EPISODE · Mar 16, 2021 · 27 MIN
Bhagvat Puran Skandh 6 Adhyay 18
from Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat · host Paurav Shukla
આ અધ્યાયમાં આપણે અદિતિ અને દિતિના સંતાનો તથા મરુદગણની ઉત્પત્તિનું વર્ણન સાંભળીશું. પોતાના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ મરી જવાથી દિતિ ખૂબ દુઃખી છે. તેના મનમાં દેવોનો વધ કરે એવા પુત્ર જન્મે એવી આશા છે. એટલા માટે તે પાછા કશ્યપ ઋષિ પાસે જાય છે અને તેમની પાસે એવા પુત્રનું વરદાન માંગે છે. ઇન્દ્ર આ સાંભળીને કે દિતિ ઈન્દ્ર અને બીજા દેવો નો નાશ થાય એવા પુત્રોની માંગણી કરે છે, તેથી જ છધ્મવેષમાં તેઓ દિતિની સેવા કરવા માંડે છે. ત્યારબાદ કશ્યપજી દિતિને એક પુંસવન નામ ના વ્રત ની વિધિ શીખવાડે છે અને એક વર્ષ સુધી તે વિધિ પ્રમાણે જીવન જીવવાની આજ્ઞા કરે છે. જો તે એમાંથી ચૂકી જાય તો તેના પુત્રો એ ઇન્દ્રના મિત્ર બની જશે એવી પણ સૂચના આપે છે. જ્યારે દિતિ ખૂબ વખત પછી એક દિવસ માટે સંધ્યાકાળે આ વ્રત ચૂકી જાય છે ત્યારે ઇન્દ્ર તેમના ગર્ભમા જઈને તે ગર્ભનાં સાત અને પછી 49 ટુકડા કરી નાખે છે. આ બાળકો મરુદગણ તરીકે જન્મ લે છે. ઇન્દ્ર ત્યારબાદ તેને સમજાવે છે અને તેમની સમજાવટથી દિતિને પણ જ્ઞાન થાય છે.
Embed this episode
NOW PLAYING
Bhagvat Puran Skandh 6 Adhyay 18
No transcript for this episode yet
Similar Episodes
No similar episodes found.
Similar Podcasts
No similar podcasts found.