી, જેઓ યાદવકુળના પુરોહિત હતા, તેમણે કર્યા. શ્રી કૃષ્ણ, બલરામ અને તેમના સખાઓ દ્વારા માખણ ચોરીની વાત પણ આજે આપણે માણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 7
આગલા જન્મમાં જે લોકોને પોતાના કર્મોને લીધે રાક્ષસ રૂપ મળ્યું હતું તેમાના કેટલાક નો ઉદ્ધાર શ્રીકૃષ્ણ પોતાના બાળ સ્વરૂપમાં કરે છે. આજના અધ્યાયમાં આપણે શકટ અને તૃણાવર્તના ઉદ્ધાર ની વાત સાંભળવી છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 6
કંસે આપેલી આજ્ઞા પ્રમાણે રાક્ષસી પૂતના બાળકો ના પ્રાણ હરી રહી છે. જ્યારે તે વ્રજમાં શ્રીકૃષ્ણના પ્રાણ હરવા માટે વ્રજમાં આવે છે ત્યારે એક સુંદર સ્ત્રીનું સ્વરૂપ લે છે. શ્રીકૃષ્ણ તેને પારખી જાય છે. ત્યારબાદ જ્યારે પૂતના તેમને સ્તનપાન કરાવવા નો પ્રયત્ન કરે છે ત્યારે રુદ્ર ની સાથે રહીને શ્રીકૃષ્ણ તેનો જીવ લઇ લે છે. આ પૂતના કોણ છે અને શ્રી કૃષ્ણે તેનો ઉદ્ધાર કેમ કર્યો તેના વિશે આજના અધ્યાયમાં આપણે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 5
આજના અધ્યાયમાં આપણે શ્રી કૃષ્ણના જન્મનો મહોત્સવ જે વ્રજ ગામમાં ઉજવાઈ રહ્યો છે તેના વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે નંદજી અને વસુદેવજી ની મથુરા માં થયેલી મુલાકાત અને વસુદેવજી એ નંદબાવાને આપેલી સલાહ વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 10 Adhyay 4
વસુદેવજી ના પાછા આવતા જ કારાગારના બધા દ્વાર બંધ થઈ જાય છે. ત્યારબાદ કંસને સૂચના મળે છે કે દેવકીના આઠમા પૂત્ર નું આગમન થઇ ચૂક્યું છે. કંસ એ પુત્રીને દેવકી પાસેથી ઝૂંટવી લઇને તેને પથરા પર પછાડે છે. તે સમયે બાળકમાંથી શ્રી દેવી પ્રગટ થઈને કંસને એ જણાવે છે કે તારા મૃત્યુ નો આધાર એવો બાળક બીજા કોઈ સ્થાન પર પેદા થઈ ચૂક્યો છે. કંસ આ સાંભળીને પોતે આપેલી પીડા માટે અને વસુદેવ અને દેવકી ને કરેલા અન્યાય માટે માફી માગે છે. પણ જ્યારે તે પોતાના મંત્રીઓને મળે છે ત્યારે તે મંત્રીઓ એને બ્રાહ્મણો અને બાળકોનો સંહાર કરવા માટેની સલાહ આપે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 2
વસુદેવજી ની સ્તુતિ સાંભળ્યા બાદ માતા દેવકી પણ ભગવાન શ્રીકૃષ્ણની ખુબ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ સાંભળ્યા બાદ ભગવાન પિતા વસુદેવ અને માતા દેવકીને એમના પૂર્વજન્મ, અને પોતાના આપેલા વરદાન વિશેની જાણ કરે છે .ત્યારબાદ વસુદેવજી ભગવાન શ્રીકૃષ્ણને છાબડીમાં મૂકીને યમુના પાર નંદ ગામમાં સુતેલા માતા યશોદા પાસે મૂકી આવે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 3 Part 1
આ અધ્યાયમાં આપણે ભગવાન શ્રીકૃષ્ણના પ્રાગટ્ય વિશે ની વાત કરીશું. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પૃથ્વી પર પ્રગટ થાય છે, દેવકીના ગર્ભમાંથી, ત્યારે રોહીણી નક્ષત્ર હતું અને જગત સૌમ્ય થઈ જાય છે. વસુદેવજી આ અદભુત બાળકને જોઈને ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 2
દેવકી ના સાતમા પુત્ર તરીકે શેષજી પધારે છે. ભગવાનશ્રી વિષ્ણુની આજ્ઞાથી યોગમાયા આ બાળકને દેવકીના ગર્ભમાંથી રોહિણીના ગર્ભમાં સ્થાપિત કરી રહ્યા દે છે. જ્યારે બધા દેવતાઓને ખ્યાલ આવે છે કે ભગવાન શ્રી વિષ્ણુ હવે દેવકીની કોખમાં સ્થાપિત થયા છે, ત્યારે તેઓ કારાવાસમાં આવીને ભગવાન વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરે છે.

Bhagvat Puran Skandh 10 Adhyay 1
દસમા સ્કંધના પહેલા અધ્યાયમાં આપણે પૃથ્વી ના દુખ વિશે સાંભળીશું અને ત્યારબાદ ભગવાને આપેલું આશ્વાસન જાણીશું. આ અધ્યાયમાં આપણે વસુદેવ અને દેવકી ના લગ્ન અને તે સમયે કંસનું સારથી બનવું અને આકાશવાણી દ્વારા કંસ વધ ની વાત જાણીશું. વસુદેવજી ના સમજાવવા પછી પણ કંસ દેવકી અને વાસુદેવને કાળ કોટડીમાં પૂરી રહેશે અને તેમના છ પુત્રોની હત્યા કરે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 24
નવમાં સ્કંધના આ છેલ્લા અધ્યાયમાં આપણે વિધર્ભના વંશ વિષે જાણીશું. આપણે ભગવાન શ્રી કૃષ્ણ વિષેની કથાનો પ્રારંભ પણ કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 23
આજના અધ્યાયમાં આપણે અનુ, દ્રુહુ, તુર્વસુ અને યદુવંશના રાજાઓ વિષે જાણીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 22
આજના અધ્યાયમાં આપણેપાંચાલવંશ, કૌરવવંશ, અને મગધદેશના રાજાઓ વિષે જાણીશું. આ અધ્યાયથી આપણે દશમાં સ્કંધની પૂર્વભૂમિકા બાંધવાની શરૂઆત કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 21
ભરતવંશની કથાને આગળ વધારતા આજે આપણે રાજા રંતિદેવના જીવનચરિત્ર વિષે જાણીશું. રાજા રંતિદેવ આપણને સહિષ્ણુતાનો પાઠ શીખવે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 20
આજના અધ્યાયમાં આપણે પૂરું વંશનું વર્ણન સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા દુષ્યંત અને શકુંતલા ની કથા, તથા તેમના પુત્ર રાજા ભરત ના પરાક્રમો ની કથા સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 19
હજાર વર્ષ સુધી ભોગવિલાસમાં રચ્યાપચ્ચા રહ્યા પછી રાજા યયાતિ ને આત્મઅવસ્થાનું ભાન થાય છે. તેઓ એક બકરાના રૂપક થી પોતાની પત્ની દેવયાનીને તેમના મનની સ્થિતિ સમજાવે છે. અને ત્યારબાદ પોતાના પુત્રને પૂરુંને રાજગાદી સોંપીને વનમાં ચાલ્યા જાય છે. યયાતિનો ગૃહ ત્યાગ જોઈને દેવયાની પોતે પણ પ્રભુમાં પોતાની જાતને સ્થાપિત કરે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 18
નહુષ વંશની કથા સાંભળતા, આપણે આ અધ્યાયમાં, રાજા યયાતિ અને તેમના વિષય ભોગવિલાસ ની કથા સાંભળીશું. રાજા યયાતિ ક્ષત્રિય હોવા છતાં પણ તેમના લગ્ન બ્રાહ્મણ કન્યા દેવયાની, જે શુક્રાચાર્યના પુત્રી હતા, તેમની સાથે થયા. તેઓ ખૂબ વિષ ભોગી હતા, અને જ્યારે વૃદ્ધાવસ્થાનો શાપ મળ્યો ત્યારે તેઓ પોતાના પુત્ર પાસે યૌવનની ભીખ માંગી બેઠા. તેમના ચાર પુત્રોએ યૌવનની આપ-લે કરવાની ના કહી, પણ સૌથી નાના એવા પૂરુંએ સંમતિ આપી. આમ હજાર વર્ષ સુધી ભોગો ભોગવ્યા બાદ પણ રાજા યયાતિને તૃપ્તિ થઈ નહીં.

Bhagvat Puran Skandh 9 Adhyay 17
આજના અધ્યાયમાં આપણે ક્ષત્રવૃદ્ધ અને રજી વગેરે રાજાઓના વંશનું વર્ણન સાંભળીશું. એ દરમિયાન આપણે શૌનકજી, ધનવંતરી અને બીજા કેટલાક એવા મહાપુરુષો અને મહાન રાજાઓ ની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 16
સહસ્ત્ર બાહુ નો વધ કર્યા પછી પિતાની આજ્ઞા પ્રમાણે પરશુરામજીએ એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી. ત્યારબાદ જ્યારે કપટથી સહસ્ત્ર બાહુના પુત્રોએ જમદગ્નિ ઋષિનો વધ કર્યો ત્યારે પરશુરામજીએ ક્રોધિત થઈને 21 વાર પૃથ્વીને ક્ષત્રિય વિહોણી કરી નાખી. આ અધ્યાયમાં આપણે વિશ્વામિત્ર જી અને શૂન:શેપ જેમ ની કથા આગળ પણ કરી ચુક્યા છીએ (હરિશ્ચંદ્ર ની સાથે), તેમની પણ વાર્તા સાંભળીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 15
ચંદ્રવંશ ના ઇતિહાસને આગળ વધારતા આજે આપણે ઋચીક ઋષિ, જમદગ્નિ ઋષિ, અને પરશુરામજીના ચરિત્ર વિશે સાંભળીશું. ખાસ કરીને આપણે રાજા સહસ્ત્રબાહુ અને રાવણ તથા સહસ્ત્રબાહુ અને પરશુરામજી વચ્ચેના પરાગની વાત સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 14
આ અધ્યાયથી આપણે ચંદ્રવંશ ની કથા સાંભળીશું. સર્વ પ્રથમ આપણે અત્રી, તેમના પુત્ર ચંદ્રમા, અને બૃહસ્પતિ અને ચંદ્રમા વચ્ચેના દ્વેષ અને યુદ્ધની વાત સમજીશું. ત્યારબાદ આ અધ્યાયના કથાનાયક એવા રાજા પુરુરવા અને ઉર્વશી વચ્ચેના સંબંધની વાત વિશે જાણીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 13
આજના અધ્યાયમાં આપણે રાજા નીમી અને તેમના વંશજોની વાત સાંભળીશું. ખાસ કરીને આપણે મિથિલા નગરીના રાજાઓ અને એ વંશને વિશે વધારે માહિતી મેળવીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 12
ઈશ્વાકુ વંશના રાજાઓનું શેષ રાજાઓનું વર્ણન આપણે આ અધ્યાયમાં સાંભળીશું. આપણે જુદા જુદા રાજાઓના નામ, તેમના વંશજો, અને તેમના યુદ્ધ વિશે જાણીશું.ખાસકરીને આપણે બૃહદબલ અને અભિમન્યુ વચ્ચેના યુદ્ધની, એટલે કે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓનો વચ્ચેના યુદ્ધની વાત સાંભળીશું. જે દ્વારા આપણે સૂર્યવંશના અસ્ત અને ચંદ્ર દર્શન વધી રહેલા પ્રભાવની સમજ મેળવીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 11
ભગવાન શ્રી રામચંદ્રજી ની શેષ લીલાઓનું વર્ણન આ અધ્યાયમાં આપણે સાંભળીશું. રામચંદ્રજી આ અધ્યાયમાં આપણને એક સબળ રાજા અને તેની નીતિ વિશેની સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 10
આજના અધ્યાયમાં આપણે ઈશ્વાકુ વંશ ના સૌથી મહાન એવા રાજા અને વીર પુરુષ મર્યાદાપુરુષોત્તમ શ્રી રામ ભગવાનના ચરિત્ર ની વાર્તા સાંભળીશું. આ અધ્યાયમાં રામજી એ વીરપુરુષ તરીકે અને વીર તરીકે પોતાનો ધર્મ કેવી રીતે ધારણ કરવો તેના વિશેની આપણને સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 9
કપિલ મુનિ ની સુચના મુજબ અંશુમાન અને તેમના વંશજો એ માતા ગંગા ને પૃથ્વી પર અવતરણ કરવા માટે ખૂબ વિનંતીઓ કરી. છેલ્લે ભગીરથની વિનંતી માનીને ગંગાજી એ પૃથ્વી પર અવતરણ કર્યું. ભગવાન શંકરે તેમને પોતાની જટામાં ઝીલી લીધા અને ત્યારબાદ ભગીરથ ગંગા ને તેમના પૂર્વજોની ભસ્મ પાસે બસમાં લઈ આવ્યા અને તેમનો ઉદ્ધાર કર્યો. આ અધ્યાયમાં આપણે રાજા સૌદાસની કથા પણ સાંભળી શું. એ કથાના મર્મમાં આપણે અધર્મ ના લાંબા સમય સુધી રહેતા પરિણામ ની ચર્ચા કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 8
આજના અધ્યાયમાં આપણે રાજા સગર અને તેમના વંશજોની વાર્તા સાંભળવી છે. રાજા સગરના પુત્રોએ અશ્વમેધ યજ્ઞ ના ઘોડા ને શોધવા માટે આખી પૃથ્વીને ખોદી નાખી જેનાથી સાગરોનું નિર્માણ થયું. કપિલ મુનિના નેત્રોથી તે બધા પુત્રો થયા ભસ્મ થઈ ગયા. અને રાજા સગરના પૌત્ર એવા અંશુમાને કપિલ મુનિ પાસેથી અશ્વમેઘ યજ્ઞ ના ઘોડા ને પાછો લાવી અને પોતાના પૂર્વજોના પાપને ધોવા નો પ્રયત્ન કર્યો.

Bhagvat Puran Skandh 9 Adhyay 7
આ અધ્યાયમાં આપણે રાજા ત્રિશંકુ અને તેમના પુત્ર રાજા હરિશ્ચંદ્રની વાત સાંભળીશું. બંનેના જીવનમાં જે જુદા જુદા પ્રકારના મોહનું બન્ધન છે તેના વિશે આપણે ચર્ચા કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 6
આજના અધ્યાયમાં આપણે ઇશ્વાકુના વંશનું વર્ણન સાંભળીશું. આપણે રાજા માન્ધાતા એન્ડ સૌભીર ઋષિની કથા પણ સાંભળીશું. સૌભીર ઋષિની કથા દ્વારા આપણે જીવનમાં સામાજિક દેખાદેખીથી કેમ દૂર રેહવું એનો મર્મ પણ સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 5
શ્રી હરિએ જણાવ્યા પ્રમાણે દુર્વાસાજી રાજા અંબરીશ પાસે આવીને તેમની માફી માંગે છે. રાજા અંબરીશ ખુબ સહાનુભૂતિથી સુદર્શન ચક્રને પાછા વળી જવાની વિનંતી કરે છે અને દુર્વાસાજીના દુઃખનું નિવારણ કરે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 4
વૈવસ્વત મનુના પુત્ર નાભાગ, એમના પુત્ર નભાગ, અને પ્રપોત્ર અમ્બરીષની કથા આ અધ્યાયમાં આપણે સાંભળીશું. જયારે ઋષિ દુર્વાશા રાજા અંબરીશને શ્રાપ આપે છે ત્યારે, શ્રી હરિનું સુદર્શન ચક્ર દુર્વાસાજીની પાછળ પડી જાય છે અને રાજાનું રક્ષણ કરે છે. દુર્વાસાજી ત્રણે લોકમાં જાય છે પણ કોઈ રીતે આ ચક્ર થી પીછો છોડવી શકતા નથી. છેલ્લે જયારે તેઓ શ્રી હરિ પાસે આવી પોહ્ચે છે ત્યારે ભગવાન વિષ્ણુ તેમને પોતાના ભકત અને તેમની ભક્તિ નો મહિમા સમજાવે છે.

Bhagvat Puran Skandh 9 Adhyay 3
આ અધ્યાયમાં આપણે રાજા શર્યાતિનાં વંશ વિશે સાંભળીશું. ત્યારબાદ આપણે મહર્ષિ ચ્યવન અને રાજા શર્યાતિનાં પુત્રી સુકન્યા ના ચરિત્ર વિશે જાણીશું. મહર્ષિ ચ્યવન પોતાની શક્તિથી અને વૈદ્ય અશ્વિનીકુમારોની મદદથી પોતાના શરીરને ફરિવાર યૌવન પ્રદાન કરે છે. તે મર્મ ની વાત આપણે અધ્યાયમાં કરીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 2
નવમાં સ્કંધના બીજા અધ્યાયમાં આપણે વૈવસ્ત મનુના બીજા પુત્રો અને ખાસ કરીને પૃષદ્યની વાત સાંભળીશું. આ વાર્તા દ્વારા આપણે વર્તમાનમાં જીવવાનું અને વર્તમાનની અવસ્થાને યાદ રાખવા વિશે સમજીશું.

Bhagvat Puran Skandh 9 Adhyay 1
નવમા સ્કંધમાં પ્રથમ અધ્યાયમાં આપણે વૈવસ્વત મનુ જે પહેલા રાજશ્રી સત્યવ્રત હતા તેમના પુત્ર રાજા સુધુમ્નની કથા સાંભળીશું. સુધુમ્ન પ્રથમ એવા વ્યક્તિ હતા જેમનો જન્મ સ્ત્રી તરીકે થયો અને ત્યારબાદ ઋષિ વસિષ્ઠ ની કૃપાથી તેઓ પુરુષ જાતિમાં બદલાયા. તેમના ચરિત્ર ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 8 Adhyay 24
રાજા બલીની કથા પૂર્ણ થતાં, રાજા પરીક્ષિત શુકદેવજી પાસેથી ભગવાનના મત્સ્યાવતારની વાત સાંભળવાની ઈચ્છા કરે છે. શુકદેવજી તેમને આ અવતારની કથા સંભળાવે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 23
રાજા બલીને વરુણના પાશમાંથી મુક્ત કરીને શ્રી હરિ ત્યાં ઉપસ્થિત બધાને ખુબ સુંદર ઉપદેશ આપે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 22
વરુણના પાશમાં બંધાયેલા રાજા બલી શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. ત્યારબાદ ત્યાં પધારેલા પ્રહલાદજી અને બ્રહ્માજી પણ વામન સ્વરૂપે રહેલા શ્રી હરીને બલીરાજા વિષે પોતાનું મંતવ્ય વ્યક્ત કરે છે. શ્રી હરિ બધાને સંપત્તિ અને તેના અભાવ વિશેનો સુંદર ઉપદેશ આપે છે. તે રાજા બલીથી પ્રસન્ન થઈને તેમને ભવિષ્યના મન્વંતરમાં ઈન્દ્રનું સ્થાન આપે છે અને વર્તમાનમાં સુતલલોકમાં જવાની આજ્ઞા કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 21
બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગ માપી લીધા બાદ વામન ભગવાનથી ક્રોધિત થયેલા અસુરો તેમની સામે યુદ્ધે ચઢે છે. ભગવાનના પાર્ષદો જયારે અસુરોની સેનાનો નાશ કરવા લાગે છે ત્યારે રાજા બલી બધા અસુરો અને દૈત્યોને કાળચક્ર વિષે સમજાવીને રસાતલમાં જવાની સૂચના આપે છે. આ તરફ વામન ભગવાનની આજ્ઞાથી ગરુડજી રાજા બલિને વરુણના પાશમાં બાંધી દે છે. વામન ભગવાન ત્યારબાદ રાજા બલિને જણાવે છે કે જો ત્રીજા પગલાંની તેમની પ્રતિજ્ઞા પુરી નહિ થાય તો રાજા બલીને નર્કમાં જવું પડશે.

Bhagvat Puran Skandh 8 Adhyay 20
શુક્રાચાર્યજીની વાત સાંભળ્યા પછી પણ રાજા બલી પોતાની પ્રતિજ્ઞામાં અડગ રહે છે. આ જોઈને શુક્રાચાર્ય ક્રોધિત થઇને રાજા બલીને શાપ આપે છે. ત્યારબાદ વામન ભગવાન બે જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગલોકને માપી લે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 19
રાજા બલી વામન ભગવાનને તેમની ઈચ્છા મુજબ માંગવાની પ્રાર્થના કરે છે. જયારે વામન ભગવાન માત્ર ત્રણ પગલાં પૂર્થવી ની માંગણી કરે છે, ત્યારે રાજા બલીમાં અભિમાન આવી જાય છે. તે આ આપવાની પ્રતિજ્ઞા કરે તે પેહલા ગુરુ શુક્રાચાર્ય બલિને વામન ભગવાનના સાચા સ્વરૂપ અને ક્ષમતાની પ્રતીતિ કરાવે છે અને એમને આ પ્રતિજ્ઞામાંથી વારવાનો પ્રયત્ન કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 18
શ્રી હરિ વિષ્ણુ માતા અદિતિને આપેલા વરદાન પ્રમાણે તેમના પુત્ર તરીકે જન્મ લે છે. તે વામન રૂપે અવતરે છે. ઋષિઓ, દેવતાઓ, અને બીજા બધા વામન ભગવાનને યથાશક્તિ વસ્તુઓ અર્પણ કરે છે. ત્યારબાદ વામન ભગવાન રાજા બલીના યજ્ઞ સભાગૃહ માં પ્રવેશે છે અને ત્યાં રાજા બલી તેમનો ખુબ સુંદર રીતે આવકાર કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 17
માતા અદિતિના પયોવ્રતથી શ્રી હરિ પ્રસ્સન થાય છે. તેમની સ્તુતિ કરતા માતા અદિતિ તેમની પાસેથી દેવો માટે સ્વર્ગનું રાજ્ય અને દાનવોના નાશની માંગણી કરે છે. શ્રી હરિ માતા અદિતિની અવસ્થા જાણતા તેમની આજીજી નો સ્વીકાર કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 16
રાજા બલિએ દેવો પાસેથી અમરાવતી છીનવી લીધી છે. આ દુઃખ તેમના માતા અદીતિથિ જોઈ શકાતું નથી. જ્યારે તેમના પતિ ઋષિ કશ્યપ ધ્યાનમાંથી પાછા આવે છે ત્યારે તેઓ તેમને વિનંતી કરે છે કે આ દુઃખમાંથી તેમના પુત્રોનો ઉદ્ધાર કરે. આ સાંભળીને ઋષિ કશ્યપ માતા અદિતિને પયોવ્રત ના નિયમ અને વિધિ સમજાવે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 15
શુક્રાચાર્ય પાસેથી સંજીવની વિદ્યા દ્વારા ફરિવાર જીવન પામેલા રાજા બલી ભૃગુવંશી બ્રાહ્મણોની ખૂબ સેવા અને પૂજા કરીને તેમની પાસેથી અમોઘ શક્તિ અને તેજ મેળવે છે. ત્યારબાદ તેઓ ઈન્દ્રની નગરી એવી અમરાવતી પર આક્રમણ કરી દે છે. જ્યારે ઇન્દ્ર બલી ના તેજ ને નો અનુભવ કરે છે ત્યારે તેઓ તેમના ગુરુ એવા બૃહસ્પતિ પાસે પહોંચી જાય છે. બૃહસ્પતિજી ઈન્દ્રને અને બધા દેવોને સલાહ આપે છે કે તમે બલી ની સામે જીતી શકવા માટે સક્ષમ નથી તેથી તમારા માટે અત્યારે ભાગી છૂટવું અને સંતાઈ જવું એ જ યોગ્ય છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 14
ભાગવતના આ કદાચ સૌથી નાના એવા અધ્યાયમાં આપણે મનુઓ અને તેમના કર્મોની વાત કરવી છે. આ અધ્યાયમાં આપણે એ પણ સમજીશું કે દરેક મન્વંતર ના ઇન્દ્ર, તેના સપ્તર્ષિ, અને મનુના પુત્રો કેવી રીતે મનુને તેમના મન્વંતર ના સંચાલનમાં મદદ કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 13
આ અધ્યાયમાં આપણે ભવિષ્યમાં આવવાના સાત મન્વંતરોની વાત સાંભળીશું. આ સાત મન્વંતરોમાં કયા કયા મનુ, કયા કયા ઇન્દ્ર, કયા સપ્તર્ષિ, અને કેવા પ્રકારનો સમાજ હશે તેની વાત આજના અધ્યાયમાં કરીશું.

Bhagvat Puran Skandh 8 Adhyay 12
જ્યારે મહાદેવ શંકરે સાંભળ્યું કે શ્રી વિષ્ણુએ મોહિની સ્વરૂપ દ્વારા દાનવોને અભિભૂત કરી દીધાં અને દેવોને અમૃતપાન કરાવ્યું ત્યારે તેમને પણ આ મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા થઈ. તેઓ પોતાની પત્ની સતી અને પોતાના ગણ ને લઈને શ્રી વિષ્ણુ પાસે ગયા અને મોહિની સ્વરૂપ જોવાની ઈચ્છા વ્યક્ત કરી. જ્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે ભગવાન શંકર પણ આ સ્વરૂપથી મોહિત થઈ ગયા અને મોહિની પાછળ દોડવા લાગ્યા. જ્યારે ભગવાન શંકરને ભાન આવ્યું કે તું શું કરી રહ્યા છે ત્યારે તેમને સમજાયું કે મોહિની સ્વરૂપની લીલા કેવી છે. તેમણે શ્રી વિષ્ણુની ખુબ સુંદર સ્તુતિ કરી અને ત્યારબાદ બંને પોત પોતાના ધામમાં પહોંચી ગયા.

Bhagvat Puran Skandh 8 Adhyay 11
ભગવાન શ્રી વિષ્ણુ ની મદદથી જ્યારે અસુરોની માયા નો વિનાશ થયો ત્યારે દેવરાજ ઈન્દ્રના મનમાં અભિમાન વ્યાપી ગયું. રાજા બલિએ ત્યારે તેમને ખૂબ સુંદર ઉપદેશ આપ્યો અને તેમના અભિમાનને ચકનાચૂર કરી નાખ્યું. ત્યારબાદ બે બળવીર વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. વજ્ર આઘાતથી રાજા બલી મૃત્યુ પામ્યા અને તે જોઈને બીજા અસુરોએ દેવરાજ ઇન્દ્ર પર આક્રમણ કરી દીધું. ઇન્દ્રએ વજ્રની શક્તિથી બધા અસૂરને કરાવી દીધા હરાવી દીધા. જ્યારે દેવો દાનવો નો સંપૂર્ણ નાશ કરી નાખશે એવું બ્રહ્માજીને લાગ્યું ત્યારે તેમણે નારદજીને મોકલીને આ યુદ્ધની સમાપ્તિ કરાવી. નારદજીની આજ્ઞાથી બધા દેવો સ્વર્ગે સિધાવ્યા અને ત્યારબાદ અસુરો મરેલા દૈત્યોના શબને શુક્રાચાર્ય પાસે લઈ આવ્યા. શુક્રાચાર્યએ સંજીવની દ્વારા રાજા બલિને જીવીત કર્યા.

Bhagvat Puran Skandh 8 Adhyay 10
પોતે કર્મ કર્યું હોવા છતાં પણ જ્યારે અમૃત નું ફળ મળ્યું નહીં ત્યારે દાનવોને થયું કે અમને અન્યાય થયો છે. અને તેથી તેઓએ એવું સાથે યુદ્ધ આરંભ કરી દીધું. રાજા બલિ અને ઇન્દ્ર વધશે વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું. જ્યારે તેમની કોઈપણ પ્રકારની વિદ્યા કામ ન લાગી ત્યારે રાજા બલિએ માયા નો ઉપયોગ કરીને દેવરાજ ઇન્દ્ર ની સામે અને દેવોની આસપાસ માયાજાળ રચી દીધી. એમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતા દેવોએ શ્રીહરિની પ્રાર્થના કરી અને ભગવાન વિષ્ણુએ પ્રગટ થઈને એ માયાને અને કેટલાય બળવાન અસુરોને મૃત્યુને ઘાટ ઉતારી દીધા.

Bhagvat Puran Skandh 8 Adhyay 9
જ્યારે દાનવો ભગવાનના મોહિની રૂપથી મોહિત થઇ જાય છે ત્યારે તેઓ લડવાનું છોડી અને તેની પાસે પહોંચે છે અને વિવેકબુદ્ધિ ભૂલીને મોહિનીને ન્યાય ની જવાબદારી સોંપે છે. મોહિની પોતાના રૂપ નો ઉપયોગ કરીને દેવોને અમૃત પાઈ દે છે, જ્યારે દાનવો તેનાથી વંચિત રહી જાય છે. આ સમયે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ને અમૃતનું પાન કરે છે. અને તે જોતાં ભગવાન શ્રીહરિ પોતાના ચક્રથી તેનું ગળું કાપી નાખે છે અને ભગવાન બ્રહ્માજી તેને એક ગ્રહ માં પરિવર્તિત કરી દે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 8
આ અધ્યાયમાં આપણે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયેલા વિવિધ પ્રકારના પ્રાણીઓ, વૃક્ષો, દેવી લક્ષ્મી અને અમૃત વિશેની વાત સાંભળીશું. જ્યારે દેવ ધન્વંતરિ અમૃત સાથે સમુદ્રમંથનમાંથી પ્રગટ થયા ત્યારે અસુરોએ તે ઘડો કે જેમાં અમૃત હતું, તે છીનવી લીધો. ભગવાને આ જોતા દાનવો માં ફૂટ પડાવી અને મોહિની રૂપ ધારણ કર્યું.

Bhagvat Puran Skandh 8 Adhyay 7
ક્ષીરસાગર નું મંથન ચાલુ થતાં મંદરાચળ પર્વત ના ભારે તે પાણીમાં ડૂબતો જાય છે. તેથી શ્રી હરિ પોતે કચ્છપ નું રૂપ ધારણ કરીને મંદરાચળ પર્વત નીચે સ્થાપિત થઈ જાય છે. તેઓ દેવો અને દાનવો માં પણ પોતાની શક્તિ પ્રસ્થાપિત કરે છે. ત્યારબાદ જ્યારે સમુદ્ર મંથન ચાલુ થાય છે ત્યારે તેમાંથી સર્વ પ્રથમ હળાહળ નામનું ઉગ્ર વિષ નીકળે છે. આ વિષના નીકાલનો કોઈ ઉપાય નહીં મળતા લોકો ભગવાન શ્રી શંકર પાસે પહોંચે છે અને ભગવાન શંકર તે વિષનું પાન કરે છે તેથી તે નીલકંઠ કહેવાયા.

Bhagvat Puran Skandh 8 Adhyay 6
બ્રહ્માજીની ઉત્તમ સ્તુતિ સાંભળીને શ્રીહરિ પ્રગટ થાય છે અને પછી દેવોને દાનવો સાથે સંધિ નો ઉપદેશ આપે છે. તેઓ દેવોને જણાવે છે કે દાનવો સાથે મળી અને તેઓ અમૃત પ્રાપ્તિ માટે ક્ષીરસાગરનું મંથન કરે. આના માટે મંદરાચલ પર્વતને રવૈયો બનાવો પડશે અને વાસુકી નાગને નેતરું બનાવવું પડશે. દેવો જ્યારે દાનવો પાસે આ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે દાનવો એનો સ્વીકાર કરે છે અને સંધિ થતાં તેઓ મંદરાચળ પર્વત ઊંચકવાનો પ્રયત્ન કરે છે. જેમાં તેમને અસફળતા મળે છે ત્યારે શ્રી હરિ પોતેજ ગરુડ પર મંદરાચળ પર્વતને ઊંચકીને તેને ક્ષીરસાગર ની પાસે લઈ આવે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 5
આ અધ્યાયની શરૂઆત માં આપણે પહેલાં પાંચમાં અને છઠ્ઠા મનુ વિશેની વાત સાંભળીશું. આ આધ્યાય માં ભગવાન અજીત જે કે શ્રી હરિનું જ સ્વરૂપ છે તેમના વિશે જાણીશું. રાજા પરીક્ષિતે પ્રશ્ન કરયો છે કે ક્ષીરસાગર નું મંથન કેવી રીતે થયું અને ભગવાને કચ્છપ નું રૂપ કેમ ધારણ કર્યું. તેના જવાબમાં શુકદેવજી દેવો અને દૈત્યો વચ્ચેના યુદ્ધ અને પરાજિત દેવોના બ્રહ્માજી પાસે જવાની વાત કરે છે. બ્રહ્માજી ત્યારબાદ દેવોને વૈકુંઠ લોકો પાસે લઈ જાય છે પણ ત્યાં તેમને કાંઈ પણ દેખાતું નથી તેથી તેઓ શ્રી હરિની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે જે સ્તુતિ પણ આપણે આ અધ્યાયમાં સાંભળીશું.

Bhagvat Puran Skandh 8 Adhyay 4
આ અધ્યાયમાં આપણે ગજેન્દ્ર અને ગ્રાહ ના પૂર્વ ચરિત્ર વિશે સાંભળીશું. આપણે તેમના પૂર્વ ચરિત્રની સાથે ભગવાને તેમનો કેવી રીતે ઉદ્ધાર કર્યો તે પણ સાંભળીશું.

Bhagvat Puran Skandh 8 Adhyay 3
ગ્રાહના સંકજામાં ફસાયેલો ગજેન્દ્ર શ્રી હરિની ખુબ સુંદર સ્તુતિ કરે છે. જ્યારે આ સ્તુતિ સાંભળીને બીજા દેવતાઓ તેની મદદે આવતા નથી ત્યારે શ્રી હરિ ખુદ ગજેન્દ્રની મદદે આવી જાય છે. એમને પ્રગટ થયેલા જોઈને ગજેન્દ્ર હર્ષિત થઈ જાય છે અને સરોવરમાંથી પોતાની સૂંઢ નો ઉપયોગ કરીને એક કમળ ભગવાનને અર્પિત કરે છે. ત્યારબાદ તેની પર પ્રસન્ન થયેલા ભગવાન, ગ્રાહ અને ગજેન્દ્ર બેયને જળમાંથી બહાર ખેંચી લાવી અને સુદર્શન ચક્ર દ્વારા ગજેન્દ્રને મુક્ત કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 2
શુકદેવજી આ ક્ષીરસમુદ્રમાં આવેલા ત્રિકૂટ નામના સર્વ સમૃદ્ધિ યુક્ત શ્રેષ્ઠ પર્વત અને તેના પર રહેતાં પશુ-પક્ષીઓ અને ત્યાં વસેલા દેવોના ગણ વિશેની પણ વાત કરે છે. ત્યાંના જંગલોમાં ગજેન્દ્ર પોતાના હાથીઓના ગણ સાથે મુક્ત વિચારી રહ્યો છે. અને તરસ લાગતા જ્યારે તે સરોવરમાં જઈને આનંદ કરી રહ્યો છે ત્યારે ગ્રાહ તેના પગને પોતાના જડબામાં પકડી લે છે. ગજેન્દ્ર તો એમાંથી છૂટવાનો ઘણો પ્રયત્ન કરે છે. બીજા હાથીઓ પણ તેને મદદ કરવાનો પ્રયત્ન કરે છે. પણ છતાંય કોઈ ના પ્રયત્નો સફળ થતાં નથી. આ ઘટનાને હજાર વર્ષ વીતી જાય છે અને જ્યારે ગજેન્દ્ર ખૂબ નિર્બળ થવા માંડે છે. અને ગ્રાહની શક્તિ જળ ના લીધે વધવા માંડે છે, ત્યારે ગજેન્દ્ર શ્રી હરિ ની સ્તુતિ કરવાનો વિચાર કરે છે.

Bhagvat Puran Skandh 8 Adhyay 1
આઠમાં સ્કંધના પહેલા અધ્યાયમાં નારદજી છ મન્વંતરોનું વર્ણન કરે છે. તે દરેક મન્વંતર ના મનું, તેના દેવ, તેના ઇન્દ્ર, મનુના પુત્ર અને સમાજ વ્યવસ્થાની વાત કરે છે. તેઓ આ અધ્યાયમાં ગજેન્દ્રના વ્યાખ્યાનની પૂર્વભૂમિકા પણ બાંધે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 2
ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 15 Part 1
ગૃહસ્થો માટે ના મોક્ષ ધર્મનું વર્ણન કરતાં નારદજી કેટલીક સુંદર વાતો કરે છે. જેમાં તે મનુષ્યએ ગૃહસ્થાશ્રમમાં કેવી રીતે અધર્મથી દૂર રહેવું અને ધર્મમા સ્થાપિત થવું એના વિશેની સમજણ આપે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 14
નારદજીએ પહેલા બ્રહ્મચર્યાશ્રમ અને પછી વાનપ્રસ્થાશ્રમ ના નિયમો સમજાવ્યા. આથી યુધિષ્ઠિરને પ્રશ્ન થયો છે કે ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થ વિશેષ પરેશાન કર્યા વિના ભગવાનના પદ ને કયા સાધનથી પ્રાપ્ત કરી શકે. એના જવાબમાં નારદજી તેમને ગૃહસ્થાશ્રમના નિયમો વિશે સમજાવે છે અને સદાચારનું વર્ણન કરે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 13
પ્રહલાદજી પોતાના સેવકોની સાથે નીકળ્યા છે અને ત્યાં તેમને અવધૂત એવા દત્તાત્રેય જી ધૂળમાં પડેલા જોવા મળે છે. દત્તાત્રેયજી નું રુષ્ટ પુષ્ટ શરીર જોઈને પ્રહલાદજી એવો પ્રશ્ન કરે છે કે આપ આવી રીતે આટલું સુંદર શરીર કેવી રીતે જાળવી શકો છો. દત્તાત્રેય જેના જવાબમાં યતિ ધર્મ નું નિરૂપણ કરે છે અને જણાવે છે કે તેઓ બધી જ સ્થિતિમાં સમભાવના રાખી શકે છે અને એ સમભાવના તેમને આ આસક્તિઓ માંથી મુક્ત કરી દે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 12
આ અધ્યાયમાં આપણે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમ ના નિયમો વિષે સાંભળીશું. ખાસ કરીને બ્રહ્મચારીએ કેવી રીતે ગુરુની સાથે વર્તન કરવું અને પોતાની સ્વયંશિસ્ત કેવી રીતે જાળવી રાખવી તેના વિશે સમજીશું. આપણે વાનપ્રસ્થાશ્રમમાં માણસે કેવા પ્રકારનું વર્તન કરવું, કેવા પ્રકારનું ભોજન કરવું, અને કેવા પ્રકારની જીવન જીવવું તેના વિશેની સમજણ મેળવીશું.

Bhagvat Puran Skandh 7 Adhyay 11
હિન્દુ ધર્મની ફિલોસોફીને સમજવા આ અધ્યાયમાં વ્યાસજી આપણને માનવધર્મ, વર્ણધર્મ, અને સ્ત્રીધર્મનું ખુબ સુંદર નિરૂપણ કરે છે. આ અધ્યાયમાં આપણે મનુષ્યના 30 પરમ ધર્મ વિશે સાંભળીશું. આપણે દરેક વર્ણના કર્મ અને પ્રવૃત્તિઓ વિશે સાંભળીશું. એ ઉપરાંત આપણે સ્ત્રીધર્મ અને તેના દ્વારા મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય તેની પણ વાત કરીશું.

Bhagvat Puran Skandh 7 Adhyay 10
પ્રહ્લાદજીની સ્તુતિથી પ્રસન્ન થયેલા નરસિંહ ભગવાન ત્યારબાદ પ્રહલાદજી સાથે વાર્તાલાપ કરે છે અને તેમને વરદાન માગવાનું કહે છે. પ્રહલાદજી આ સાંભળીને ભગવાન પાસેથી તેઓ ક્યારેક કામનાવશ ના થાય તેની માગણી કરે છે અને પ્રભુના ચરણોમાં હંમેશા સ્થાપિત રહે તેવું વરદાન માંગે છે. ભગવાન નરસિંહ તેમને આ વરદાન આપીને અંતર્ધ્યાન થાય છે અને ત્યારબાદ પ્રહલાદજી નો રાજ્ય અભિષેક થાય છે. આ અધ્યાયમાં આપણે મય દાનવ અને ભગવાન શંકર દ્વારા ત્રિપુર દહનની વાત સાંભળીશું.

Bhagvat Puran Skandh 7 Adhyay 9
જ્યારે બધા દેવતાઓએ અને બીજાઓએ કરેલી સ્તુતિ દ્વારા નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થતો નથી ત્યારે બ્રહ્માજી પ્રહલાદ ને કહે છે કે બેટા કદાચ તારી સ્તુતિથી ભગવાન નરસિંહ નો ક્રોધ શાંત થઈ જશે. તેથી તું એમની પાસે જઈ અને તેમને શાંત કર. બ્રહ્માજીની આજ્ઞા માનીને પ્રહલાદજી નરસિંહ ભગવાન પાસે જાય છે અને બાળક તરીકે અદભુત સ્તુતિ પ્રસ્તુત કરે છે. એ સ્તુતિ માં પ્રહલાદ ભગવાનનું નરસિંહ સ્વરૂપ અને વિરાટ સ્વરૂપ બેની ચર્ચા કરે છે તે પોતાના મન વિશેની પણ વાત કરે છે. અને ભગવાનના ચરણોમાં મળતી શાંતિની પણ. આ સ્તુતિથી ભગવાન નરસિંહ પ્રસન્ન થાય છે અને એમનો ક્રોધ છોડી દે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 8
આજના અધ્યાયમાં આપણે નરસિંહ ભગવાનનો પ્રાદુર્ભાવ અને તેમણે કરેલો હિરણ્યકશ્યપનો વધ તેના વિશે સાંભળીશું. નરસિંહ ભગવાન હિરણ્યકશિપુના વરદાન પછી ખૂબ ક્રોધિત થયા છે. એટલે એમને શાંત કરવા માટે બ્રહ્માજી, બીજા દેવતાઓ, સિદ્ધો, વિદ્યાધરો અને અન્ય લોકો તેમની પ્રાર્થના કરે છે. તે પ્રાર્થનાઓ અને સ્તુતિઓ પણ આજે આપણે સાંભળીશું.

Bhagvat Puran Skandh 7 Adhyay 7
જયારે દૈત્ય બાળકો પૂછે છે કે પ્રહલાદજી ને આવું ભગવદ્ ભક્તિ નું જ્ઞાન ક્યાંથી મળ્યું, ત્યારે પ્રહલાદજી તેમને પોતાના જન્મ સમયની નારદજીના સંગ ની વાત કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે ઇન્દ્રે દૈત્યો પર આક્રમણ કરી દીધું ત્યારે તેમની માતાને નારદજીએ ખુદ બચાવી લીધા અને ત્યારબાદ એમને ભગવત ભક્તિનો ઉપદેશ આપ્યો. તે પ્રહલાદજીએ ગર્ભમાં ગ્રહણ કર્યો હતો. પ્રહલાદજી આત્માની પ્રકૃતિ અને તેના પ્રભાવ ની વાત કરે છે અને આપણને જણાવે છે કે કેવી રીતે આત્મશુદ્ધિ માટે અને ભગવદ્ પ્રાપ્તિ માટે આપણે પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તેઓ એ પણ જણાવે છે કે ભગવદ્ ભક્તિ અને ભગવદ્ પ્રાપ્તિ એ માત્ર બ્રાહ્મણ કે કોઈ મહાન વ્યક્તિ નો જ ઈજારો નથી. એ કોઈપણ ને મળી શકે છે જો ભક્તિ સાચી શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવામાં આવે.

Bhagvat Puran Skandh 7 Adhyay 6
દૈત્ય બાળકોના પૂછવાથી પ્રહલાદજી તેમને ભક્તિ નું જ્ઞાન અને ઉપદેશ આપે છે. તેઓ તેમણે આત્મા અને શરીર વચ્ચેના ભેદનું અંતર સમજાવે છે અને મોક્ષ પ્રાપ્તિ પ્રત્યેનો માર્ગ પણ દેખાડે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 5
આ અધ્યાયમાં આપણે હિરણ્યકશ્યપુ દ્વારા પ્રહલાદજી ના વધના પ્રયત્નો વિશેનું વર્ણન સાંભળીશું. જ્યારે પ્રહલાદજી હિરણ્યકશ્યપુ ને ભગવાનના સામર્થ્યનો ઉપદેશ આપે છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમને હસી કાઢે છે. પ્રહલાદજી તેમને જગતની અને વિષય વાદની મિથ્યતાનો ઉપદેશ આપે છે. તેઓ તેમને ભગવાનના નવરૂપ વિશેની પણ વાત કરે છે અને આ પ્રમાણે નવધા ભક્તિ ની સમજાવે છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 4
પોતાને અભયપદ નું વરદાન મળ્યા બાદ હિરણ્યકશ્યપુ મદથી છકી જાય છે અને ત્રણે લોક નો વિજય પ્રાપ્ત કરે છે. તે હવે ઇન્દ્રના નિવાસસ્થાનમાં જ રહે છે અને બીજા બધાં ભયના લીધે તેને માન આપી રહ્યા છે. હિરણ્યકશ્યપુના ત્રાસથી બધા દેવો ભગવાનની સ્તુતિ કરે છે અને ત્યારે આકાશવાણી દ્વારા ભગવાન તેમને જણાવે છે કે જ્યારે હિરણ્યકશ્યપુ પોતાના પુત્ર પ્રહલાદનો વધ કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ભગવાન ખુદ હિરણ્યકશ્યપુનો નાશ કરશે. આ જાણીને યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે શુદ્ધ હૃદયના પ્રહલાદજી સાથે તેમના પિતા હિરણ્યકશ્યપુને દ્વેષ કેવી રીતે હોઈ શકે.

Bhagvat Puran Skandh 7 Adhyay 3
પોતાના શક્તિશાળી ભાઈ હિરણ્યાક્ષ ની હત્યા થયા બાદ હિરણ્યકશ્યપુને થાય છે કે એ પોતે અજર અમર બની જાય. તે માટે તે બ્રહ્માજીની ઉપાસના કરવા માંડે છે. તેની ઉપાસના ના તપથી અને તાપથી સમગ્ર પૃથ્વી અને સ્વર્ગ ના દેવતાઓ પણ ત્રાહિત થઈ જાય છે. તે બધા બ્રહ્માજી પાસે જઈ અને હિરણ્ય કશ્યપને સમજાવવાની વાત કરે છે. બ્રહ્માજી જ્યારે હિરણ્યકશ્યપુ પાસે જાય છે ત્યારે હિરણ્યકશ્યપુ તેમની ખૂબ જ સુંદર સ્તુતિ કરે છે. સ્તુતિ અને તપની ભાવના ને જોઈને બ્રહ્માજી તેને વરદાન માંગવા ની આજ્ઞા કરે છે. આ સાંભળીને હિરણ્યકશ્યપુ તેમની પાસે એવા પ્રકારનું વરદાન માંગે છે કે જેનાથી એ બીજો બ્રહ્મા જેવો બની જાય.

Bhagvat Puran Skandh 7 Adhyay 2
પોતાના ભાઈ હિરણ્યાક્ષનો વધ થઈ જવાથી હિરણ્યકશ્યપુ પ્રથમ તો ખૂબ ક્રોધિત થઈ જાય છે. તે પોતાના સભાસદ દૈત્યો અને દાનવોને પૃથ્વી પર જઈને લોકોને આતંકિત કરવાની આજ્ઞા આપે છે. દૈત્યો તેની તે આજ્ઞા નું પાલન કરે છે અને સૃષ્ટિ પર ખૂબ આતંક મચી જાય છે . જ્યારે પોતાના ભાઈની અંત્યેષ્ટિ ક્રિયા માટે બધા ભેગા થાય છે ત્યારે તેમના શોકને જોઈને હિરણ્યકશ્યપુ તત્વજ્ઞાનનો ખુબ સુંદર એવો ઉપદેશ આપે છે. તેના એ ઉપદેશમાં તે રાજા સુહૃદની વાર્તા દ્વારા બધાને આત્મા અને શરીર વચ્ચે નો ભેદ સમજાવે છે. તે વાર્તામાં યમરાજ પોતે પ્રજાજનોને ઉપદેશ આપે છે અને તે ઉપદેશ દ્વારા બધાની અંદર અજ્ઞાનનો નાશ થાય છે અને બધા હિરણ્યાક્ષ ના મોહમાંથી મુક્ત થાય છે.

Bhagvat Puran Skandh 7 Adhyay 1
સાતમા સ્કંધનાં પ્રથમ અધ્યાયમાં આપણે ભગવાન વિષ્ણુના પાર્ષદ જય અને વિજય જેમને સનકાદિ ઋષિઓએ શ્રાપ આપ્યો કે તમે અસુર યોની માં જઈને પડશો તેમની વાર્તા સાંભળીશું. જય અને વિજય સર્વ પ્રથમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ થઈને, ત્યારબાદ રાવણ અને કુંભકર્ણ ,અને ત્યારબાદ શિશુપાલ અને દંતવક્ત થઈને જન્મ લે છે. યુધિષ્ઠિરને પ્રશ્ન થાય છે કે ભગવાન સાથે દ્વેષ કરનારા શિશુપાલ અને દંતવક્તને ભગવાને પોતાના માં કેમ સમાવી લીધા. ત્યારે નારદજી એના જવાબ રૂપે ભગવદ્ પ્રાપ્તિ માટે નિષ્ઠા નો મહિમા સમજાવે છે. એ નિષ્ઠા પ્રેમ, તિરસ્કાર કે કોઈપણ ભાવના રૂપ પ્રસ્તુત થાય છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 19
છઠ્ઠા સ્કંધના છેલ્લા અધ્યાયમાં આપણે પુંસવન નામ ના વ્રત ની વિધિ સાંભળીશું

Bhagvat Puran Skandh 6 Adhyay 18
આ અધ્યાયમાં આપણે અદિતિ અને દિતિના સંતાનો તથા મરુદગણની ઉત્પત્તિનું વર્ણન સાંભળીશું. પોતાના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મરી જવાથી દિતિ ખૂબ દુઃખી છે. તેના મનમાં દેવોનો વધ કરે એવા પુત્ર જન્મે એવી આશા છે. એટલા માટે તે પાછા કશ્યપ ઋષિ પાસે જાય છે અને તેમની પાસે એવા પુત્રનું વરદાન માંગે છે. ઇન્દ્ર આ સાંભળીને કે દિતિ ઈન્દ્ર અને બીજા દેવો નો નાશ થાય એવા પુત્રોની માંગણી કરે છે, તેથી જ છધ્મવેષમાં તેઓ દિતિની સેવા કરવા માંડે છે. ત્યારબાદ કશ્યપજી દિતિને એક પુંસવન નામ ના વ્રત ની વિધિ શીખવાડે છે અને એક વર્ષ સુધી તે વિધિ પ્રમાણે જીવન જીવવાની આજ્ઞા કરે છે. જો તે એમાંથી ચૂકી જાય તો તેના પુત્રો એ ઇન્દ્રના મિત્ર બની જશે એવી પણ સૂચના આપે છે. જ્યારે દિતિ ખૂબ વખત પછી એક દિવસ માટે સંધ્યાકાળે આ વ્રત ચૂકી જાય છે ત્યારે ઇન્દ્ર તેમના ગર્ભમા જઈને તે ગર્ભનાં સાત અને પછી 49 ટુકડા કરી નાખે છે. આ બાળકો મરુદગણ તરીકે જન્મ લે છે. ઇન્દ્ર ત્યારબાદ તેને સમજાવે છે અને તેમની સમજાવટથી દિતિને પણ જ્ઞાન થાય છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 17
વિદ્યાધરોના અધિપતિ ચિત્રકેતુ પાસે જે વિમાન છે તે દ્વારા તે આકાશ લોકમાં ગમન કરી રહ્યા છે. ત્યારે તેઓ પાર્વતીજીને શિવજીના ખોળામાં બેઠેલા જોવે છે. આ જોઈને તેઓ શિવજીની ટીકા કરે છે. આ ટીકા સાંભળીને પાર્વતીજી ચિત્રકેતુ ને અસુર યોનિમાં જન્મ નો શ્રાપ આપે છે. ચિત્રકેતુ તે શાપ ને સ્વીકારી લેશે અને પાર્વતીજીને સમજાવે છે કે તેમનું મન તો ભગવદ્ ભક્તિ માં ચોટેલું છે અને તેથી મનુષ્ય, વિદ્યાધર કે અસુર]ની યોનીમાં પડવું તે તેમનો કોઈ શ્રાપ નથી. શિવજી ત્યારબાદ પાર્વતીજીને ભગવદ્ ભક્તો ની મહિમા સમજાવે છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 16
ચિત્ર કેતુની સાથે વિશાદ થયેલા તેના બધા સ્વજનોને જોઈને દેવર્ષિ નારદજી તે પુત્ર ના આત્માને પાછો બોલાવે છે અને તેની સાથે વાર્તાલાપ કરે છે. નારદજી પૂછે છે કે એ આત્માને આ શરીરમાં પાછળ આવું છે કે નહીં. અને જીવાત્મા તેમને ખૂબ જ સુંદર જવાબ આપે છે. આ જવાબ સાંભળ્યા પછી ચિત્રકેતુ અને તેના બધાં સંબંધીઓ અંદરથી મોહભાવના મુક્ત થઈ જાય છે. અને તેઓ બધા પોતાને ભગવાનની ભક્તિ માં સ્થાપિત કરે છે. આ અધ્યાયમાં આપણે જીવાત્માની ગતિ વિષે ખૂબ સુંદર તત્વજ્ઞાન મેળવી શકીએ છીએ.

Bhagvat Puran Skandh 6 Adhyay 15
ચિત્રકેતુ ને પુત્ર શોકમાં વ્યાકુળ થયેલો જોઇને અંગિરા ઋષિ અને દેવર્ષિ નારદજી ખૂબ જ સુંદર ઉકતીઓથી ઉપદેશ આપે છે. તેઓ તેને આત્મા અને શરીર વચ્ચેના ભેદની ભાવના સમજાવે છે. આ સાંભળીને ચિત્રકેતુના મનમાંથી મોહ દૂર થાય છે અને આગળ જતાં તે વિદ્યાધર રોના અધિપતિ બને છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 14
જ્યારે રાજા પરીક્ષિતને જાણ થાય છે કે વૃત્રાસુર ને પણ ભગવાન વિષ્ણુના ચરણોનો પ્રાપ્તિ થઈ છે ત્યારે તે શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આવું કેમ શક્ય બન્યું. આ અધ્યાયમાં આપણે વૃત્રાસુરના પૂર્વ ચરિત્ર કે જ્યારે તે રાજા ચિત્રકેતુ હતો તેની વાત સાંભળીશું. રાજા ચિત્રકેતુ ને પુત્ર પ્રાપ્તિની ખૂબ ખેવના હતી. અંગિરા ઋષિના આશીર્વાદથી પુત્ર પ્રાપ્તિ થઈ ત્યારે રાજા ચિત્રકેતુની મનગમતી પત્નીએ પુત્રને જન્મ આપ્યો. બીજી રાણીઓએ ઈર્ષા વશ થઈને તે પુત્રને ઝેર આપી અને મારી નાખ્યો. આ જોઈ અને રાજા ચિત્રકેતુ અને તેમના પત્ની મોહ માયાથી જકડાયેલા હોવાને કારણે ખૂબ જ દુખી થઈ ગયા અને તેમના સ્વજનો પણ તેમના શોક ને જોઈને દુઃખી થઈ ગયા.

Bhagvat Puran Skandh 6 Adhyay 13
ભગવાન ઈન્દ્રએ વૃત્રાસુરનો વધતો કરી નાખ્યો પણ તેની સાથે તેમને બ્રહ્મહત્યાનું પાપ પણ લાગયુ છે. આ પાપ તેમને સતત ગ્રસી રહ્યું છે. તેનાથી પીડિત થઈને ઇન્દ્ર પોતે માન સરોવર પાસે કમળ ના જંગલમાં સંતાઈ જાય છે. અને આમ તેઓ એક હજાર વર્ષ સુધી ત્યાં સંતાયેલા રહે છે. એમની અંદર રહેલી અપરાધની ભાવના તેમને ખૂબ સતાવી રહી છે. ત્યારબાદ હજાર વર્ષ પૂર્વ દેવી લક્ષ્મી અને ભગવાન રુદ્રના આશ્રયમાં રહીને ઇન્દ્ર પાછા બહાર આવે છે. બ્રાહ્મણો સાથે અશ્વમેઘ યજ્ઞ કરીને પોતાનું સ્વર્ગનુ સ્થાન પ્રાપ્ત કરે છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 12
મહાપરાક્રમી વૃત્રાસુર ઇન્દ્ર જોડે ખૂબ વીરતાથી યુદ્ધ કરે છે. જ્યારે ઇન્દ્રના હાથમાંથી વજ્ર પડી જાય છે ત્યારે વૃત્રાસુર તેમનો વધ કરવાની જગ્યાએ તેમને વીરના લક્ષણો સમજાવતા ઉપદેશ આપે છે અને ફરી પાછા યુદ્ધ માટે લલકારે છે. જ્યારે ઇન્દ્ર તેના બંને હાથ છેદી નાખે છે ત્યારે વૃત્રાસુર પોતાના વિશાળ મુખથી ઇન્દ્રને તેમના વજ્ર સાથે ગળી જાય છે. નારાયણ કવચથી સુરક્ષિત ઇન્દ્ર વૃત્રાસુર ના પેટમાં પહોંચીને વજ્રથી તેના પેટ ને ચીરી અને બહાર આવે છે અને આ રીતે વૃત્રાસુર નો અંત કરે છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 11
જ્યારે વૃત્રાસુરે જોયું કે તેની સેના વજ્રના ભયથી ચારે તરફ ભાગી રહી છે ત્યારે તેણે ઈન્દ્રની સામે જઈ અને યુદ્ધ નો લલકાર કર્યો. ઇન્દ્રએ વૃત્રાસુર પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે તેણે એક ગદાને રોકી અને એ જ ગદા દ્વારા ઇન્દ્રના હાથી ઐરાવત પર વાર કર્યો. ઐરાવત મૂર્છિત થઈ ગયો અને ઇન્દ્ર પોતે ભાન ગુમાવી બેઠા ત્યારે વૃત્રાસુરે એક શુરવીર ની જેમ તેમના પર કોઈ પણ પ્રકારનો પ્રહાર કર્યો નહીં. ઇન્દ્ર જ્યારે ફરીવાર ભાનમાં આવ્યા અને ઐરાવત પર સવાર થયા અને યુદ્ધ કરવા લાગ્યા. આ યુદ્ધમાં વૃત્રાસુર વીરગતિને પ્રાપ્ત થયો. પોતે મૃત્યુની નજીક છે આવી જાણ થતાં વૃત્રાસુરે ભગવાનની ખુબ સુંદર સ્તુતિ કરી અને ભગવદ્ ભક્તિ પ્રાપ્ત કરી.

Bhagvat Puran Skandh 6 Adhyay 10
શ્રી હરિના જણાવ્યા મુજબ દેવતાઓએ દધીચિ ઋષિ પાસે જઈ અને તેમના અસ્થિઓની માંગ કરી. દધીચિ ઋષિએ તેમની પાસે સુંદર તર્ક ની માંગ કરી. ત્યારબાદ પોતાનો દેહત્યાગ કરી અસ્થિઓ દેવતાઓને સમર્પણ કર્યા. દેવતાઓએ આ અસ્થિઓમાંથી વિશ્વકર્માની મદદથી વજ્રનું નિર્માણ કર્યું અને ત્યારબાદ તેમણે વૃત્રાસુર ની સેના પર આક્રમણ કરી દીધું. વજ્રના પ્રભાવથી અસુર સેના તહસ-નહસ થઈ ગઈ અને ચારે તરફ ભાગવા લાગી. તે સમયે વૃત્રાસુરે પોતાની સેનાને શૂરવીર માટે ઉત્તમ એવા મૃત્યુની ગતિ સમજાવી .

Bhagvat Puran Skandh 6 Adhyay 9
દેવરાજ ઇન્દ્રને જાણ થઈ કે તેમના નવા ગુરુ વિશ્વરૂપ એ અસુરોને પણ મદદ કરી રહ્યા છે. આ જાણ થતાં તેમણે વિશ્વરૂપ ના ત્રણે શિર છેદી નાખ્યા અને એના વધને ચાર ભાગમાં પૃથ્વી જળ વૃક્ષો અને સ્ત્રીઓને આપ્યા. વિશ્વરૂપના પિતાને આ જાણ થતાં તેમણે ઇન્દ્રનો શત્રુને પેદા કરવા માટે હવન કર્યો જેમાંથી વૃત્રાસુર નામનો અસુર પેદા થયો. વૃત્રાસુરે દેવો પર આક્રમણ કરી દીધું અને દેવો ભયભીત થઈને શ્રી હરિ વિષ્ણુ પાસે આના ઉપાય માટે આવ્યા. શ્રી હરિહરે સુંદર ઉપદેશ આપીને સમજાવ્યું કે આ તેમના જ પોતાના કર્મોનો ફળ છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે દેવો દધીચિ ઋષિ પાસે જાય અને તેમના અંગમાંથી એક શ્રેષ્ઠ આયુધ તૈયાર કરાવે જે વૃત્રાસુર ના વધમાં મદદ કરશે.

Bhagvat Puran Skandh 6 Adhyay 8
દેવરાજ ઇન્દ્ર જ્યારે અસરો સામે લડાઈ કરવા માટે તૈયાર થયા ત્યારે વિશ્વરૂપએ ગુરુ તરીકે તેમને નારાયણ કવચ નો ઉપદેશ આપ્યો. આ અધ્યાયમાં આપણે ખૂબ જ સુંદર એવું નારાયણ કવચ અને એના વિસ્તાર વિશે સાંભળ્યું સાંભળીશું. આ કવચના નેજા હેઠળ ઇન્દ્ર અસુરો પર વિજયી થયા.

Bhagvat Puran Skandh 6 Adhyay 7
દેવરાજ ઇન્દ્રને પોતાની સભા અને શક્તિ પ્રત્યે ખૂબ ગર્વ જાગી ગયો હતો. એકવાર તેમના ગુરૂ બૃહસ્પતિ જ્યારે સભામાં આવ્યા ત્યારે દેવરાજ ઇન્દ્ર ઉભા પણ ન થયા અને એમનો કોઈ સત્કાર ન કર્યો. આ જોતા બૃહસ્પતિજીએ ઈન્દ્રની સભાનો ત્યાગ કર્યો અને ગુરુ ન હોવાને કારણે તેમની સભામાંથી જ્ઞાન નો વિલોપ થયો. આની જાણ થતા અસુરોએ દેવો પર આક્રમણ કરી દીધું અને સ્વર્ગ પોતાનો કબજો જમાવી દીધો. દેવતાઓએ આ કારણસર બ્રહ્માજી પાસે ગયા અને તેમની પાસે આ દુર્ગમતાનો ઉપાયો માંગ્યો. બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે તેઓ અસુર પુરોહિત એવા વિશ્વરૂપ પાસે જાય અને એમની આચાર્ય તરીકે વરણી કરે. દેવોએ પોતાના તર્કથી વિશ્વરૂપ ને મનાવી લીધા અને વિશ્વરૂપ ના જ્ઞાનકુંભથી તેઓ અસુરોની સામે વિજય મેળવી શક્યા.

Bhagvat Puran Skandh 6 Adhyay 6
આજના અધ્યાયમાં આપણે દક્ષ પ્રજાપતિ અને એમની સાઠ પુત્રીઓનું વર્ણન સાંભળીશું. આપણે એમના વંશવેલા ની પણ વાત કરીશું જે આપણને નવા કથાનક તરફ લઇ જશે.

Bhagvat Puran Skandh 6 Adhyay 5
પોતાના વંશની વૃદ્ધિ માટે દક્ષ પ્રજાપતિએ હયાશ્વ નામના દસ હજાર પુત્રો ઉત્પન્ન કર્યા અને તેમને સંતાન પ્રાપ્તિ માટે તપ કરવા નારાયણ સરોવર મોકલ્યા. ત્યાં એમને નારદજી મળ્યા અને નારદજીના ઉપદેશ પ્રમાણે તે બધા ભાગવત ધર્મમાં રચ્યાપચ્યા રહ્યા અને સંતાન પ્રાપ્તિ તરફ ધ્યાન ન આપ્યું. દક્ષ પ્રજાપતિને જ્યારે જાણ થઈ કે નારદજીના ઉપદેશના કારણે તેમના પુત્રો હવે સંતાનપ્રાપ્તિમાં રસ ધરાવતા નથી ત્યારે ખૂબ શોકીત થયા. દક્ષ પ્રજાપતિએ ત્યારે બીજા દસ હજાર પુત્રો જેમના નામ શબલાંશ્ચ હતા તેમને જન્મ આપ્યો. તેઓ પણ સંતાન પ્રાપ્તિ માટે નારાયણ સરોવર પાસે તપ કરવા માટે ગયા અને નારદજીએ તેમને ઉપદેશ આપતા તેઓ પણ ભગવદભક્તિમાં જોડાઈ ગયા. આ જાણીને દક્ષ પ્રજાપતિને ખૂબ ગુસ્સો આવ્યો અને જ્યારે નારદજીને મળ્યા ત્યારે તેમણે નારદજીને શ્રાપ આપ્યો. સંત શિરોમણી નારદજીએ આ શ્રાપ સ્વીકાર પણ કરી લીધો.

Bhagvat Puran Skandh 6 Adhyay 4
રાજા પરીક્ષિત શ્રી શુકદેવજીને પ્રશ્ન કરે છે કે આ સૃષ્ટિના સર્જન ના અને વિકાસની વાત માંડીને કરો. તેના જવાબમાં, શુકદેવજી આપણને પાછા રાજા પ્રાચીનબ્રૂહિ , તેમના પુત્ર પ્રચેતાઓ, અને તેમના પુત્ર દક્ષ ની વાત તરફ લઇ જાય છે. દક્ષ પ્રજાપતિ પ્રજાની વૃદ્ધિ કરવા માટે પૃથ્વી પર પ્રજાની વૃદ્ધિ કરવા માટે તપ કરવા લાગે છે ત્યારે તે શ્રી હરિની એક ખૂબ સુંદર સ્તુતિ કરે છે. શ્રી હરિ તેના પર પ્રસન્ન થાય છે અને દક્ષ પ્રજાપતિને પંચજન પ્રજાપતિની પુત્રી સાથે લગ્નની આજ્ઞા આપે છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 3
યમદૂતો અજામિલ નો પ્રાણ લીધા વિના જ યમરાજ પાસે પાછા જાય છે અને યમરાજ પાસે શંકાના નિવારણ માટે માંગણી કરે છે કે શું આપના થી પણ કોઈ પર છે. તેના જવાબમાં યમરાજ તેમને શ્રી હરિ અને તેમના લોકની સમજણ આપે છે. યમરાજ ભગવાનના સ્વરૂપનું વર્ણન કરે છે અને જણાવે છે કે માત્ર ૧૨ વ્યક્તિઓ જ ભાગવત ધર્મનું રહસ્ય સમજી શકે છે. યમરાજના મુખેથી શ્રી હરિ ની સ્તુતિ સાંભળી ને યમદૂતોને શંકા નો નાશ થાય છે.

Bhagvat Puran Skandh 6 Adhyay 2
યમદૂતો ની વાત સાંભળ્યા પછી ભગવાન વિષ્ણુના પાર્ષદ એ દૂતોને ધર્મ અને ભગવાન ના નામસ્મરણમાં રહેલી શક્તિ સમજાવે છે. શાસ્ત્રો અને વેદોનું સ્મરણ કરાવીને તે પાર્ષદો, યમદૂતોને અજામિલ ના પ્રાણ લીધા વિના જ પાછા યમરાજ પાસે મોકલે છે. અજામિલ નો આત્મા આ ઘટનાને નિહાળી ને પોતે મનુષ્ય જન્મમાં રહીને કરેલી ખોટા કર્મોની વાતોને યાદ કરે છે અને નારાયણનું નામ લેતા પ્રાયશ્ચિત કરે છે. એને પ્રાયશ્ચિત કરતો જોઈ ભગવાનના પાર્ષદો એને વૈકુંઠલોક લઈ જાય છે

Bhagvat Puran Skandh 6 Adhyay 1
છઠ્ઠા સ્કંધના પ્રથમ અધ્યાયમાં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે એવા કયા અનુષ્ઠાન મનુષ્ય જાતિ એ કરવા જોઇએ જેથી તેને ભયંકર યાતનાઓપૂર્ણ નરકમાં જવું પડે નહીં. તેના જવાબમાં શુકદેવજી ખૂબ સુંદર રીતે ધર્મ અને તત્વજ્ઞાન નું વિશ્લેષણ કરે છે. ત્યારબાદ તેઓ અજામિલ નામના એક બ્રાહ્મણ નું આખ્યાન રાજા પરીક્ષિતને સંભળાવે છે. અજામિલ એક વિદ્વાન બ્રાહ્મણ છે જે ખોટા રસ્તે ચડી ચૂક્યા છે. તેમના સૌથી નાના પુત્ર નું નામ નારાયણ છે અને જ્યારે યમદૂતો તેમને લેવા માટે આવે છે ત્યારે તે પુત્ર મોહ માં નારાયણ એમ બોલે છે અને તે સાંભળતા ભગવાન વિષ્ણુના પાર્ષદો ત્યાં આવી અને યમદૂતોને અજામિલ નો પ્રાણ ન લઈ જવા માટે કહે છે. યમના દૂતો એ સમયે ભગવાન વિષ્ણુના પાર્ષદોને અજામિલ નું વૃતાંત કહી સંભળાવે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 26
રાજા પરીક્ષિત શુકદેવજીને મનુષ્યને ઉત્તમ અને અધમ ગતિ કેમ પ્રાપ્ત થાય છે અને તેની વિવિધતા કેમ હોય છે એના વિશે પ્રશ્ન કરે છે. શ્રી શુકદેવજી તેના ખૂબ સુંદર જવાબ આપે છે. ત્યારબાદ તેઓ નરક ની ગતિ નું વર્ણન કરે છે. હિન્દુ શાસ્ત્રમાં નરકોની સંખ્યા એકવીસ છે આ ઉપરાંત બીજા સાત મળીને કુલ ૨૮ નરકોમાં મનુષ્યને યાતનાઓ ભોગવવી પડે છે. પોતે કરેલા પાપ કર્મો ને લીધે શ્રી શુકદેવજી કયા પાપ ના લીધે કયા પ્રકારના નરકમાં જવું પડશે તેની વિગતવાર માહિતી આપે છે. તેઓ આ નરકમાંથી કેવી રીતે ઉગાડવું તેના વિશેની પણ ચર્ચા કરે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 25
શ્રી હરિનું તામસી રૂપ એ સંકર્ષણ દેવના નામે ઓળખાય છે. આ અધ્યાયમાં આપણે બ્રહ્માપુત્ર નારદજી દ્વારા સંકર્ષણ દેવની સુંદર સ્તુતિ સાંભળીશું. આ અધ્યાયના અંતમાં શુકદેવજી રાજા પરીક્ષિત ને કહે છે કે હવે કોઈ બીજા તત્વજ્ઞાની લક્ષી પ્રશ્ન હોય તો તે પૂછો.

Bhagvat Puran Skandh 5 Adhyay 24
ગ્રહણ નો અર્થ સમજાવવા માટે પૌરાણિક સમયના વૈજ્ઞાનિકોએ રાહુનું સર્જન કર્યું. જ્યારે અમૃતની વહેંચણી થઈ રહી હતી ત્યારે રાહુ સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી ગયો અને અમૃત એના ગળા સુધી પહોંચ્યું, ત્યારે ખબર પડતાં ભગવાન શ્રીહરિએ તેનું સુદર્શન ચક્રથી માથું વાઢી નાખ્યુ. રાહુની કથાની સાથે આ અધ્યાયમાં આપણે સાત ભૂગર્ભમાં રહેલા લોક જે ઘણીવાર આપણે પાતાળલોક તરીકે ઓળખિયે છીએ તેની કથા પણ સાંભળીશું. આપણે પાતાળલોકમાં રહેતા પ્રજાપતિઓ, તેમની પ્રજા, તેમના વર્ણ વગેરેની વાત પણ જાણીશું.

Bhagvat Puran Skandh 5 Adhyay 23
આ અધ્યાયમાં આપણે શિશુમાર ચક્રનું વર્ણન સાંભળીશું. શિશુમાર ચક્ર આખા બ્રહ્માંડનું હિંદુ ફિલોસોફી પ્રમાણે નું વર્ણન છે. પુરાણ સમયના વૈજ્ઞાનિકોએ સપ્રમાણતા ના સિદ્ધાંત મુજબ 14 નક્ષત્રો જમણી અને 14 નક્ષત્ર ડાબી બાજુએ ગોઠવીને બ્રહ્માંડનું સુંદર નિરૂપણ કર્યું છે. એ સમયના વૈજ્ઞાનિકોએ જે જોયું તેને સરળ ભાષામાં સામાન્ય મનુષ્યને સમજાવવા માટે ખુબ સુંદર પ્રયત્ન કર્યો છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 22
માત્ર અવલોકનના પ્રભાવથી એ સમયના વૈજ્ઞાનિકો જેને આપણે ઋષિઓ કહે છીએ તેમણે સૂર્ય, ચંદ્ર, શુક્ર, બુધ, ગુરુ, શનિ વગેરે ગ્રહોની સ્થિતિ વિશે આપણને સમજણ આપી. તેઓ એ પણ સમજાવી શકે છે કે પૃથ્વી એ બ્રહ્માંડનું સેન્ટર નથી પણ પૃથ્વી સૂર્યની આસપાસ ગતિ કરે છે. પશ્ચિમ જગતના વિજ્ઞાન કરતા આ ખૂબ આગળ પડતી માહિતી છે એ સમય માટે. એ આપણને ભારતીય વિજ્ઞાન કેટલુ આગળ પડતું હતું તે પણ જણાવે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 21
આધુનિક ભૌતિક શાસ્ત્રની સમજણ સાથે આપણે આજના અધ્યાયમાં મેટર, એન્ટીમેટર અને એ અવકાશની સાથે જોડાયેલા ગ્રહો નક્ષત્ર અને ભગવાન સૂર્યની ગતિ ની વાતો સાંભળીશું. આ અધ્યાયમાં આપણે ટાઇમ ઝોન વિશે પણ સમજીશું.

Bhagvat Puran Skandh 5 Adhyay 20
જંબુદ્વીપથી શરૂ કરીને આપણે આ અધ્યાયમાં બીજા છ દ્વીપોનો તથા લોકાલોક પર્વત વિષે સાંભળીશું. જંબુદ્વીપ ની બહાર પ્લક્ષદ્વીપ, તેની બહાર શાલમાલીદ્વીપ, કુશદ્વીપ ક્રૉન્ચદ્વીપ, શાકદ્વિપ અને પુષ્કરદ્વીપ ની વાત સાંભળીશું. શુકદેવજી ના મુખે આપણે લોકાલોક નામના પર્વત ની વાત પણ જાણીશું. લોકાલોક પર્વત એ બ્લેક હોલ ની કલ્પના તરફ લઈ જાય છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 19
આગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગઆગળના અધ્યાયોની જેમ આપણે આ અધ્યાયમાં કીંપુરુષ ખંડ અને ભારત ખંડમાં ભગવાનની જે સ્તુતિઓ થાય છે એના વિશે જાણીશું. કીંપુરુષ ખંડમાં ભગવાન રામ સ્વરૂપે રહે છે અને હનુમાનજી તેમની કથા સાંભળે છે. ભારત વર્ષમાં ભગવાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.વાન નર-નારાયણ રૂપ ધારણ કરીને કલ્પના અંત સુધી સતત ધર્મજ્ઞાન વૃદ્ધિ માટે બોધ આપે છે. આપણે દેવતાઓ દ્વારા મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા ની સ્તુતિ પણ સાંભળીશું જ્યાં દેવતાઓ પણ ભારત વર્ષમાં જન્મેલા મનુષ્ય નો મહિમા ગાય છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 18
આ અધ્યાયમાં આપણે ભિન્ન ભિન્ન ખંડોનું વર્ણન સાંભળીશું. દરેક ખંડમાં ભગવાનના એક જુદા સ્વરૂપની સ્તુતિ કરવામાં આવી છે. જેમકે ભદ્રાશ્વ ખંડમાં ભગવાન વાસુદેવ ની હયગ્રીવ નામની ધર્મપ્રિય મૂર્તિને પૂજવામાં આવે છે. તેવી જ રીતે હરિખંડમાં ભગવાન નરસિંહ રૂપે પૂજવામાં આવે છે. કેતુમાલ દેશમાં લક્ષ્મીજી, સંવત્સર નામના પ્રજાપતિ ના પુત્ર અને પુત્રીની સાથે ભગવાનની પૂજા કરે છે. રમ્યક ખંડમાં મત્સ્યરૂપની સ્તુતિ થાય છે. હીરાયણમય ખંડમાં ભગવાન કચ્છપ રૂપ ધારણ કરીને રહે છે અને ઉત્તરકુરુ ખંડમાં યજ્ઞપુરુષ વરાહનું રૂપ ધારણ કરે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 17
આ અધ્યાયમાં આપણે ગંગાજી ની ઉત્પતિ કેવી રીતે થઈ અને ત્યારબાદ ગંગાજી કેવી રીતે અંતરિક્ષમાંથી ધ્રુવ લોકમાં અને ત્યાંથી બ્રહ્મપુરી માં અને ત્યારબાદ પૃથ્વી પર અવતર્યા. પૃથ્વી પર તેમની સમુદ્ર સુધીની યાત્રા પણ આપણે સાંભળીશું. ઇલાવૃત દેશમાં આપણે શિવજીના મુખે સાકર્ષણની સ્તુતિનો આનંદ માણીશું.

Bhagvat Puran Skandh 5 Adhyay 16
આજના અધ્યાયમાં આપણે ભુવનકોષનું વર્ણન સાંભળીશું. ભુવનકોષ એટલે એટલે કે બ્રહ્માંડ. શુકદેવજી આપણને રાજા પ્રિયવ્રતે પ્રસ્થાપિત કરેલ સાત દ્વીપ ની વાત કરવાના છે. આ દરેક દ્વીપમાં રહેલ લોકોના નામ, એમના પર્વતો, અધિપતિઓ અને વર્ણની વાત આજના અધ્યાયમાં જાણવા મળશે.

Bhagvat Puran Skandh 5 Adhyay 15
After hearing the explanation from Sage Shukdevji of the metaphor offered by Jadbharat, we are now move further along the story line by listening to the progeny of King Bharat and hear about some of the Dharma driven kings in the Bharat lineage. We hear particularly about the King Gaya and his illustrious life.

Bhagvat Puran Skandh 5 Adhyay 14 Part 2
Continuing on the explanation of the bhavatavi, we hear Sage Shukdevji offers a clearer meaning of how small materialistic steps lead to the degeneration of the soul. He also elaborates on the kalchkara (the force of life and death) and how it affects the soul further. He explains that having that comparative expectations of getting more than others makes it even worse for the soul. We are reminded of the Greek idea of polis.

Bhagvat Puran Skandh 5 Adhyay 14 Part 1
As requested by King Parikshit, Sage Shukdevji elaborates on the idea of Bhavatavi (the material world). In his detailed explains, he shows how a soul gets trapped in the materialistic ideology and runs on this slippery slope of degeneration.

Bhagvat Puran Skandh 5 Adhyay 13
Jadbharat uses a deeply metaphoric reflection on 'bhavatavi', the material world, and explains how a soul gets trapped in the lure of physical materialism and loses the path of upliftment. In a most beautiful poetic way Jadbharat adds a unique touch to the metaphor by making some of the aspects easy to understand while other being very deep and requiring a lot of reflection. King Rahugana is overwhelmed by the knowledge he has received from Jadbharat. On the other hand, in his listening of this story, King Parikshit does not understand some of the aspects of the metaphorical story and so requests Sage Shukdev to explain it further.

Bhagvat Puran Skandh 5 Adhyay 12
King Rahugana asks the questions as to why we are blinded by logic and Jadbharat explains in detail the nature of being. He offers an observation as to what is the difference between a rock on the Earth and us if the soul is removed. Jadbharat offers some deep reflections and also mentions his past births and the folly of being trapped in the cycle of material attractions that may be even love towards another being. He suggests the need to focus all that love towards the Lord.

Bhagvat Puran Skandh 5 Adhyay 11
Jadbharat explains to the king Rahugana that just using a superficial logic is no way to become a knowledgeable person. Further, such logic cannot lead to the path of Moksha. Jadbharat delienates the idea of the body, the Earth and the soul. He also demonstrates using an example, how materialism leads to the vicious cycle of the degeneration of the soul.

Bhagvat Puran Skandh 5 Adhyay 10
Once upon a time King Rahugan is passing through his kingdom and is need of a palanquin carrier. He finds Jadbharat and adds him as part of palanquin carriers. However, Jadbharat in his view not to harm those insects and other living being crawling on the Earth, does not keep pace with other palanquin carriers. The king gets really angry on Jadbharat and also mocks him. Jadbharat at this time offers the most insightful reflection on tatvagyan and in brief explains the difference he sees in the soul and the body. Rahugan realises his mistake and asks for forgiveness from Jadbharat as well as poses a question based on logic.

Bhagvat Puran Skandh 5 Adhyay 9
In his re-birth after leaving his body of a deer, the king Bharat is born as one of the twins in a Brahmin family. He remembers his past and is so worried about going down the wrong path that he acts deaf, dumb and generally incapable of coherent thoughts. His father has a lot of love for him and tries to teach him but 'jadbharat' does not learn much. When his father dies, his brothers and others take advantage of jadbharat, however, he does not mind as nothing sways him from the path of the Lord. One night, some decoits, kidnap him to be the sacrifice for the Goddess Kali. The Goddess realising that a pure soul is being put on the alter for sacrifice, gets angry and kills all the decoits.

Bhagvat Puran Skandh 5 Adhyay 8
પુલહાશ્રમમાં ભરતજી ભગવાન ભક્તિ માં રચ્યાપચ્યા હતા. એ સમયે એક વખત તેમણે નદીમાં એક હરણીનું મૃત્યુ થતાં જોયું અને તેના બાળકને તરફડતા જોઈને આ મૃગબાળને તેમને બચાવી લીધું. થોડા જ વખતમાં ભરતજીને આ મૃગબાળ જોડે એટલી માયા બંધાઈ ગઈ કે તેઓ ભગવાનની ભક્તિ નો ભાવ ભૂલી ગયા અને તેમનામાં હું પણું પાછું પ્રસ્થાપિત થયું. તેઓ વિચારવા લાગ્યા કે હું નહીં હોઉં તો હરણબાળ નું શું થશે અને તેને કેવી રીતે સાચવવું. આ અધ્યાયમાં આપણને મોહ કેવી રીતે થઈ જાય છે તેનું બહુ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. આવા મોહને કારણે ભરતજીનો મૃગ યોનિમાં જન્મ થયો. પોતે આગળ કરેલી ભગવદ્ ભક્તિ ના કારણે તેમને પાછલા જન્મની સ્મૃતિ રહી અને એટલે સમજી શક્યા કે એમણે કેવા પ્રકારની ભૂલો કરી છે. મૃગ બનીને તેઓ પાછા પુલહાશ્રમ જ આવ્યા અને ત્યારબાદ થોડા સમય પછી તેમણે પોતાના શરીરનું ગંડકી નદીમાં વિસર્જન કર્યું.

Bhagvat Puran Skandh 5 Adhyay 7
આ અધ્યાયથી આપણે મહારાજ ભરતના ચરિત્ર તરફ વળી રહ્યા છીએ. મહારાજ ભરત બહુવિધ હતા અને સક્ષમ રાજા હતા. તેઓએ શાસ્ત્ર વિધિપૂર્વક ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું અને ત્યાર બાદ પોતાના પુત્રોને યથાયોગ્ય સંપતિ અને રાજ્ય સોંપી અને ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો. રાજા ભરત આપણને કોઈ એક અગ્રણી કે નેતાએ ક્યારે રાજ્ય ત્યાગ કરવો એની ખૂબ સુંદર સમજણ આપે છે. રાજા ભરત ત્યારબાદ પુલહાશ્રમ મા રહેવા લાગ્યા અને નિષ્ઠાથી ભગવદ્ ભક્તિ માં રચ્યાપચ્યા રહેતા હતા. એમ કરવાથી તેમનામાં પરમ આનંદ છલોછલ ભરાઈ આવ્યો.

Bhagvat Puran Skandh 5 Adhyay 6
આજના અધ્યાયની શરૂઆત માં રાજા પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરે છે કે જાતજાતની સિદ્ધિઓ ઉપલબ્ધ હોવા છતાં ભગવાન ઋષભદેવ એ આ બધી સિદ્ધિઓ કેમ સ્વીકારી નહીં. તેના જવાબમાં શુકદેવજી ભગવાન ઋષભદેવ નું ચરિત્ર અને તેમના દેહત્યાગ ની વાત કરે છે અને સમજાવે છે કે રજોગુણ વાળા વ્યક્તિઓને કેવી રીતે મોક્ષ માર્ગ પ્રાપ્ત કરવો તેનું જ્ઞાન ઋષભદેવના જીવનમાંથી આપણને ઉપલબ્ધ થાય છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 5
જૈન ધર્મના પ્રથમ તીર્થંકર મહારાજ ઋષભદેવ એ સબળ રાજા છે પણ આધ્યાત્મમાં એટલું જ ઊંડાણ ધરાવે છે. તેઓ પોતાના પૂત્રોની સાથે બ્રાહ્મણોએ કરેલા એક મહાયજ્ઞમાં ભાગ લે છે અને ત્યાં પોતાના પુત્રોને આધ્યાત્મનો સર્વ પ્રથમ ઉપદેશ આપે છે. આ ઉપદેશ જૈન ધર્મની પ્રથમ કેડી છે. ત્યારબાદ પુત્ર ભરતને પોતાનું રાજ્ય સોંપી અને મહારાજ ઋષભ દે દેવ અવધૂત માર્ગ ધારણ કરે છે. આ અધ્યાયમાં આપણે સાચો અવધૂત કેવો હોય અને ત્યાગનો સાચો અર્થ શું છે તે વાત સમજીશું.

Bhagvat Puran Skandh 5 Adhyay 4
મહારાજ નાભીને ત્યાં ભગવાન વિષ્ણુ ભગવાનના વરદાનથી ભગવાન વિષ્ણુના જ રૂપ એવા ઋષભ દેવનો જન્મ થાય છે. તેમનું નામ ઋષભ એટલે કે શ્રેષ્ઠ રાખવામાં આવ્યું છે. બાળપણથી જ તેઓ પોતાનું તેજ અને પરાક્રમ દેખાડે છે. જ્યારે ઇન્દ્ર તેમના રાજ્યમાં ઈર્ષા વર્ષ વર્ષા કરવાનું રોકી દે છે, ત્યારે ઋષભદેવ પોતાની શક્તિથી આખા રાજ્યમાં વર્ષા ફેલાવે છે. આ અધ્યાયમાં આપણે ઋષભદેવના વંશજોની પણ વાત પણ સાંભળીશું. ઋષભદેવ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 3
આ અધ્યાયમાં આપણે મહારાજ નાભીની વાર્તા સાંભળીશું. મહારાજ નાભી પુત્રહીન છે, તેથી બ્રાહ્મણોની મદદથી તેઓ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે મહાયજ્ઞ આદરે છે. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને આ યજ્ઞમાં પ્રગટ થાય છે જ્યાં બ્રાહ્મણો એમની પાસે સર્વથા ભગવાનનું સ્મરણ રહે એવું વરદાન અને મહારાજ નાભિ ભગવાન જેવો પુત્ર મળે તેવું વરદાન માંગે છે. ભગવાન વિષ્ણુ બંને વરદાન આપે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 2
પાંચમા સ્કંધના બીજા અધ્યાયમાં આપણે રાજા આગ્નીદ્રની કથા સાંભળીશું. તેઓ પ્રિયવ્રત ના પુત્ર છે. રાજા આગ્નીદ્રને પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે અને તે માટે તેઓ બ્રહ્માજીની તપસ્યા કરે છે. બ્રહ્માજી પ્રસન્ન થઈને પોતાની અપ્સરા પૂર્વચીતીને તેમની પાસે મોકલે છે. અપ્સરાથી મોહિત થઈ અને રાજા આગ્નીદ્ર એની સાથે વિવાહ કરે છે અને નવ પુત્રોને જન્મ આપે છે. આગ્નીદ્ર રાજા તરીકે ખૂબ કુશળ છે પણ એ જ સમયે તેઓ વિષય વાદી પણ છે. પોતાના પુણ્ય કાર્યોને લીધે તેમને વિષય લોક પ્રાપ્ત થાય છે તે પોતાના નવ પુત્રોની વચ્ચે જાંબુ દ્વીપ ને વહેંચી ને વિદાય લે છે.

Bhagvat Puran Skandh 5 Adhyay 1
પાંચમા સ્કંધના પ્રથમ અધ્યાયમાં આપણે સર્વ પ્રથમ રાજા પ્રિયવ્રત નું ચરિત્ર સાંભળીશું. પ્રિયવ્રત એ સ્વયંભૂવ મનુ ના બીજા નંબરના પુત્ર છે ચોથા સ્કંધમાં આપણે મહારાજ ઉત્તાનપાદ ની કથા સાંભળી આ અધ્યાયમાં આપણે પ્રિયવ્રત અને એમના વંશજો ની વાત સાંભળીશું. પ્રિયવ્રત તે આત્મજ્ઞાની રાજા હતા. રાજ્ય એમની પ્રથમ પ્રાથમિકતા ન હતી છતાં પણ બ્રહ્માજી અને પોતાના પિતા સ્વાયંભુવ મનુની વાત સાંભળીને તેમણે રાજ્યનો સ્વીકાર કર્યો અને રાજ્યનો વિસ્તાર કર્યો. સૂર્ય સમાન શક્તિશાળી રાજા પ્રિયવ્રત પૃથ્વીનો સાત ખંડોમાં વિભાજન કર્યું અને પોતાના પુત્રને સોંપી. ત્યારબાદ તેઓ પોતાના પુત્રોને રાજ્ય સોંપી અને આધ્યાત્મની કેડીએ ચાલ્યા.

Bhagvat Puran Skandh 4 Adhyay 31
After accomplishing their tasks on the Earth, prachetas left their wife and kids and went to the Western seafront for their penance. That is where they met Naradji and sri Naradji gave them the lost knowledge of spirtiualism again. Listening to that prachetas felt the full devotion to the Lord Vishnu and reached his abode.

Bhagvat Puran Skandh 4 Adhyay 30
Vidurji asks Maitrayaji about how Prachetas got to meet the Lord Vishnu and what did he say to them. Maitrayaji informs him of the story and how the Lord appeared in front of Prachetas and then they all offered a stuti the Lord. They all married to the daughter of an apsara and rishi Kundu and their son was the reincarnation of Daksha.

Bhagvat Puran Skandh 4 Adhyay 29 Part 2
In the second part of the exploring meaning of Puranjan's story, we understand another metaphorical story that talks about a deer. Through this story, Naradji attempts to make the King Prachinbruhi, why he needs to stop his killing of animals in the yagna and focus on the penance and bhakti towards the Lord Vishnu. Just continuing to do karma without understanding its dharma is fruitless.

Bhagvat Puran Skandh 4 Adhyay 29 Part 1
The story of Puranjan is a metaphor and so Naradji now explains the king Prachinbruhi the real meaning of it. In the first part, we hear about what the story of Puranjan in the initial aspects means including why the nourishment of the soul cannot be achieved by just focusing on materialism. We also hear how worldly pleasures move us away from the bhakti of the Lord.

Bhagvat Puran Skandh 4 Adhyay 28
Puranjan dies of old age and goes to hell where the animals he had killed before attack him. Later on he gets another birth as the daughter of the king of Vidharbha. The princess then marries to the king of Pandya, Malaydhwaja. In his later life, as the king leaves his kingdom for penance, his queen (who was in previous life Puranjan) also joins. When the king dies, the queen decides to become a Sati and at that time Puranjan's old friend avignat appears and explains that he is a swan from Mansarovar originally and because of his materialistic nature he has gone through these two lives.

Bhagvat Puran Skandh 4 Adhyay 27
King Puranjan is completely devoted to his family life and has forgotten to focus on the kingdom or the purushartha, the aims of life. In that period, the kalkanya (old age), builds a connection with the king fear and his brother prajwar (fever due to illness) and start attacking Puranjan and his kingdom.

Bhagvat Puran Skandh 4 Adhyay 26
The king Puranjan goes out for hunting one day while leaving his queen and kills numerous animals. His cruel approach to life is reflected upon. When he gets back tired from the hunt, he realises that his queen is angry on him and so he goes to her palace to appease her and using his sweet tongue does so.

Bhagvat Puran Skandh 4 Adhyay 25
Maharaj Prachinbruhi meets muni Narad who asks the king about the need for so many yagna he has been doing and informs him that just focusing on the yagna and not on their meaning won't allow the king to reach moksha that he desires. Muni Narad tells the story of Puranjan. In that story, Puranjan searches for a kindgom to live in and find a wife to marry and meets a lady of that kind near Himalaya. He becomes totally infetuated with her and starts living under her whims and frenzies.

Bhagvat Puran Skandh 4 Adhyay 24
Maharaj Pruthu has left the Earth and we hear about his progeny. We hear about Vijitashwa, his son, and his life, followed by a reflection on Maharaj Prachinbruhi and his sons. These sons meet Lord Shankar when they go for a penance and Lord Shankar teaches them a stuti of Lord Vishnu.

Bhagvat Puran Skandh 4 Adhyay 23
After being a devout king for a many years, Maharaj Pruthu decides to leave his kingdom and focus on the spiritual path and enlightenment of the self. He goes to the forest and focuses on the penance and soul cleansing. Maharani Archi also joins him in this journey and they both reach moksha. We again hear about the way of Moksha.

Bhagvat Puran Skandh 4 Adhyay 22
The four first sons of Brahma visit Maharaj Pruthu and offer his sagely advice. They explain what should an individual do to be on the path of dharma and moksha ultimately. They also explain why the soul falls from grace. We also hear about the karma of Maharaj Pruthu after the sages leave.

Bhagvat Puran Skandh 4 Adhyay 21
Maharaj Pruthu arrives back in his abode and after sitting with his subjects and many other rishis he explains his views on the role of a ruler and what his subjects should be doing. He also explains the role of the leader and the importance of Dharma at individual and societal levels.

Bhagvat Puran Skandh 4 Adhyay 20
Seeing the forgiveness demonstrated by Maharaj Pruthu, Lord Vishnu appears and explains the role of a king and the path of moksha. The Lord also requests Pruthu to ask for a boon. Listening to the Lord's advice, Pruthu pleads to the Lord that he offers him a place in his heart. The Lord praises Pruthu and everyone leaves the Yagya.

Bhagvat Puran Skandh 4 Adhyay 19
After seeing that the people under his rule are well settled, Maharaj Pruthu focuses on his spiritual self and decides to carry out 100 Ashwamedh Yagya. Bitten by jealousy, the mercurial God, Indra feels that Pruthu will gain even more of a status than him by completing the 100 yagyas. Hence, he tries to disrupt the process disguising himself in different identities. The son of Pruthu, stops Indra from his mischief. Knowing what Indra is trying to do, Pruthu gets angrier and gets ready to kill Indra. However, Brahamaji appears and requests Pruthu to disengage and avoid taking part in such misdeed. Pruthu, in his maturity, lets go of Indra and forgives him.

Bhagvat Puran Skandh 4 Adhyay 18
Earth who has taken the shape of a cow explains to Maharaj Pruthu why she is hiding the different types of fauna, flora and other good things. She requests that Maharaj Pruthu finds the right calf and the right shepherd to milch this cow and also provide flat lands to people by demolishing some of the hills. Following that mother Earth provides what is required by different types of beings. Maharaj Pruthu who has taken the Earth under his refuge, makes her his daughter.

Bhagvat Puran Skandh 4 Adhyay 17
When Maharaj Pruthu finds out from his citizens that the Earth has stop offering them the resources, he gets ready to fire a metaphorical arrows to the Earth. The Goddess Earth takes the shape of a cow and runs from the Maharaj Pruthu. However, she realises that there is no way out and so takes refuge with Pruthu himself. She understands that Maraharj Pruthu is another incarnation of Lord Vishnu and offers a stuti.

Bhagvat Puran Skandh 4 Adhyay 16
When Maharaj Pruthu explains his views about why he should not be praised early, the people feel grateful and offer his stuti that reflects the expectations of the people from him. Moreover, in doing so, vyasji explains the role of and expectations from a good leader.

Bhagvat Puran Skandh 4 Adhyay 15
When the sages try again, they get two bodies from the arm of the dead king Ven. Two beings emerge from that as Pruthu and Archi, who are identified as the incarnation of Lord Shri Vishnu and Laxmi ji. As people start praising Maharaj Pruthu he stops them and explains that they should not praise him before they see his karma. We learn some leadership lessons through his sentences.

Bhagvat Puran Skandh 4 Adhyay 14
In this episode we hear about the king Ven, who is full of self-praise and asks everyone to stop their devotion of the Lord Vishnu. He wants to everyone to divert their devotional activities to him only. Seeing this, the sages attempt to reason with the king, however, the king gets angry at them. Thus, in retaliation, the sages put him to death. The sages realise that Ven having no sons, the lineage of Dhruv will be gone. Thus, they attempt to get a baby out of his body. The first one happens to Nishad, who is full of vices.

Bhagvat Puran Skandh 4 Adhyay 13
We hear about the sons and grandsons of Dhruv leading to the story of Mahraja Ang and his son Ven. We hear how leaders' performance is affected when they are blinded by love. The clash between love and duty leads Maharaj Ang to leave his kingdom and Ven (who is a cruel and deceitful) becomes the king.

Bhagvat Puran Skandh 4 Adhyay 12
Dhurv gets to meet Kuberji and gets a boon that Sri Hari will always remain in his mind and heart. Dhruv remains as a king for 36000 years as the lord ordered and he leaves for the Vishnu lok when the time arrives. The whole story of Dhruv makes us think about bhakti and nishtha again.

Bhagvat Puran Skandh 4 Adhyay 11
A horrific battle rages between Dhruv and the Yakshas. Some sages advice dhruv to use Narayanastra. As Dhruv uses the divyastra the Yakshas start losing the battle. At that moment, the grand father of Dhruv, Svayambhuv Manu, appears and attempts to persuade Dhruv to stop the battle. He explains the reasons why Dhruv should stop and what he should do next.

Bhagvat Puran Skandh 4 Adhyay 10
We hear about Dhruv's life, marriages and progeny. As Uttam, brother of Dhruv, gets killed by a Yaksha, Dhruv gets angry and fights with the whole Yaksha army. He kills thousands of Yaksha and as they start losing, the Yakshas use illusions (which is one of their weapons).

Bhagvat Puran Skandh 4 Adhyay 9
Lord Vishnu appears in front Dhruv and gives him a place in the Dhruv loke. Dhruv returns to his home wherein the king Uttanpad and all others welcome him with open arms. However, Dhruv remains upset that when he had the opportunity to be with the lord, he asked for material aspects.

Bhagvat Puran Skandh 4 Adhyay 8
We start with a new story line in this adhyay of Dhruv. Having scolded by his step mother for attempting to sit into the lap of the king Uttanpad, the 5 year old Dhruv follows his mother's advice and goes to the forest for tapasya of Lord Vishnu.

Bhagvat Puran Skandh 4 Adhyay 7
With Daksha and all those who were present being forgiven by Mahadev Shiv, everyone is led by Brahmaji to Daksha's yagya place. There, as instructed by Shiva, Daksha is made alive and after the first yagna, Lord Sri Vishnu appears and everyone offers a stuti to him.

Bhagvat Puran Skandh 4 Adhyay 6
Having seen the destruction of Daksha's yagna and Daksha vadh, the rishis and gods are afraid of Shiva's anger. They go to Brahamaji who recommends them to go to Shiva and ask for forgiveness. Brahamaji also comes to Kailash (Shiva's abode) and we hear about the wonderful environment there and the stuti by Brhamaji of Shiv.

Bhagvat Puran Skandh 4 Adhyay 5
Hearing the news of Sati's death, Mahadev Shiv gets furious and sends Virbhadra to destroy Daksha's yagya. Virbhadra also kills Daksh Prajapati.

Bhagvat Puran Skandh 4 Adhyay 4
With Shiva suggesting she should not go, bound by father's love, Sati still visits the yagna organized by Daksh Prajapati. She is insulted there and then she observes the insult to Lord Shiva (her husband) there. Unable to control her emotions and out of her sheer anger, she immolates herself.

Bhagvat Puran Skandh 4 Adhyay 3
We hear about Sati asking Shiva's permission to visit Daksha Prajapati's yagna. Shiva explains why she shouldn't go and we discuss the challenge of 'negativity bias' within us.

Bhagvat Puran Skandh 4 Adhyay 2
In this episode, we hear about the yagna where when Daksha arrives, Brahmaji and Shivji do not stand up and so Daksha gets really irritated with Mahadev and uses foul language and curses Shivji. We hear the story behind that. We also listen to the curses and counter curses that occur in each camp which follows Shivji and Daksha accordingly.

Bhagvat Puran Skandh 4 Adhyay 1
At this starting episode of the 4th Skandh, we hear about the family tree of Svayambhuv Manu. This sets up the scene for the story of Sati, the daughter of Daksha Prajapati who was married to Mahadev Shankar.

Bhagvat Puran Skandh 3 Adhyay 33
In this last episode of Skandh 3, we hear how mother Devhuti follows the advice offered by Kapil bhagvan and achieves moksha.

Bhagvat Puran Skandh 3 Adhyay 32
In this episode, Bhagvan Kapil dev ji explains the nature of movement a human soul will have depending on their way of living.

Bhagvat Puran Skandh 3 Adhyay 31
Kapil bhagvan explains the whole process of human conception to birth to death and warns against diverging from the path of the soul enlightenment.

Bhagvat Puran Skandh 3 Adhyay 30
In this episode, we explore what to avoid as a human being that can bring our soul to fall further. Bhagvan Kapil ji explains how easy it is for humans to lose focus on the soul upliftment.

Bhagvat Puran Skandh 3 Adhyay 29
In this episode, Bhagvan Kapil explains to mother Devhuti, how to focus on Bhakti. He also states why a human being should look at the murti (statue) of the Lord as a vehicle to reach beyond the statue itself and move one's soul to the Brahmapada.

Bhagvat Puran Skandh 3 Adhyay 28 Part 2
Bhagvan Kapil explains how one should bring themselves to focus on the different body parts of the Lord Vishnu. He mentions that without cleansing of the soul, just trying to focus will not work and most importantly, the process will take its own time.

Bhagvat Puran Skandh 3 Adhyay 28 Part 1
In this episode, Bhagvan Kapil explains the prior steps that one needs to take before getting onesel ready for ashtanga yoga. Ashtanga yoga is not just the practice of asanas but a state of being wherein the soul elevates its status to connect with the brahmapada.

Bhagvat Puran Skandh 3 Adhyay 27
In this episode, we hear Kapil ji explaining how the soul can be elevated back to its status and be close to the param atma. He particularly states the that the process will happen at a very slow pace but we must stick to it.

Bhagvat Puran Skandh 3 Adhyay 26
Kapil ji explains the various bases of our vritis (attitudes) and also the driving forces for the creation of virat purush and how the virat purush was woken up by the forces of nature coming together.

Bhagvat Puran Skandh 3 Adhyay 25
When asked by mother Devhuti, Kapilji explains the basics of Sankhya yoga and also explains who is a Sadhu and what are their traits.

Bhagvat Puran Skandh 3 Adhyay 24
In this episode, we hear about the birth of Kapil ji, who is a svarupa of Sri Hari. He is destined to create the Sankhya yoga.

Bhagvat Puran Skandh 3 Adhyay 23
We hear about the life of Kadarma and Devhuti in this episode. On the request of Devhuti, Kadarma creates a plane with all facilities. They enjoy the life and Devhuti gives birth to nine girls. As the Rishi Kadarma decides to leave Grihasthashram and start his life as a sanyasi, Devhuti asks for a favour.

Bhagvat Puran Skandh 3 Adhyay 22
We hear about the marriage of Prajapati Kadarma and Princess Devhuti. We also hear about the types of marriages.

Bhagvat Puran Skandh 3 Adhyay 21
Prajapati Kadarmaji is directed by Lord Brahma to observe the Gruhasthashram. So, Kadarmaji does tapasya and Shri Hari tells him of his future. The lord tells Kadarm rishi that Svaymabhuv Manu, his wife Shatarupa and their daughter Devhuti will visit him in 2 days time and he will be marrying her and leads a life of grihastha for a while.

Bhagvat Puran Skandh 3 Adhyay 20
In this episode, we hear how Lord Bramha created asuras, dev, and manu based on his different mood and attitudes. We also hear how each of these can be observed within us based on our attitudes.

Bhagvat Puran Skandh 3 Adhyay 19
We hear the great battle between the rakshash Hiranyaksh and how the Lord killed Hiranyaksha using his sudarshan chakra.

Bhagvat Puran Skandh 3 Adhyay 18
We talk about the war between the Varah avatar and Hiranyaksha. Both use guile and strength to fight.

Bhagvat Puran Skandh 3 Adhyay 17
The twins born of Diti grow and the world starts feeling the negative energy. Hiranyakashyapu and Hiranyakash start terrorising the world and so Varundev (the lord of the wind) tells Hiranyaksh to challenge Lord Vishnu.

Bhagvat Puran Skandh 3 Adhyay 16
The sages ask the Lord Vishnu about what he wishes to do with Jay and Vijay and the Lord tells them that they will have to repent for their deeds. The leadership lessons are quite important here.

Bhagvat Puran Skandh 3 Adhyay 15
Several sages who are the first sons of Brahamaji wish to visit the Lord Vishnu in his abode and two sentries (Jay and Vijay) stop them. The sages get angry and curse the two. The lord agrees with the sages but requests them to release them from the curse early. Some fascinating leadership lessons.

Bhagvat Puran Skandh 3 Adhyay 14
Diti, one of the daughters of Daksha, is married to Rishi Kashyap, who happens to be the son of Rishi Marichi, gets affected by the Kamdev and asks for babies at wrong hour of the day. Rishi Kashyap tries to reason but gives in and later on both repent. However, looking at future Kashyap explains the future of the sons that will be born.

Bhagvat Puran Skandh 3 Adhyay 13
As Brahmaji created Swayambhuv Manu and Maharani Shatrupa, they asked their father (Brahmaji) about what should they do and where should they reside as the Earth was under water. As Brahmaji was thinking about it, Varah swaraupa of the Lord appeared and it brought the mother Earth out of the abyss. We hear a wonderful stuti of Varahavatar by sages.

Bhagvat Puran Skandh 3 Adhyay 12
In this episode, we hear about the different ways in which Brahmaji attempted to create the human world. After several attempts, he could not get the world populated and so he parted himself into two and created the male (Manu) and the female (Shatarupa), whom we could identify with Adam and Eve of Hindu Philosophy.

Bhagvat Puran Skandh 3 Adhyay 11
In this episode, we understand the concept of time and its measurement in Hindu philosophy. We identify the micro concepts of atoms to multi-verse.

Bhagvat Puran Skandh 3 Adhyay 10
Brahmaji, now motivated to create the world of the living, uses all the tools available, and in this episode, we hear the 10 types of these worlds.

Bhagvat Puran Skandh 3 Adhyay 9
As Brahmaji finds the supreme being, he starts offering a stuti to the Lord. In turn, the Lord gives the directive to Brahmaji to create the world of the living.

Bhagvat Puran Skandh 3 Adhyay 8
In this episode, we come to know how Brahmaji came into being and his search for the supreme being.

Bhagvat Puran Skandh 3 Adhyay 7
In this episode, Vidurji becomes even more curious about the evolution and in particular the human kind and their development and ask a number of question that become the basis for Skandh 3.

Bhagvat Puran Skandh 3 Adhyay 6
Maitraya Rishi explains the virat swaroop and how the each of the varnas (caste) came into existence. We explore the Hindu reflection of evolution.

Bhagvat Puran Skandh 3 Adhyay 5
In this episode, Vidurji asks Rishi Maitreya about how the lord created the universe and we explore the idea of multi-verse and other aspects.

Bhagvat Puran Skandh 3 Adhyay 4
Uddhav ji continue to explain Vidurji the way how Yadavs were destroyed and when asked by Vidurji about the final knowledge Lord Shri Krishna gave to him, Uddhav ji directs him to talk to RIshi Maitraiya.

Bhagvat Puran Skandh 3 Adhyay 2 & 3
When asked by Vidurji about how is Lord Shri Krishna and other dear and near ones, Uddhavji gets really nostalgic and offers a stuti of the lord that is from a point of a view of a friend who has been there throughout his life.

Bhagvat Puran Skandh 3 Adhyay 1
In this episode, we learn about mahatma Vidur's journey and his meeting with Uddhav ji.

Bhagvat Puran Skandh 2 Adhyay 10
In this last episode of Skandh 2, Shukdevji explains the ten 'lakshan' (goals) of Bhagvat.

Bhagvat Puran Skandh 2 Adhyay 9
We hear how Bhramaji was being directed by Lord Vishnu in creation of this universe. We also hear about the Lord's reflection on his own self.

Bhagvat Puran Skandh 2 Adhyay 8
In this episode, Parikshit now feeling even more humble, asks a number of deeply spiritual questions about the Hindu philosophy and its views on creation and reincarnation.

Bhagvat Puran Skandh 2 Adhyay 7
This episode explores the various avatars of the lord and discusses the types of actions taken within each avatar.

Bhagvat Puran Skandh 2 Adhyay 6
In this episode, we hear about the glorious forms of Lord Shri Krishna's Virat Swarup. We hear how he is the 'one' and "all'.

Bhagvat Puran Skandh 2 Adhyay 5
Shukdevji states that the question asked by Parikshit was previously asked by Naradji to Lord Brahma and through Lord Brahma we now hear about the nature of the universe and it's creation. We hear about the virat swarup of the Lord Shri Krishna.

Bhagvat Puran Skandh 2 Adhyay 4
In this episode, Parikshit asks a question about the world and the universe and how it came to being, who created and why? Before answering the question, Shukdevji offers a beautiful stuti to Lord Shri Krishna.

Bhagvat Puran Skandh 2 Adhyay 3
In this adhyay, we discuss how our desires drive who we worship and who wise people worship and why? We also hear a stuti from sage Shukdevji about Lord Sri Krishna.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 2 Part 2
In this episode, we explore the concept of chakra in Hinduism, Buddhism and other religions. We also discuss the process of spiritual elevation and how to achieve the state of dhyana.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 2 Part 1
This episode explores the various other aspects of Lord Vishnu's roop (forms) and how to achieve sadhya bhakti by renouncing materialism and seek inner peace and happiness. We discuss these processes in detail.

Bhagvat Puran - Skandh 2 - Adhyay 1
In this episode, we review the whole first Skandh and then talk about the virat swarup of Lord Vishnu and discuss how dhyan is so simple but still so difficult to achieve. We will also have a little practical example of dhyan. Join in...

Bhagvat Puran - Skandh 1 - Adhyay 19
In this last episode of the first skandh, we really set the scene for the future skandh. As Parikshit realises that he has only seven days to live, he starts his penance and asks the sages 'what should a living being do towards the path of moksha?' and 'what should a person knows that s/he is dying should do in particular?'

Bhagvat Puran - Skandh 1 - Adhyay 18
We understand the inside story of how Parikshit gets the curse of death from Shrungi, the son of the sage Samik. We also understand the need and traits of a good leader and the consequences of a leaderless society. The sage also reflects on how the devotees of Lord Sri Krishna should remain unacquisitive and be ready to forgive and forget.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 17
In this episode we learn how Parikshit defeats Kaliyug but then let's him live. Parikshit also suggests the five places where Kaliyug can establish and how material desires lead to spiritual downfall of a person.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 16
In this episode we explore the deep and reflective dialogue between Dharma and the Earth who have taken the shape of a bullock and a cow respectively. We understand how the both of them are losing their universal powers as the Lord Sri Krishna has left for his abode in Vaikunth.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 15
Arjun shares the knowledge that Lord Sri Krishna has left the Earth and confirms why Yudhisthir is feeling all these negative energy. He also offers his Bhakti filled reflection on the lord and their closeness. We also discuss the way of moksha (nirvana) as explained by sage Vyas.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 14
In this episode, we understand the sixth sense of a good king that Yudhisthir demonstrates. He has sent Arjun to Dwarika to get information about how things are there and he is getting negative signals from the environment and people which he finds extremely worrying. When Arjun returns after 7 months, Yudhisthir asks him lots of questions but Arjun remains silent and that makes him even further anxious.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 13
The great politician and dharmaraj Vidur ji explain the realities of life and moksha to Dhritarashtra. At last, Dhritrashtra understands the need to 'let go'. He and Gandhari leave for vanprasthashram. Yudhisthir gets really upset and the great sage Narad explains to him the importance of understanding that nobody is dependent on anybody in reality.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 12
This episode deals with the birth of Parikshit, the grandson of Pandavas and the three ashwamedh yagnas by them. We also discuss how great sage Vyas manages to keep linearity in a parallel story.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 11
Lord Sri Krishna's return to Dwarika and his grand welcome is depicted in this episode. We also explore the idea of 'lajja' and why the literal meaning in English 'shame' falls short in explaining this term. We also examine the cultural construct of shame and guilt too.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 10
This episode contains a beautifully crafted stuti of Lord Sri Krishna by Vyas ji using a dialogue between two Sakhi (lady friends) and details a story of Krishna's return to Dwarika post the great battle of Kurukshetra.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 8 & 9
In this episode, we learn how Sri Krishna saved Parikshit in his mother Uttara's womb. We also hear a beautifully poetic bhakti filled stuti by Kunti of Sri Krishna and then a very different take on Bhishma Pitamah offering his own reflections on the lord's being. Bhishma also explains the Raj Yog to Yudhisthir.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 7
In this episode, we pick up the thread where Mahabharat ends and Bhagvat Puran really starts. We learn about the brutality of Ashwathama and how his identity is crushed by Arjun.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 5 & 6
Naradji (also called Narad muni) is an avatar of Vishnu and in this episode he shares his own life story from birth to nirvana and re-birth. In part, we also touch the Hindu idea of time and Naradji's advice to Sage Vedvyas on why he needs to write an ode to Sri Krishna that focuses on Bhakti.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 4
This episode takes into the mindset of Mahamuni (great sage) Vedvyas wherein we explore the concept of the 'circle of life' and why we need Bhaktiyog in Kaliyug rather than other ways to spirituality.

Bhagvat Puran - Skandh 1 - Adhyay 3
This episode explores and examines Hinduism's idea of evolution. Could it be that some of the sages figured out evolution far before Charles Darwin? Who knows? But have a listen?

Bhagvat Puran - Skandh 1 - Adhyay 1 & 2
In this episode, we explore the meaning of 'yog' and human 'gunas' - satva, rajo and tamo gun and how they define us. We continue to explore the idea of bhakti.

Bhagvat Puran - Mahatamya - Adhyay 5
In this episode, we explore the concept of Nishtha (a culimnation of faith, steadiness and devotion) through the story of Dhundhukari (Rishi Gokarn's brother) and how Bhagvat Puran became the stairway to heaven for him.

Bhagvat Puran - Mahatamya - Adhyay 4
This is where we discuss the story of Rishi Gokarna and reflect on the intense desire that exist within human beings for material life and its effects on spiritual journey.

Bhagvat Puran - Mahatamya - Adhyay 2 &3
Bhagvat Puran - Mahatamya - Adhyay 1 where we discuss how sages feel empathy towards everyone and why. We also learn about the fate of Bhakti (devotion) the mother, and her two sons Gyan (knowledge) and Vairagya (detachment) in Kaliyuga and Naradji's efforts to revive them.

Bhagvat Puran - Mahatamya - Adhyay 1
This is the first adhyay of Bhagvat Puran mahatamya.